SearchBrowseAboutContactDonate
Page Preview
Page 798
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૦૨ ) ગદરિસસ્થય માંથી પણ સારભૂત પરમાર્થ સાધન સાધી લેવામાં તેનો સદુપયોગ કરી પિતાનું કામ કાઢી લે છે, અને પાકા વાણીઆની પેઠે તેને “કસ' કાઢે છે. દાખલા તરિકે-રસનેંદ્રિયને તે સપુરુષના ગુણસંકીર્તનના સારવાદથી સફળ કરે છે, શ્રવણેન્દ્રિયને પુરુષચરિત શ્રવણથી પાવન કરે છે. ઈત્યાદિ પ્રકારે બહિર્મુખ ઉપગથી પચે ઇંદ્રિયને વ્યાવૃત્ત કરી, તે આત્માને ઉપકારી થાય એમ અંતર્મુખ ઉપગ ભણી વાળી દે છે. “રહે અંતર્મુખ યોગ.” “જે પ્રસન્ન પ્રભુ મુખ શહે, તેહી જ નયન પ્રમાણ...જિનવર ! જે જિન ચરણે નામિયે, મસ્તક તે જ પ્રધાન.....જિનવર ! અરિહા પદકજ અરચિયે, તે સુલહિ જે હથ્થ...જિનવર ! જિન ગુણ ચિંતનમેં રમે, તેહિ જ મન સુષ્પથ્થ.... શ્રી ઋષભાનન.” “ભલું થયું મેં પ્રભુ ગુણ ગાયા, રસના ફળ લીધો રે; દેવચંદ્ર કહે હારા મનને, સકળ મને રથ સીધો રે.”- શ્રી દેવચંદ્રજી. આમ અહીં આ કુલગીના મુખ્ય છ લક્ષણ કા:-(૧) સર્વત્ર અષ–ગ્રહના અભાવને લીધે. આ ઉપરથી તેનું મધ્યસ્થપણું અને સમસ્ત જગત પ્રત્યે મૈત્રીભાવ સૂચવ્યું. (૨) દેવ-ગુરુ-દ્વિજનું પ્રિયપણું-ધર્મ પ્રભાવને લીધે. પદ્દશન- આ ઉપરથી ગુણ પ્રભેદ બતાવ્યું. (૩) દયાળુતા–કિaણ કર્મના સંમત ષડુ અભાવથી. આ ઉપરથી તેની દુઃખી પ્રત્યે અનુકંપા કહી. (૪) વિનીલક્ષણ તપણું–પુણ્યાનુબંધી પુણ્યને લીધે. આ ઉપરથી તેનું વિનયનમ્રપણું અને નિરભિમાનપણું કહ્યું. (૫) બોધવંતપણું–ગ્રંથિભેદને લીધે. આ ઉપરથી એનું સમ્યગદષ્ટિપણું, સત્ય સમજણપણું, સમ્યગુદર્શન-જ્ઞાનસંપન્ન પણું બતાવ્યું. (૬) યતેંદ્રિયપણું-ચારિત્રભાવને લીધે. આ ઉપરથી એનું સંયમીપણું દર્શાવ્યું. આ છએ લક્ષણ ઉપરથી ગર્ભિતપણે આ મુમુક્ષુ કુલોગીને સમગ્ગદર્શન-જ્ઞાન–ચારિત્રને સદ્દભાવ બતાવી સ્વભાવ–ગ સાધક સંપૂર્ણ મોક્ષમાર્ગની પ્રાપ્તિ બતાવી. આ ઉક્ત ષ લક્ષણ એટલા બધા સ્પષ્ટ, અવિસંવાદી અને વ્યવહારુ છે કે તે ઉપરથી કુલગી કોણ હોય? ને કે હેય? તેની સ્પષ્ટ પરીક્ષા થઈ શકે છે. આ ષડું લક્ષણ એવા વિશાળ ને સર્વગ્રાહી છે કે તે મુખ્ય પ દશનને સંમત થાય એવા તે જ સાચે છે. (જુઓ પૃ. ૫૫૮ ગીતાના લે.). આ લક્ષણ જેનામાં હોય તે જ જોગીજન” કુલગી છે, તે જ સાચો વૈષ્ણવજન છે, તે જ સાચે બ્રાહ્મણ છે, તે જ સાચે બૌદ્ધ છે, તે જ સાચે સાંખ્ય છે, તે જ સાચો જેન છે, તે જ સાચો વેદાંતી છે, તે જ સાચો મુમુક્ષુ છે, તે જ સાચો આત્માથી છે, અને તે જ પરમ યોગીશ્વર શ્રીમદ્ રાજચંદ્રજીએ પિતાની છેલી કૃતિમાં અમર કરેલે સાચે જોગીજન” છે. (જુઓ “ઇએ છે જે જોગીજન” પૃ. ૧૩) અને આવા લક્ષણવાળો જે જોગીજન હોય, તે જ અત્ર આ યોગશાસ્ત્રનો અધિકારી છે. આમ કુલયોગીનું સ્વરૂપ અત્ર કંઈક વિસ્તારથી યથામતિ વિવેચ્યું, તે સ્વમતિથી વિશેષ ચિંતવવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy