SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ શ્રી શ્રાદ્ધપતિક્રમણ-વંદિત્તસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ I ક ામરતા તિવાર - કુર્દિ=બૌદ્ધ આદિ અન્યદર્શનીય વેષવાળા સાધુઓનું “અહો આ સાધુઓ મહાતપ સ્વીઓ છે” ઈત્યાદિ વર્ણન કરવું-પ્રશંસા કરવી તે સમ્યકૃત્વને દૂષિત કરે છે. કારણ કેમિથ્યાષ્ટિઓની પ્રશંસા કરવામાં મુશ્કેજનેને મિથ્યાષ્ટિઓ વિષે પણ આદર બહુ માનાદિ થવા પામે. કહ્યું છે કે-મરજીથાવાળું, તત્તરદ્વા તો ! તદ્ તિવમો પસંબો અર્થ-કુદર્શનીઓની પ્રશંસા કરવાથી આ લેકમાં મિથ્યાત્વને સ્થિર કરવાનું થાય છે, અતવમાં શ્રદ્ધા સ્થપાવાય છે, મિથ્યાત્વ પ્રવત્તોવવાને દોષ લાગે છે અને તીવ્ર કમને બંધ પડે છે. ૧ | ' તેમજ મિથ્યાર્થિનીઓમાં મહા તપશ્ચર્યા વિગેરે ક્રિયાઓ જેઈને પણ “અહો આ લોકનું કેવું અજ્ઞાન કષ્ટ !” ઈત્યાદિ વિચારવાનું અને કહેવાનું હોય છે. તેના કારણમાં કહ્યું છે કે जं अन्नाणी कम्मं, खवेइ बहुआहिं वासकोडिहिं । तं नाणी तिहिं गुत्तो, खवेइ उसासमित्तेण ॥ १ ॥ सदिलं वाससहस्सा, तिसत्तखुत्तोदएण धोएण । ગણુબિં તાઝિળા, ચન્નાબતપુર ગg ૨ तामलितणे तवेण, जिणमइ सिज्झइ सत्तजण । अन्नाणह दोसेण, तामलि ईसाणहि गओ ॥३॥ અર્થ-અજ્ઞાની, જે કર્મને ઘણા ક્રોડ વર્ષે ખપાવે, તે કર્મને ત્રણગુપ્તિવંત જ્ઞાની (નિગ્રંથ મુનિશ્વાસોશ્વાસ માત્રમાં ખપાવે. | ૧ | તામલિ તાપસે એકવીસવાર જલથી ધોઇને નિ:સત્વ કરી નાખેલ આહાર કરવાનું તપ, સાઠ હજાર વર્ષ સુધી કર્યું! છતાં તે અજ્ઞાન તપ હતો, તેથી અપફળવાળો છે. જે ૨. તામલિતાપસના તે તપથી જિનમતિ સાત-આત્માઓ મેક્ષ પામે! છતાં તામલિ તાપસ તે તપથી ઈશાન દેવલોકમાં જ ગયે ! nકા કલિંગીની પ્રશંસા ઉપર અરિહંત પ્રભુના ધર્મના પરમ ઉપાસક અને ગીતાર્થ મહાપુરૂષમાં શ્રદ્ધાવંત એવા શ્રી સિંહપુરવાસી લક્ષ્મણ શેઠનું દષ્ટાંત છે કે કઈ દિવસે સભામાં બેઠેલા તે લક્ષમણ શ્રેષ્ઠીએ કે ઈ માસોપવાસી પરિવ્રાજકને તપસ્યામાં વખાણે. તે સાંભળીને સભામાં બેઠેલ લેકમાંથી બે શ્રાવક, તે પરિવ્રાજકને નમવા સારૂ આદરથી ગયા. પરિવ્રાજકે તે બંને શ્રાવકને એવી કારમી રીતે ભરમાવ્યા કે–તે બંને શ્રાવક, અરિહંત ધર્મની નિંદા કરતા થઈ ગયા. પરિણામે તે બંને જણ કાળ કરીને નારક આદિ અનેક ભમાં ભમ્યા. લક્ષ્મણ શેઠ તે દીર્ઘકાળ ધમોરાધના કરી સૌધર્મ દેવલોકમાં દેવ થયા. ચ્યવન કાળ નજીક આવતાં તે શેઠે પિતાના મોક્ષ બાબત શ્રી વિરપ્રભુને પૂછવાથી પ્રભુએ કહ્યું કે-“તિર્યંચ ગતિના સાત ભવ પછી મનુષ્ય થઈશ, પરંતુ તે મનુષ્યભવમાં પણ આ ભવે કરેલી પરિવ્રાજકના તપની પ્રશંસાના દોષથી” તને સમ્યક્ત્વ અતિ દુર્લભ થશે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy