SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૨૪૭ ૩૭૬ “જે કાંઈ અપૂર્વ મેળવ્યું હોય તે સર્વ પ્રેમનાં સ્થાને શીધ્રપણે કહી દેવું જોઈએ.” એ હિસાબે દુર્ગાએ જે નિયમ કર્યો છે તે પિતાના સ્વામીને વર્ણવી બતાવ્યું છે ૩૭૭ / દુગની તે નિયમ બદલ પ્રશંસા કરતા દુર્ગે પણ દુર્ગાના કહેવાથી સર્વ પરસ્ત્રીને યાજજીવને માટે ત્યાગ કર્યો અને પર્વના દિવસે પ્રિયાના સંગનો પણ ત્યાગ કર્યો! તે નિયમનાં આરાધનથી કેમ કરીને દુર્ગ પણ સમ્યકૃત્વ પામ્યા ! ખરેખર દીવાથી જેમ દી થાય તેમ ધર્મથી ધર્મ થાય છે! ૩૭૮-૭૯માં અને સ્વાભાવિક રીતે અધિક ધમેરૂચિવાળી દળ, ત્યારથી માંડીને શ્રુતજ્ઞાનને પૂજતી થકી નિયમનું સભ્યપ્રકારે પાલન કરવા લાગી! l૩૮ના એ પ્રમાણે સુધર્મ આરાધીને તે બંને સૌધર્મ દેવલેકે ગયા અને ત્યાંથી ચ્યવને દુર્ગને જીવ તું અજિતસેન થયા. અને દુર્ગાને જીવ આ તારી પ્રિયા શીલવતી થઈ! a૩૮૫ પૂભવે કરેલ જ્ઞાનની આરાધનાથી શીલવતીએ મતિજ્ઞાનની કુશળતા પ્રાપ્ત કરી અને પૂર્વ ભવના અભ્યાસથી શીયલને વિષે સુદઢ પરિણામવંત બની, ૩૮૨ા તે જે પૂર્વભવે તેનાં વચનથી ધર્મ આદરેલ તેથી આ ભવને વિષે તારી આ સ્ત્રીના મુખથી તને બહુ ત્રાદ્ધિ અને પ્રતિષ્ઠા વિગેરે પ્રાપ્ત થયાં છે ૩૮૩ ”. એ પ્રમાણે સદ્દગુરૂના શ્રીમુખે પૂર્વભવ સાંભળવાથી અજીતસેન મંત્રી અને શીલવતીને જાતિ સ્મરણ થયું. ગુરૂમહારાજે કહ્યા પ્રમાણે જ સર્વ બન્યું હોવાની ખાત્રી કરીને તે દંપતિ ગુરૂમહારાજને કહેવા લાગ્યા કે-હે નાથ ! આપે કહેલું અમે સ્પષ્ટપણે દીઠું છે. ૩૮૪ આથી મુનિઓને વિષે અગ્રણી એવા તે દમષ મુનિએ દંપતીને કહ્યું કે-દેશથી શીયલ પાળવાથી પણ આ પ્રમાણે શ્રેષ્ઠતર ફલ છે એમ જાણી હવે તમે પ્રવજ્યા ગ્રહણ કરવાવડે સર્વથા શીયલનું પાલન કરે.૩૮પા ગુરૂમહારાજની તે પ્રેરક પ્રેરણાથી તે બંને જણે ચારિત્ર અંગીકાર કર્યું, અને બ્રહ્મચર્યના ગુણથી બ્રહ્મલોક નામના પાંચમા દેવલેકને વિષે ગયા. ત્યાંથી આવીને નિર્મલ શીયલ પાળીને મુક્તિ પણ પામશે. ૩૮૬ એ પ્રમાણે પાતાલસુંદરી જેવી ઘેર અસતીનાં વૃત્તાંતથી ગર્ભિત એવા આ શીલવતીનાં દષ્ટાન્તથી શ્રોતાઓને અસલી અને સતીના બંને માર્ગ તેના અંતિમ અંજામ સહિત જાણવા મળે છે. તે બે માર્ગમાંથી અહિં જે માગ સજજનોને ખરેખર ઉચિત્ત છે તે જ સમાગનું હે શ્રોતાજનો ! તમે સમ્યક પ્રકારે સેવન કરો. ૩૮૭ા इति चतुर्थ व्रतने विषे शीलवती, दृष्टान्त संपूर्ण. ॥ पांचमा स्थुलपरिग्रह विरमण अणुव्रतनु स्पष्ट स्वरूप. ॥ અવસરળ :–થા અણુવ્રતનું સ્વરૂપ જણાવી ગયા. હવે આ સત્તરમી ગાથા દ્વારા પાંચમા અણુવ્રતનું સ્વરૂપ જણાય છે. इत्तो अणुबए पंचमंमि, आयरिअमप्पसत्थंमि ॥ परिमाणपरिच्छेए, इत्थप्पमायप्पसंगेणं ॥ १७ ॥ ૩ ૧ ટુરી []. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy