SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રા શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૩૧૩ ભવમાં એકને નારકનું દુખ છે જ્યારે બીજાને શાશ્વત સુખ છે. તે ૧”] યતના વિના પ્રવૃત્તિ કરવામાં સર્વત્ર અનર્થદંડ જ છે. એથી શ્રાવકે સર્વવ્યાપારમાં સર્વશક્તિ એ યતના વિષે પ્રયન કરે. કહ્યું છે કે-“ધર્મની માતા યતના છે, ધમનું પાલન કરનારી યતના છે, ધર્મની વૃદ્ધિ કરનારી યતના છે અને એકાંત સુખને આપનારી યતના છેતે 1 ” તથા જે હાંસી અને વાચાલતાદિ અનર્થદંડ છે તે આ લેકમાં પણ ઘેર વૈરેવૃદ્ધ આદિ અનર્થકારી છે. જેમ કુમારપાળ રાજાની બહેન પ્રતિ તેના પતિએ સેગઠાબાજી રમતાં “માર મુંડીયાને” એમ હાંસીમાં કહેતાં અત્યંત અનર્થ થયો. વળી અર્થદંડના પાપ કરતાં અનર્થદંડને પાપમાં કર્મબંધાદિ દેષ પણ અધિક છે. કહ્યું છે કે- વંધ૩૦ અર્થઅર્થદંડમાં અલ્પ અને અનર્થદંડમાં બહુ પાપને સદ્દભાવ હોવાથી અનર્થદંડમાં જે પાપ બંધાય છે તે અર્થદંડમાં બંધાતું નથી. તેમાં કારણ એ પણ છે કે-અર્થદંડમાં કાલ વગેરે નિયત છે, જ્યારે અનર્થદંડમાં તે નિયત નથી. ( ૧ | એથી ચારે પ્રકારના પણ અનાથ દંડનો વિવેકીજનોએ સર્વથા ત્યાગ કરવો. તે અનર્થદંડવિરમણ વ્રતને વિષે દિવસ સંબંધી જે કોઈ અતિચાર લાગ્યા હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું. ! ૨૫ તે આઠમા અનર્થદડવિરમણવ્રતના પાંચ અતિચાર, અવતા:-૨૪-૨૫ મી ગાથામાં અનર્થદંડ વિરમણવ્રતનું સ્વરૂપ કહીને હવે આ ગાથાથી તે વ્રતના પાંચ અતિચાર કહેવા દ્વારા તે પાંચ અતિચારનું નિદારૂપ પ્રતિકમણ જણાવાય છે. कंदप्पे कुक्कुइए, मोहरि अहिगरण भोगअइ रित्ते ॥ दंडंमि अणट्ठाए, तश्शेमि गुणव्वए निंदे ॥ २६ ॥ જાથાર્થ-કંદર્પ, કીકુ, મુખરતા, અધિકરણ (સંયુક્તાધિકરણ ) અને ભેગાતિરિક્ત એ પાંચ અતિચારમાંના “અનર્થદંડ વિરમણવ્રત સંબંધમાં દિવસ સંબંધી જે કઈ અતિચાર લાગ્યા હોય તે અતિચારનું હું નિદારૂપ પ્રતિકમણ કરું છું ૨૨ / વૃત્તનો ભાવાર્થ-૨ ર્જ તવાર:–“કંદ” એટલે કામ; પિતાને અને પરને કામવિકાર ઉત્પન્ન થાય તેવા રાગાદિ વિકારોને ઉત્તેજીત કરનારાં હામદિ વચન (પ્રમાદથી) બેલવાં તે પણ ઉપચારથી કંદર્પ કહેવાય ૨ દીધ્યાતિવાદ-કૌમુ” એટલે ભ્રમર, નેત્ર, એઇ, નાસિકા, હાથ, પગ અને મુખ વગેરેના વિકારપૂર્વકની હાસ્યજનક ચેષ્ટા: કે-જેના વડે પોતાને અને વરને કામવિકાર પ્રકટે અને પિતાની લઘુતા થાય. શ્રાવકને તેવું બોલવું અને ચેષ્ટા કરવી કપતી નથી. પ્રમાદથી તેવું આચરણ થવા પામ્યું હોય તો શ્રાવકને અતિચાર છે. આ કંદ અને કાકુ બને અતિયારે, તેવું આચરણ પ્રમાદથી થવા પામ્યું હોય તેને આશ્રયીને છે. ૧ મન્ત્ર ૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy