SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૩૩૩ વિરસેનકુમારનું તે સૈન્ય પિતાનાં નગરનાં ઉદ્યાનમાં તે આવ્યું, પરંતુ પાછળથી કુમાર નહિ આવવાથી હૃદયમાં અત્યંત દુઃખ ધારણ કરવા લાગ્યું. તે ૩૦૨ આત્મા વિનાના દેહની માફક વીરસેનની તે સેના, વિરસેનનાં આગમનની વાટ જોતી અતિ દુઃખે ત્યાં નગરબહારના ઉદ્યાનમાં જ રહી. ૩૦૩ 0 દુઃખની ખાણ જેવી એ બીને સાંભળીને કુમારને પિતા સર્વ દુ:ખ કરતાં વધારે દુઃખનું ભાજન બન્ય: અથવા પુત્રના શેકથી કેણ દુઃખી થતું નથી ? | ૩૦૪ એક દિવસે જેમાં દેવતાઈ નાટક ચાલુ છે, એવું દિવ્ય વિમાન આવતું જોઈને સમસ્ત પણ લોકે અત્યંત વિસ્મય પામ્યા! | ૩ ૫. તે વખતે “હે દેવ! આશ્ચર્યકારી વધામણી આપું છું કે-આ આપને પુત્ર આવે છે' ઇત્યાદિ પ્રકારે બોલતા પિપટે રાજા પાસે પહોંચી જઈને વધામણીને ઓચ્છવ કર્યો ! ! ૩૦૬ છે ત્યારબાદ તે રાજાને પુત્ર વીરસેનકુમાર, છૂટા પડી ગએલા હાથણીના સમૂહને તેને સ્વામી હસ્તી આવી મળે તેમ ' નગરની બહાર (રહેલાં અને પિતાને મળવાની) અત્યંત ઉત્કંઠાવાળા પોતાનાં સૈન્યને આવી મળ્યો! ! ૩૦૭ બાદ “જનક રાજાને ત્યાંથી રામચંદ્ર, સીતાને પરણીને આવ્યા તે વખતે દશરથ રાજાએ કરેલ તેવા” આશ્ચર્યકારી મહોત્સવ પૂર્વક પિતાએ કુસુમશ્રી સહિત પુત્રને નગરપ્રવેશ કરાવ્યું. I ૩૦૮ | નવા જન્મમહોત્સવની જેમ પુત્રનું આગમન થવાને લીધે રાજા, જે આનંદ અનુભવવા લાગે છે તે વાણુને વિષય જ રહ્ય હેતો ! અર્થાત્ અવર્ણનીય હતે. ૩૦૯ ત્યારબાદ તે પાદર દેવીએ વિરસેનકુમાર અને કુસુમશ્રીને (કુસુમપુરે આવવું થયું- દરિયામાં પડ્યા અને અંતે મહિમાપૂર્વક બંને મળ્યા તે વગેરે) સર્વવૃત્તાંત કહી સંભળાવ્યો, એટલે રાજા વગેરે સર્વજનો ખેદ અને આશ્ચર્ય વડે કરૂણારસ અને અભુતરસની સંકરતા (સેળભેળપણ) ને ભજવા લાગ્યા. [ ૩૧૦ || હવે એક દિવસે વીરસેન કુમારને આ વિરસેન કુમારને પિતાએ હર્ષપૂર્વક પિતાનું સ્થાન=રાજ્ય ચાર રાજયની પ્રાપ્તિ! આપી ચારિત્ર લઈને મોક્ષપદ પ્રાપ્ત કર્યું ! સસરાએ પણ કુમારને અમાપ અને અસમાન મહિમાવંત સાંભળીને પરમ આનંદિત થતાં પોતાનું રાજ્ય આપ્યું ! દિવ્યપલંગ અને અશ્વનું હરણ કરી ગએલ નયસાર રાજાએ પણ કુમારને પરાધીન (કુમારને આધીન)ની માફક આગ્રહપૂર્વક રાજ્ય આપ્યું ! ખરેખર, લેક” પૂજાએલને પૂજવાના સ્વભાવવાળે છે. મેં ૩૧૧ થી ૩૧૩ પાદરેદેવીએ પણ કહ્યું-“હે વત્સ! કુસુમપુરને વિષે પહેલાં જે રાજા હતો તે દુષ્ટ, અન્યાયી અને દુર્બદ્ધિ હતોઃ તેવા રાજાના પુત્ર પણ પ્રાય: તેવા પાકે, એ વિચારવડે તે રાજા ઉપરના રોષથી તે નગરને મેં એક વર્ષ પહેલાં ઉજજડ કરી નાખ્યું: ચારથી ભરેલ ઘર કરતાં ખાલી ઘર સારૂં: હવે તને પ્રાર્થના કરું છું કે–તે નગરને તું રાજા બન: વિદ્યા અને રાજ્ય ગ્યને જ અપાય. એ ક્રમ છે. એ રીતે તેને રાજા બનાવવાથી તે નગરનાશને મારા પર ચઢેલ અપવાદ પણ દૂર થાય છે. * એ પ્રમાણે પ્રથમ પિોપટે પણ “આ ઉજજડ કુસુમપુરના રાજા તમે થશે, ૧ ર૩ દીર્થના સુવ7 x ૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy