SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વાદિતૃસત્રની આ ટકાના સરલ અનુe સરખી છે, તેમ મૃત્યુને ભય પણ સરખે છે. ૨ ન વળી દયા વિનાના બધા જ ધર્મો પંચાગ્નિતપ કરનાર કમઠ તાપસ વિગેરેની જેમ નિષ્ફળ છે. કહ્યું છે કે - मयमंडणं व तुसखंडणं च गयमज्जणं व सव्वपि । कासकुसुमं व वणगाइअं व विहलं इमीइ विणा ॥१॥ અર્થ-દયા વિનાનાં બધાં જ ધર્માનુષ્ઠાને, મૃતકને શણગારવાની જેમ-ફેતરાં ખાંડવાની જેમ-હાથીને નવરાવવાની જેમ-ઘાસ (બરૂ)નાં ફુલની જેમ અને જંગલમાં ગાયન કરવાની જેમ નિષ્ફળ છે. ૧. દયા રૂપી મહા નદી છે, અને બીજા ધર્મો તે નદીના કાંઠા ઉપર ઉગેલા તૃણના અંકુરા જેવા છે. દયા રૂપી મહા નદી સુકાઈ જાય તો તે ઘાસના અંકુરા કેટલી વાર ટકે? રા એ પ્રમાણે સર્વ દર્શનમાં દયાને સર્વ ધર્મમાં પ્રધાન કહેલ છે. આમ છતાં જેઓ એમ કહે છે કે “યજ્ઞાદિને વિષે હિંસા થાય છે, તે વેદવિહિત હોવાથી “દેવપૂજાની જેમ” ધર્મ છે. અર્થાત દેવપૂજામાં હિંસા થાય છે છતાં તેમાં જેમ ધર્મ કહેલ છે તેમ વેદમાં કહેલ યજ્ઞમાં થતી હિંસા પણ ધર્મ છે.” આ સર્વ પ્રલાપમાત્ર છે એમ જાણીને તેનાં વચનને તિરસ્કાર કરવો. કારણકે–હિંસાની સર્વ સ્થળે નિંદા કહી છે. હિંસાથી પણ ધર્મ માનનારને તે “વિષમાંથી પણ અમૃત પ્રગટ થાય છે, અગ્નિમાંથી શીતલજળ પ્રગટ થાય છે, સપના શખમાંથી પણ અમતરસના એહકાર નીકળે છે. ખળજનોના મુખમાંથી પણ પરગુણાનુવાદ હાય છે, ખારા સમુદ્રમાંથી પણ સુંદર દૂધનું પૂર વહે છે, તેમજ કાદવમાંથી પણ કપુરને સમૂહ પિદા થાય છે” એમ માનવું કપેિ કદાચિત દેવસાન્નિધ્યથી તે તે ન બનવાજોગ બનાવ પણ બને, પરંતુ હિંસામાંથી ઉત્પત્તિ તો કેઈપણ રીતે સંગત નથી. કહ્યું છે કે:आहिंसासंभवो धर्मः, स हिंसातः कथं भवेत् । न तोयजानि पद्मानि जायन्ते जातवेदसः ॥१॥ અર્થ -ધર્મ અહિંસાથી જ થાય છે, પછી તે હિંસાથી કેમ કરીને થાય? પાણથી ઉત્પન્ન થતા પડ્યો અગ્નિથી કદિ પેદા થતા નથી nલા વળી યજ્ઞની હિંસા લૌકિકશાસ્ત્રમાં પણ નિષેધેલી છે. લૌકિકદર્શનકારોએ જ કહ્યું છે કેष्टोमीयमिति या, पश्चालम्मनकारिका । न सा प्रमाणं झातृणां, भ्रामिता (का) सा सतामपि ॥१॥ અર્થ:-“આ અગ્નિોમી (તે નામા) યજ્ઞ છે” એમ કહીને-એ નામના અર્થને આગળ કરીને તે યજ્ઞને–અગ્નિોમીને પશુઓને વધ કરનારી તરીકે ઓળખાવાય છે, તે વિદ્વાનને પ્રમાણ નથીએ ૧-qન્નમિળ્યામિરાતે રૂતિ પજ્ઞાનતાઃ વેદમાં કહેલા -અન્વહાર્ચ ૨-કચન ૩-ગાહપત્ય ૪-આહવનાય અને ૫ આવશ્ય. એ પાંચ નામના અગ્નિ કહેવાય છે. તેમાં પંચાગ્નિ તપ કરનાર પિતાની ચાર બાજી તેમના ચાર નામને યોગ્ય ચાર અગ્નિ સળગાવીને અને પાંચમો માથે સૂર્યને આતાપ સહન કરીને તપ કરે. ર-એકેન્દ્રિયની હિંસામાં બેઠેલ મલીનારંભીને દેવપૂજા, પરિણામની વિશુદ્ધિનું કારણ હેવાથી અને તેમાં યોજવામાં આવતા પંચામૃતપુષ્પ-ફેલ નૈવેદ્ય વિગેરેમાં પૂજકને પિતે ઉપભોગ કરવાની વૃત્તિ લેશ પણ નહિ હોવાથી ગૃહસ્થને દેવપૂજા એ ધર્મ છે. યજ્ઞ કરનાર, પંચેન્દ્રિયની હિંસામાં બેઠા નથી અને યજ્ઞમાં હંમેલ પશુઓનું માંસ ખાવાની ગુદ્ધિવાળે છે. તેથી મલીન પરિણામનું કારણ એવી યજ્ઞની હિંસા ખુલ્લે અધર્મ છે. ૩-ઘવત્તએ x Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy