SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૦ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આદર ટીકાને સરલ અનુવાદ અર્થ –જે બાળક મહાનંદ નામ સ્થાપ્યું ત્યારે મહાનંદ શબ્દ) “અ” અન્તવાળ (અકારાન્ત) બન્યો હોવા છતાં સર્વ પ્રકારે ગુણવૃદ્ધિને ભજવાવાળે થયે! (એ રીતે “અ” અન્તવાળું નામ હોવાથી) વિદ્યમાન અતવાળો હોવા છતાં પણ ક્રમે કરીને દ્ધિથી અનન્ત તરીકેની જ ખ્યાતિ પામ્ય ! તે આશ્ચર્ય છે. એ પ્રમાણે વધતા તે કુમારે ક્રમે કરીને ચંદ્રની જેમ કલા ગ્રહણ કરી અને બાળપણમાં સદગુરૂની પાસે સમ્યકત્વમૂળ દેશવિરતિ સ્વીકારી ! તેમાં તેણે છઠા દિપરિમાણ વ્રતને વિષે રહેવાનાં સ્થાનથી સર્વદિશામાં સે જન જવાનો નિયમ કર્યો. એ કુમાર, યૌવન અવસ્થાને પાપે એટલે પિતાએ તેનો યજ્ઞદત્તશેઠની યથાર્થનામવાળી કલાવતી નામે કન્યા જોડે વિવાહ કર્યો. આ મહાનદકુમાર જન્મે ત્યાંથી લઈને ધનદ શેઠના ઘરમાં ચોમેરથી વષોઋતુની નદીના પ્રવાહની જેમ ધન વધવા લાગ્યું ! દિવસે દિવસે શેઠે કુમારને વેપાર માટે અત્યંત પ્રોત્સાહિત કર્યો સતે તે કુમારે કલ્પવૃક્ષની જેમ થોડા દિવસમાં જ શેઠના ઘરમાં કડાકડી સોમૈયા કમાઈ આપ્યા ! કેટલાક, જન્મથી ધન ઉપાર્જન કરતા હોવા છતાં પોતાને નિવહ પણ ઉત્સાહથી ચલાવવા સમર્થ થતા નથી, જ્યારે કેટલાક તે આશ્ચર્યની વાત છે કે-આ પ્રમાણે દ્રવ્યોપાર્જન કરવા ભાગ્યશાળી બને છે! i ૧ ખરેખર લેશુદેણનો સંબંધ વજબંધ જે છે; એ સબંધમાં ત્રણ કુપુત્ર સહિતના આ સુપુત્રવાળા ધનદત્ત શ્રેણી દ્રષ્ટાન્તર રૂપ છે. ૨ બાદ સર્વ ચિતાથી મુક્ત થએલ ધનદ શેઠે તે પુત્રના કહેવાથી ચોમુખ વિગેરે સુવર્ણ મય જિનચેત્યો બંધાવ્યાં, તેમાં ‘વિધાના પ્રતિમાજી ભગવંતની પ્રતિષ્ઠા વગેરે કરાવી, સાત ક્ષેત્રમાં સાતડ સેનયા વાપર્યા, ત્રણેય કાલ જિનપૂજા વિગેરે ધર્માનુષ્ઠાને આદર્યા, શ્રાવકધર્મની અને પરોપકારની ક્રીયાઓ સભ્ય પ્રકારે કરી: આથી સર્વશ્રેણીઓ કરતાં ધનદ શેઠ શ્રેષપણું પામ્યઃ અહે તે ભાવમાં પણ સુપુત્રની પ્રાપ્તિનું અતુલ ફળ! કઈ દિવસે ઉત્તમ પ્રકૃતિવાળા કે “પહેલાં છમાસ સુધી સેવા વિગેરે વિધિ કરેલ” વિદ્યાસાધકે, આકાશગામિની વિદ્યા સાધવાના દિવસે મહાનંદકુમાર અતિશય ભાગ્યવંતપુરૂષ જણાવાને લીધે તેની પાસે ઉત્તર સાધક બનવાની અત્યંત પ્રાર્થના કરવાથી બહુ કલેશવાળું કાર્ય હોવા છતાં પણ દાક્ષિણ્યતા અને પરોપકારના સારભૂત એવા તે મહાનંદકુમારે તેની પ્રાર્થનાને સ્વીકાર કર્યો. કહ્યું છે કેक्षेत्रं रक्षति चञ्चा, सौध लोलत्पटी कणान् रक्षा । दन्तात्ततृणं प्राणानरेण किं निरुपकारेण?॥ અર્થ ક્ષેત્રમાં ઉભો કરવામાં આવતે ચાડી ક્ષેત્રનું રક્ષણ કરે છે, ધજા મહેલનું રક્ષણ કરે છે, રાખ અનાજનાં કણોનું રક્ષણ કરે છે અને દાંતમાં લીધેલું તૃણુ પ્રાણનું રક્ષણ કરે છે ! ( આ રીતે તેવા તુચ્છ અને જડ પદાર્થો પણ પરને ઉપકાર કરે છે એ સ્થિતિમાં) નિરૂપકારી એવા મનુષ્યની કિમત શું ? ૧તેથી મહાનંદકુમાર કૃષ્ણચતુર્દશીની રાત્રિએ ( તે વિદ્યાસાધકની પાસે કે ઉત્તરસધક તરીકે ઉભો રહ્યો. વિદ્યાસાધકે પણ ભાગ્યના ભંડાર જેવા “મા” અન્તવાળા ધાતુન કે શબ્દને વ્યાકરણના નિયમ પ્રમાણે ગુણ કે વૃદ્ધિ થતી નથી. ૨ અયય x ૩ વઢેરામપિ x! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy