SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ શ્રી શ્રદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદરે ટીકાને સરલ અનુવાદ મેહવાળો, પરદ્રોહપરામુખ, ઉચિતને જાણ, કૃતજ્ઞ, સ્વીકૃત કાર્યનો નિર્વાહ કરવાની ટેકવાળે, એ ઉત્તમ ધમક હતા. એ ૩ . તે શ્રેષ્ઠોને શીયલ વડે નિર્મળ એવી કમલશ્રી નામે વલ્લભા-પ્રિયા હતી. તેને નામે કરીને વિમલ છતાં કર્મ વડે-કાર્યો વડે મલિન એવો એક પુત્ર હતો! ૪ I લેકમાં કહેવત છે કે પિતાની જેવો પુત્ર (બાપ તેવા બેટા) હોય છે, પરંતુ રવિનો પુત્ર (રવિ જે થવાને બદલે સહુને નડે તેવ, શનિ થવાની માફક આ વિમલ, પિતા કરતાં વિપરીત કાર્યો કરનારે થયો. ૫ [કોઈ કવિએ કહ્યું છે કે-હે શનિ ! તેં સમસ્ત પ્રતાપી જનોનાં મુખ ઝાંખા પાડ્યા નથી, અંધકારને અસ્ત કર્યો નથી તેમજ જગત ઉપર ઉપકાર ક્યાં નથી, છતાં હું લોકોને “હું સૂર્યનો પુત્ર છું' એમ ગણાવી રહ્યો છે, પણ સોગંદ ખાધા સિવાય કયા ગુણ વડે (તું તેવી) ખાત્રી કરાવી આપીશ? I ૬ in ] તે શ્રેણીપુત્ર વિમલ, ધર્મનું નામ સાંભળતાં જ દૂર ભાગી જાય છે! ધનનું નામ સાંભળે ત્યાં દેટ દે છે! પિતાને જ પોતે પંડિત માને છે અને પિતાનાં ચરિત્રને પિતે વખાણે છે. ૭તેને તેવા પ્રકારના વર્તાવવાળે જોઈને એક વખતે પિતાએ કહ્યું- હે પુત્ર! ધન ઉપાર્જન કરવાથી શું? ગુણ ઉપાર્જન કરવામાં મને કર:” | ૮ ૫ ગુણે ધારણ કરવા તે આત્માધીન–પિતાને આધીન વાત હોવા છતાં નિગુણતા વસાવવી તે તો પોતે પિતાને ઠગવા જેવું છે. વળી ધનની પ્રાપ્તિ, કર્મને આધીન હૈયે સતે કેવળ તે માટે જ પુરૂષાર્થ કરવો એ પુરૂષપણું કેવું ? I વળી ધનોપાર્જન પણ ગુણ પાર્જનની સાથે હોય છે, માટે તે ગુણે પાર્જન વિનાનાં ધને પાર્જનથી જતો આ દેખાતે ઉદ્યતિ ખરેખર ઘરમાં આગ લગાડવા જેવો છે ૧૦ કહ્યું છે કે – | "ગુવાર કાયે, મિાટે પ્રયોગના? | विक्रियन्ते न घण्टाभि-गांवः लोरविवर्जिताः ॥ ११॥ અર્થ :–ગુણોને વિષે આદર કરેઃ બેટા આડંબરથી શું? કારણ કે-ગળે ઘણું ઘંટ લટકાવીને વગાડવાથી દુધ વગરની ગાયે ખપતી નથી. / ૧૧ ” એ પ્રમાણે વિવિધ યુક્તિઓ વડે પિતાથી પ્રતિબધ પામેલા તે વિમલે પિતાની ગુણોને વિષે આદર કરવાની સલાહ લજજાને લીધે માત્ર વચનથી સ્વીકારી. મનથી તો નહિ. I ૧૨ ત્યાર બાદ તે પુત્ર, ધૃત્તની જેમ ધૂર્તતાથી ઘણું ધન ઉપાછે ઉપાજીને કમલ શેઠને બતાવવા લાગે અને કહેવા લાગ્યું કે હે પિતાજી! આ પ્રમાણે ધૂર્તાપણાથી અને ઉદ્યમથી અતિ ઘણું ધન પણ ઉપાર્જીત થાય છે. તેથી ગુણધર્મોના ઉપાંજ નથી શું ? અતિ ગુણધર્મ ઉપાર્જીત કરેલ હોય તે જ ધનપાર્જન થાય છે એ નિયમ કયાં રહ્યો ? ૧૩-૧૪ કહ્યું છે કે જાતિ પાતાળમાં જાવ, ગુણને સમૂહ તેથી પણ નીચે જાવ, શીલ પવતની ટોચ પરથી નીચે પટકાવ, સંબંધી જને આગથી સળગી મરે, અને વૈરી જેવા શૌર્યમાં વી પડે; અમોને તે (એ બધા બાજુએ રહો માત્ર) એકલે અર્થ-પૈસા જ કારણ કે તેની વિના તે સમગ્ર ગુણે પ્રાય: ઘાસની રજ જેવા છે. પા” એ પ્રમાણે જે તે ઉપાય વડે ધન વધારવામાં અત્યંત વિઇ એવા તે પુત્રને પિતાએ 1 સુધwવા કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy