________________
માગે છે, અને તેમાં અતિશય અસાધારણ બળ વાપરવું પડે છે. મથી મથીને મરી જાય તે પણ પ્રગટ પરમાત્મસ્વરૂપના અવલંબન વિના પોતાની મેળે પરમ પદની પ્રાપ્તિ દુર્ધટ છે, પણ તે પરમ પુરુષના અવલંબને તે સાવ સુઘટ–સુગમ થઈ પડે છે. જે સંસાર સમુદ્ર સમાન તો અતિ દુસ્તર છે, તે પ્રભુના અવલંબને ગાષ્પદ સમાન લીલામાત્રમાં પાર ઉતરી જવાય એવું બની જાય છે. એટલા માટે શ્રી દેવચંદ્રજી જેવા પરમ ભાવિતાત્મા ભક્તશિરોમણિ ગાઈ ગયા છે કે–જિનઆલંબની નિરાલંબતા પામી નિજઆલબની થાય છે, તેથી અમે તે તે સમર્થ પ્રભુનું પ્રબલ અવલંબન રહી નિજ ગુણના શુદ્ધ નંદનવનમાં રમશું. તે એટલે સુધી કે નિજ સંપદાયુક્ત આત્મતત્તવ જ્યાં સુધી સંપૂર્ણ નહિં થાય ત્યાં સુધી હું આ જગગુરુદેવના ચરણ સદાય સેવ્યા કરીશ, યાવતુ બારમા ક્ષીણ મોહ ગુણસ્થાનના અંત પર્યત તેનું અવલંબન હું છોડીશ નહિં.
અતિ દુસ્તાર જે જલધિ સમ સંસાર જે,
તે ગેપદ સમ કીધે પ્રભુ અવલંબને ૨ લે. જિન આલંબની નિરાલંબતા પામે છે, તિણે હમ રમશું નિજ ગુણ શુદ્ધ નંદનવને રે લે.
જગત દિવાકર શ્રી નમીશ્વર સ્વામજો.” શ્રી દેવચંદ્રજી કારણ જેગે છે કારજ નીપજે રે, એમાં કઈ ન વાદ પણ કારણ વિણ કારજ સાબિયે રે, એ નિજ મત ઉન્માદ સંભવ.”
--શ્રી આનંદઘનજી આમ પરમ ઉપકારી જિનભક્તિરૂપ ઉત્તમ નિમિસ કારણનું આટલું બધું ગુણગૌરવ બહુમાન જ્ઞાની મહાત્મા ગાઈ ગયા છે અને આવા ભક્તિપ્રધાનપણે વર્તતાં જીવ
અધ્યાત્મ માર્ગે--મોક્ષસાધક ગરૂપ મેક્ષમાગે કેવી સરલતાથીભક્તિમાર્ગનું સુગમતાથી આગળ વધ્યે જાય છે, તે જ મહાગીતાર્થ પ્રાધાન્ય શ્રી આનંદઘનજી, શ્રી દેવચંદ્રજી, શ્રી યશોવિજયજી આદિ
ભક્તશિરોમણિ મહાત્માઓએ પિતાના ભક્તિરસનિર્ભર સ્તવમાં બતાવી આપ્યું છે. એટલે જ્ઞાનયેગ-કમગ અને ભક્તિયેગ એ ત્રણેમાં ભક્તિમાર્ગ ઉત્કૃષ્ટ છે, કારણ કે જ્ઞાનમાર્ગ કા પારે હે જીરવે મુશ્કેલ છે, ક્રિયામાર્ગ તરવારની ધાર જે સરકણે હેઈ આચરે દુષ્કર છે, ભક્તિમાર્ગ આબાલવૃદ્ધ સર્વને માટે સેવા સુગમ છે. આ અંગે શ્રીમદ્ રાજચંદ્રજીના મનનીય વચને છે કે--
“જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે, પરમાવગાઢ દશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાનાં ઘણા સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વછંદતા, અતિપરિણામિપણું એ આદિ કારણે વારંવાર જીવને તે માર્ગ પડવાના હેતુઓ થાય છે, અથવા ઊર્વભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી. ક્રિયામાગે અÇઅભિમાન, વ્યવહાર આગ્રહ, સિદ્ધિ મેહ, પૂજાસકારાદિ પેગ, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org