SearchBrowseAboutContactDonate
Page Preview
Page 821
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસ’હાર : ચમના સાર શમ, શમના સાર ચમ ૨૫) વિરતિરૂપ ઉપરઞ પામે છે, તે સ્વરૂપમાં શમનરૂપ ઉપશમ પામે છે; અને જે સ્વરૂપમાં શમનરૂપ ઉપશમ પામે છે, તે પરભાવથી વિરતિરૂપ ઉપરમ પામે છે. (૨ ) અથવા પરભાવ આત્માના સયમનરૂપ સયમ-યમ જે સેવે છે, તે સ્વરૂપમાં શમાવારૂપ શમ પામે છે, અને પ્રત્યે જતા જે સ્વરૂપમાં શમાયારૂપ શમ પામે છે, તે પરભાવ પ્રત્યે જતા આત્માના સચમનરૂપ સયમ-યમ પામે છે. અત્રે ઉપરમ-ઉપશમના આ ઉપક્રમ જણાય છે:- પ્રથમ તા જીવને ઉપશમ પરિણામ ઉપજે છે, જીવ શાંત થાય છે. એટલે તેને વિરતિભાવ ઉપજે છે, એટલે અહિંસાદિથી વિરામ પામે છે, તેથી તેને શાંતિસુખનેા અનુભવ થાય છે, એટલે તે વિશેષ વિતિ કરે છે, તેથી તેને એર વિશેષ શમસુખનેા અનુભવ થાય છે, એટલે તે વિશેષ વિશેષ વિરતિ કરે છે, એથી શમસુખ એર અધિક થાય છે. આમ જેમ જેમ વિરતિનો માત્રા વધતી જાય છે, તેમ તેમ શમસુખની અધિકાધિક લહરીએ છૂટતી જાય છે. યાવત્ પૂર્ણ વિરતિ થતાં પૂર્ણ શમસુખના અનુભવ થાય છે ને આત્મા નિજ સ્વરૂપમાં શમાય છે, વળી આ યમપાલન શમથી જ સાર છે-પ્રધાન છે. શમ ઉત્પન્ન થવા એ જ આ યમપાલનને સાર છે. જેટલે અંશે શમ ઉપજે તેટલે અંશે આ યમપાલનની સારભૂતતા. શમની ઉત્પત્તિ એ જ આ યમપાલનની સફળતાની ચાવી છે. જો આત્માને કષાયની ઉપશાંતિ થઇ, સર્વત્ર સમભાવ આવ્યા, સ્વરૂપ-વિશ્રાંતિરૂપ આત્મશાંતિ ઉપજી, તા સમજવું કે આ યમપાલનનું સારભૂત ફળ મળી ચૂક્યું છે. અને જેમ કાઇ પણુ પ્રવૃત્તિનું–ક્રિયાનું કંઇ ને કંઇ વિશિષ્ટ ફળ હાય છે જ, તેમ આ યમપાલનરૂપ પ્રવૃત્તિનું ક્રિયાનું સારભૂત ફળ આ શમ ' જ છે, કે જે શમસુખની આગળ ઇંદ્ર ચક્રવત્તી આદિનું સુખ તૃણમાત્ર પણ નથી. વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિજીનું વચનામૃત છે કે— 6 'શ્રી પ્રશમતિ. 'नैवास्ति राजराजस्य तत्सुखं नैव देवराजस्य । यत्सुखमिव साधोर्लोकव्यापाररहितस्य ॥ विपक्षचिन्तारहितं यमपालनमेव यत् । तत्स्थैर्यमिह विज्ञेयं तृतीयो यम एव हि ॥ २१७ ।। વિપક્ષ ચિન્તાથી રહિત, તે યમપાલન જેહ; તે સ્થય અહીં જાણવુ, ત્રીજો યમ જ છે તેહું, ૨૧૭ 66 વૃત્તિ:-વિપક્ષવિસ્તારતિક્—વિપક્ષ ચિંતા રહિત, અતિચારાદિ ચિ ંતાથી રહિત એમ અ છે, ચમારુનમેવ ચત્-જે યમપાલન જ વિશિષ્ટ ક્ષયે પશમવૃત્તિવડે કરીને, તત્ સ્થમિય_વિજ્ઞયમ્-તે અહીં યમામાં રથૈ જાણવુ, અને આ તૃતીયો ચમ ચઢે-તૃતીય યમ જ છે, સ્થિર્ યમ છે, એમ અથ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy