SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શાહપ્રતિકમણ-વાદિસત્રની આકરી ટીકાને સરલ અનુવાદ ૨૮૩ જેનાં દ્વિદલ જણાતાં હોય છતાં જે તે તેલ ધરાવતાં હોય તે તે અભય નથી. દ્વિદલનું લક્ષણ બતાવતાં કહ્યું છે કે - जंमिह पीलिज्जत्ते, नेहो न होइ बिति तं विदलं । विदले विहु उप्पन्नं, नेहजुअं होइ नो विदलम् ॥१॥ અર્થ-જેને પીલવાથી તેલ ન નીકળે તે વિદલ કહેવાય છે જે બે દળ તરીકે ઉત્પન્ન થએલ હોય છતાં પણ જે તે તેલયુક્ત હોય તે તે વિદલ ગણાય નહિ. ૧ ૧૯ વૃન્તાકરરીંગણું, અતિ નિદ્રા લાવનાર અને કામોદ્દીપક ઇત્યાદિ દેષ પોષક હોવાથી અભક્ષ્ય છે. અન્ય શાસ્ત્રોમાં કહ્યું છે કે -( વિષ્ણ, રાધાને કહે છે.) હે પ્રિયે! જે મનુષ્ય રીંગણ, કાલિંગડા અને મૂળાનું ભક્ષણ કરે છે, તે માણસ અંતકાલે મારું સ્મરણ કરી નહિ શકે. ૧. ૨૦ અજાણ્યાં ફલકુલ –નહિ જાણવાથી નિષેધ કરેલાં ફળ-ફુલ વાપરવાથી વ્રતભંગને સંભવ છે, તેમાં પણ જે ઝેરી ફલ-ફુલ વપરાઈ ગયું હોય તે વંકચૂલ પલિપતિની સાથેના માણસની જેમ જીવિતને પણ નાશ થાય છે. માટે તે અભય છે. ૨૧ તુચ્છવ -મહુડાં, જાંબુ, ચણીયાબેર અને ઉપલક્ષણથી કેરડા, અરણિ, સરગ, મહુડે વિગેરેનાં તુચ્છ ગણતાં પુષ્પ તથા વષોંકાલમાં તાંદળજાની ભાજી વિગેરેનાં તરછ પત્રો વર્ષ છે. ૨૨ ચલિતરસજેને રસ પલટી ગયે હોય તે તથા કેહવાઈ ગયેલું અન્ન, વાસી-વિદલ અને પુરીઓ વિગેરે અનેક જંતુમય હોવાથી અભક્ષ્ય છે. ઉપલક્ષણથી રાંધેલ વાસી ચોખા, પાણીમાં કરેલ ફાડા લાપશી વિગેરે પકવાન્ન તેમજ બે દિવસ પછીનું દહીં વિગેરે પણ અભક્ષ્ય છેઃ શંકાવાસી, વિદલ વિગેરેમાં કેહવાઈ જવાને લીધે જીવની ઉત્પત્તિ ઘટે છે તેથી તેનું વર્જન તે બરાબર છે, પરંતુ બે દિવસ પછીનાં દહિંમાં જીવની ઉત્પત્તિ કેવી રીતે ઘટે? સમાધાનઃશાસ્ત્રના પ્રમાણથી ઘટે છે. શાસ્ત્રમાં કથન છે કે જે મગ, અડદ વિગેરે, કાચા દહિં–દૂધ કે છાશમાં પડે તે ત્રસ જીવેની ઉત્પત્તિ થાય છે. બે દિવસ ઉપરનાં દહિંમાં પણ ત્રસજીવની ઉત્પત્તિ કહી છે. # ૧ હારિભકીય દશવૈકાલિકવૃત્તિમાં પણ કહ્યું છે કે:- છાશ, ચેખાનું વણુ, દહિં અને કેઈપણ જાતનાં ખાટાં સુપ (કઢી-ઓસામણ વિગેરે)ને વિષે રસથી ઉત્પન્ન થએલા “પૂંઠના કરમીયાંની આકૃતિવાળા” અતિસૂક્ષમ છ થાય છે. સંભળાય છે કે ધનપાલપંડિતને પ્રતિબંધવા આવેલ તેના ભાઈ શેભન મુનિએ બે દિવસ પછીનાં દહીંમાં અલતાનાં પુંભડાથી ધનપાલને જો બતાવ્યા પણ હતા અને તેથી ધનપાલ પ્રતિબોધ પણ પામ્યું હતું. બ્રહ્માંડપુરાણમાં પણ-“કામફ્યુઅક્ષણાત હોવાન, : પ્રકારે” અભય ભક્ષણથી કંઠરોગ થાય છે, એમ કહ્યું છે. તથા શાંતાતપે કહેલ શાસ્ત્રમાં પણ “મામાદેવ, વારે જીયો દૃ' હૃદયમાં કૃમિઓ અભક્ષ્યનાં ભક્ષણથી જ થાય છે, એમ કહ્યું છે. इति द्वाविंशति अभक्ष्यस्वरूपम् . અનંતકાયના [ આર્યદેશપ્રસિદ્ધ ] બત્રીસ ભેદ. સર્વમંદની જાતિ અનંતકાય છે. તેમાં ૧-સુરણુકંદ (હરસ મટાડનાર કંવિશેષ.) સ્વ૧દેખાવમાં સારું પણ સ્વાદ ફરી ગયેલ હોય તે ચલિતરસ, ૨ રૂપ, રસ, મધમાં પ્રત્યક્ષ કરક જણાય તે કેવલું . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy