SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ર૭૧ તે કુમારના સાનિધ્યબલથી કોઈપણ પ્રકારની બાધા વિના કૈલાસની મહાનંદકુમારને આકાશ- જેમ નિષ્પકંપ પણે તે વિદ્યાને યથાર્થ પણે સિદ્ધ કરી અને વિદ્યા ગામિની વિદ્યાની પ્રાપ્તિ સિદ્ધ થઈ તે વખતે તે વિદ્યાની અધિષ્ઠાતાદેવીએ પ્રગટ થઈને અને તેને સદુપયેગ, કહ્યું કે-“અહો ! તારાવડે મેટા ઉત્સાહથી સાધેલી એવી હું સિદ્ધ થઈ છું પરંતુ અન્યનું કાર્ય સાધી આપવાની શુભવૃત્તિવાળા અને પ્રાણીઓના આધાર સ્વરૂપ આ ઉત્તરસાધક મહાનંદકુમારને તું મને “કુંવારીને આપવાની જેમ” આપી દે, અને તું મને સિદ્ધ કરવા સમર્થ થયે. એટલાથી જ સંતોષ માનઃ (કારણકે તારું ભાગ્ય એટલું જ છે.) કર્મથી અધિક કરી શકવાને વિધાતા પણ સમર્થ નથી. કહ્યું છે કે-“અમે જે દેવોને નમસ્કાર કરીએ છીએ તે દેવે પણ દુર્ણ વિધિને વશ છે, વંદ્ય એ વિધિ પણ નકકી કરેલા કર્મ પ્રમાણે જ ફલ આપી શકે છે ! આ રીતે જ્યારે ફલ, કમોધીન છે, તો દેવોથી અને વિધિથી શું પ્રયોજન માટે તે કર્મને જ નમસ્કાર છે કેજેનાથી વિધિ પણ સમર્થ નથી. આ 1 ” એ પ્રમાણે કહીને વિદ્યાદેવી તત્કાલ અંતર્ધાન થઈ. તે વિદ્યાસાધકે પણ દેવીનાં તેવાં વચન જણાવવાની સાથે તે વિદ્યા મહાનંદકુમારને તે વખતે જ આપી દીધી ! અને તે જ નિમિત્ત પામીને વિરક્ત ચિત્તવાળા બનેલા તે તત્ત્વજ્ઞ આત્માએ તપસ્યા આદરી: હવે કુમાર તે વિદ્યાથી વિદ્યાધરની જેમ આકાશગામી અહા, ભાગ્યનું અધિકપણું! કહ્યું છે કે વ્યવસાય કઈ બીજે કરે છે અને તેનું ફળ કઈ બીજે ભગવે છે! માટે વ્યવસાયથી સયું, અમારે તો વિધિ જ પ્રમાણ છે. તે ૧ ” મહાનંદકુમારે આકાશગમનવડે વિહરમાન તીર્થકરે અને શાશ્વત તીર્થોને વંદન નમસ્કાર કરવા, પરોપકાર કરવો વિગેરેથી તે વિદ્યાનું સદાકાળ ફળ ઉઠાવ્યું ! વિદ્યાદિ અતિશયવંત શક્તિવાળા જને, પ્રાયઃ ખલજનોની માફક અત્યંત અન્યાયમાં પ્રવર્તી થકા પેઢાલપુત્રની જેમ ઉછુંખલા હોય છે. જે ૧ | જ્યારે સાધુની જેમ ઉત્તમ સંવરવાળા તે મહાનંદકુમારને તે તેવી ઉત્તમવિદ્યાના લાભમાં પણ કેઈ પણ સ્થળે સમુદ્રની જેમ મયદાનું ઉલ્લંઘન હતું જ નહિ! તે કુમારને કેમે કરીને શ્રીકૃષ્ણને પ્રદ્યુમ્નની જેમ પિતાને અનુગામી એવા સૌભાગ્ય ભાગ્યાદિ અતિશયવંત પુત્રની પ્રાપ્તિ થઈ. કોઈ એક દિવસે તે પુત્રને દુષ્કર્મથી આદેશ પામેલ દુષ્ટ સર્ષ ડો. પુત્ર સર્વથા અચેતન બજો સતે અને કૃષ્ણનાં રત્નની જેમ વૈદ્યો વિગેરેનાં પ્રયત્નો નિષ્ફળ ગયે સતે પિતા વિગેરેને અત્યંત હાર્દિક દુ:ખ થયું. એ રિથતિમાં હાજર બુદ્ધિવાળા ધનદત્તશે ચોરાશી ચૌટામાં પડતું વજડા કે-જે કોઈ માણસ, મારા આ અચેતન પૌત્રને સર્પના ઝેરથી બચાવશે તેને ધનદત્તશેઠ ક્રોડ સોનૈયા પણ આપશે ” તે પડહો સાંભળીને કઈ વિદેશી બ્રાહ્મણે શ્રેણી પાસે આવીને વિવેકથી કહ્યું- હે શ્રેણી ! અહિંથી એક દસ યેજન દૂર હું રહું તે શ્રીનિધાન નામે નગર છે. ત્યાં મારે ઘેર દેવતાના આદેશે પ્રાપ્ત થએલી વિષષધી છે. જેનો સ્પષ્ટપણે ઘણીવાર પ્રત્યક્ષ ખાત્રી १ च ५। २ इयत्तैव । ३ परोपक्रियादिभिस्त० ४ । ४ सौभाग्य भाग्याद्य ४ । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy