SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ થી શ્રાદ્ધપ્રતિકમણ-વદિનુસૂવની આડશ ટીકાને સરલ અનુવાદ ૩૪૭ ક્રૂર રીતે મારતે જઈને-તે નિર્દય, દુષ્ટ અને નિષ્ફર પ્રહારેથી ભયભીત બનીને હોય તેમ તે ધનમિત્ર ચાર, તે ક્ષત્રિયના ઘરમાંથી પણ નીકળી ગયો, અને બીજા દરેકને છેડીને ઉલ્લાસથી રાજાના પ્રાસાદમાં પડે. જે ૭૦-૭૧ છે તે ત્યાં કુબડાની સાથે પ્રેમમાં પડેલી રાજાની અસતી પટ્ટરાણી કુબડા સાથે રમીને જોવામાં રાતે મોડી પાછી આવી તેવામાં વવશાત રાજા જાગે અને ક્યાં ગઈ હતી ?” એમ રાણીને સરલભાવે પૂછ્યું: રાણીએ પણ સ્ત્રીસ્વભાવને સુલભ એવો કૃત્રિમ ઉત્તર આપે. ૭૨-૭૩ આંખે નિંદ્રાથી ઘેરાતી હોવાથી રાજા એ વાત એટલે જ રાખીને પ્રથમની જેમ જ ઉંઘી ગયો: એટલે પાપથી હણાએલી તે શંકિત હદયવાળી રાણીએ વિચાર્યું કે-આજે આ રાજાએ હું અકાર્યમાં રક્ત છું એમ નક્કી જાણ્યું છે, તેથી હવે તે કોઈ પણ ઉપાયે આ રાજાને મારી જ નાખું કે-જેથી તે કુબડા સાથે ઈચ્છા મુજબ વિલાસ કરૂં. તે ૭૪-૭૫ છે એ પ્રમાણે ચિંતવીને તે દુષ્ટાપાપિકાએ નિદ્રા લેતા રાજાના ગળે નિર્દયપણે અંગુઠો દબાવ્ય ! ધિક્કાર છે, અસતીનાં ચરિત્રને ૭૭ મુખ બાંધેલા મેંઢાને મારે તેની માફક તે અસતીએ ગળું દાબતી વખતે રાજાને એવી તે વિડંબણું પમાડી કે જેથી તે દુષ્ટથી ભયભીત બનીને હોય તેમ તે રાજના પ્રાણે જલદી નીકળી ગયા ! a ૭૭ બાદ તે કપટ ચરિત્રવાળી અધમી અસતી પિકાર કરવા લાગી કે-હા, હા, હણાઈ ગઈ હણાઈ, રાજાને આ શું થયું? | ૭૮ . તે વખતે કાળમુખા મેઘની જેમ મહાદુઃખ પામેલા મંત્રીઓ વગેરે રાજાને નિજીવ જોઈને વજાથી હણાયા હોય તેવા બની ગયા છે ૭૦ કે તે દુષ્ટ અસતી રાણીનું એ પ્રમાણે દુખે જોઈ શકાય તેવું સર્વપણ દુશ્ચરિત્ર જોઈને “પાપીઓ કરતાં પણ પાપી અને નિંધમાં પણ નિંધ એવી આ રાણીના મસ્તકે વજા અથવા વિજળી અથવા શિલા પડે” એ પ્રમાણે મનમાં બેલતે તે ધનમિત્ર ચેર ત્યાંથી પણ નીકળી ગયે, ૮૦-૮૧ છે અને વિચારે છે કે-આજે ચેરીમાં વાઘ જેવા વિધ્રો કેમ આવે છે? વલી ચોરીને વિષે આ સર્વ દુનિમિત્તો વિશેષ કરીને અલંઘનીય છે=ઉપેક્ષા કરવાને યોગ્ય નથી૮૨ તેથી ખેદની વાત છે કે વિધવાના યૌવનની શોભાની જેમ આ રાત્રિ મારે વિફલ નીવડી : અથવા પટલ ઝીલનારી ગણિ. તે હજુપણુ મને પકડવાની પ્રતિજ્ઞા કરેલી ગણિકાને ઘેર જાઉં કાના હાથે ધનમિત્રનું ૮૩“જે કોઈપણ ઉપાયે તે ગણિકાના ઘરમાં ખાતર પાડવાનું પકડાવું. બને તે “જેણે મને પકડવાની પ્રતિજ્ઞા કરી હોય તેનું ઘર તે ફાડવું જ એવી મેં કરેલી પ્રતિજ્ઞાને મારે પણ નિર્વાહ પૂ. ઉપા. શ્રી. ધર્મ વિ. મ. કૃત અનુવાદમાં આ ઉત્તરાદ્ધને અથ “ખરેખર અપશુકનની અવગણના કર્યાનું આ ફળ છે એ પ્રમાણે તદ્દન ઉલટી થવા પામેલ છે, તે ધનમિત્ર અપશુકનની અવગણના કરી હેવાની બીના તેના ચરિત્રમાં છે જ નહિ” એ વાત પર ખ્યાલ જ નહિ રાખવાનું પરિણુમ છે. તેઓએ ધ્યાન રાખવું ઘટતું હતું કે આ વાત અપશુને સંબંધમાં નથી, પરંતુ કાણોઠ, પણસોની, રાજમાન્ય ગણિકાનું પણ નિંદ્ય ચરિત્ર, દૂર ક્ષત્રિય અને આ દુષ્ટા રાણી સંબંધીને જોયેલ દુષ્ટ નિમિતો સંબંધની છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy