SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાનો સરલ અનુવાદ એમ” પૂર્વે કહેલ વાતને મળતી આ દેવીની વાતને કુમારે સ્વીકાર કર્યો. ૩૧૪ થી ૧૭ | તેથી તે પાદરેદેવીએ તે ઉજજડ કુસુમપુર નગરને તુરત જ દેવતાઈ ઋદ્ધિથી શોભિત બનાવીને વસાવી તૈયાર કર્યું ! તે વખતે ન ઉત્પન્ન થએલ ઈન્દ્ર જેમ સ્વર્ગને શોભાવે તેમ વીરસેન કુમારે તે દેવનગરી જેવા કુસુમપુરને શોભાવ્યું. જે ૩૧૮ મે એ પ્રમાણે વીરસેનને ચાર દિશાના દિક્ષાલ દેએ આવીને ચાર દિશાની ચાર શ્રેષ્ઠ લક્ષમી ભેટ કરવાની જેમ ' મહાન ચાર રાજ્યો આવી મળ્યાં. ! ૩૧૯ / પુણ્યથી વશ થએલી દેવીના પ્રભાવથી ચક્રવત્તીનાં રાજ્યની માફક ચારે રાજ્યમાં નિષ્ફટકપણું જ વર્તવા લાગ્યું! કેવલી ભગવતે કહે છે ૩૨૦ એક વખતે કનકશાલ નગરનાં ઉપવનમાં કેવલી પૂર્વભવ સંબંધ ભગવંત પધાર્યા અને કુમાર પરિવાર સહિત વંદનાથે આવ્યા ભગવંતને વંદના અને સ્તવના કર્યા બાદ તસ્વીતત્વનું જ્ઞાન કરાવનારી કલેશનાશક દેશના સાંભળીને અવસરે કુમારે પિતાનો સંશય પૂછવા માંડયે કે હે ભગવંત! અમો બંનેને પરણવા માત્રમાં કયા કર્મના ગે વિયાગ થા ? અને સમુદ્રમાં પડવું વગેરે કષ્ટ શાથી પડયું ? વળી નિષ્કલંક એવી આ કુસુમશ્રીને “વેશ્યાતરીકેનું કલંક કયા પૂર્વ પાદિયથી પ્રાપ્ત થયું ?' ભગવંતે કહ્યું- અલ્પ હોય તે પણ વિષની જેમ બલવાન ગણાતા કમથી આ લેકમાં કોણ હણાયા નથી ? હાસ્યથી ઉપાર્જન કરેલું કર્મ પણ તીક્ષણ બાણની જેમ મર્મને વીંધી નાખનારૂં નીવડે છે. તેથી કરીને ઉત્તમજનોએ આ અનર્થદંડને સર્વથા નિષેધ કર્યો છે. આ ૩૨૧ થી ૨૬. તમે બંનેએ પૂર્વભવે યુવાવસ્થામાં માત્ર કૌતુકથી જે રીતે દુષ્કર્મ ઉપામ્યું હતું તે કાન દઈને સાંભળ. | ક૨૭ | શ્રી સમેત શીખરની તલેટીન કેઈ ઉત્તમ ગામને વિષે તું ક્ષેમંકર નામે સાર્થવાહ તે ગામને મુખી અધિકારી હતા, અને આ કુસુમશ્રી સદ્ગુણની પરંપરાને ધારણ કરતી અતિ શુભ આશયવાળી એવી તારી ધારિણી નામે પ્રિયા હતી ધર્મની અતિ શ્રદ્ધાવાળા અને અનેક યાત્રિકલકનું અત્યંત વાત્સલ્ય કરનારા તે ક્ષેમંકર અને ધારિણું બંનેય ઋદ્ધિમાન અને શુદ્ધ શ્રાવક-શ્રાવિકા, તીર્થના માર્ગને વિષે પાણીની પરબ બેસાડનારા, દાન આપનારા, દીનજનને ઉદ્ધાર કરનારા અને સાધુસાધ્વીજી મહારાજની શુદ્ધ અન્ન-વસ્ત્ર અને પાત્ર વગેરેવડે હર્ષપૂર્વક ધમોરાધના કરતા હતા, સચિત્ત સર્વને ત્યાગ કરવાપૂર્વક ઘણા ભાગે એકાશન કરીને ચાવિહારનું પચકખાણ કરતા હતા; તેમજ પાંચપવી–ાતુપવી તેમજ ત્રિપવને વિષે વિશેષે કરીને આરંભને ત્યાગ કરવાપૂર્વક બ્રહ્મચર્યનું પાલન-પૌષધ અને ઉપવાસ કરતા. એ પ્રમાણે દાન-શીલ-તપ અને ભાવ એમ ચારે ય પ્રકારના ધર્મનું આદરપૂર્વક આરાધના કરવાથી તેઓ બંને જણ ધાર્મિકજનને વિષે પ્રશંસાના પાત્રો બની ગયાદ છે ૩૨૮ થી ૩૪ . તે ક્ષેમંકરને નેહાળ અને ભદ્રિક ના ભાઈ હતોતે નાના ભાઈને જેવી જ સ્નેહાળ અને ભદ્રિક એક પ્રિયમંજરી નામે કન્યાને નાનો ભાઈ અપૂર્વ મહત્સવથી ૧ “ શ્રાદશાહ ' વાર: કુકુ ફરે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy