SearchBrowseAboutContactDonate
Page Preview
Page 787
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર : નામમાગ અનુયાયીઓ, ગોવયોગી તે કુલગી નથી ( ૬૯૧) ઠઠાડતા હોય, અથવા હઠગાદિ પ્રક્રિયાને બહાને જે લોકોને વેગ સંબંધી વ્યામોહ ઉપજાવતા હોય, અથવા વેગને નામે અનેક ધતીંગ ઉભા કરી જે મહાન ગ’ની મહાન “ગ” શબ્દની વિડંબના કરતા હોય, અથવા બેટી સમાધિ વિડંબના ચઢાવી જવાનો ડોળ કરી મુગ્ધ લેકેને વંચતા રહી જે યોગને નામે ચરી ખાતા હોય, અથવા જટાજૂટ વધારી જોગી આદિ વેષ ધારણ કરી જે જેગીમાં ખપતા હોય,-એ આદિ પણ કંઈ કુલગી નથી. તે તે ત્યાગની ઠેકડી ઉડાવનારા યુગવિડંબકો છે, યોગિકુલને હાંસીપાત્ર બનાવનારા છે, અને “ગ” જેવી પરમ પવિત્ર વસ્તુને અભડાવનારા છે! ઉપરમાં જે કુલગી કહ્યા, તે સિવાયના બીજાઓ જે ભૂમિભ-ગેવગીઓ છે, તે કાંઈ કુલગી નથી. ભૂમિભળે એટલે ભૂમિના ગુણને લીધે જે ભવ્ય કહેવાય છે તે. જેમકે-આર્યક્ષેત્રના-આ ભરતભૂમિના સંતાન ભૂમિભળે છે. તે ગોત્રયેગી તે ગેત્રગી છે, પણ કુલગી નથી, કારણ કે ભૂમિની ભવ્યતામાત્રથી કુલગી નથી કાંઈ જીવનું કલ્યાણ થઈ જતું નથી. પણ તથારૂપ અનુકૂળ નિમિત્ત પામી, જીવમાં જ્યારે ખરેખરી ભવ્યતા આવે તથારૂપ ગુણગ્યતા પ્રગટે, ત્યારે જ કલ્યાણ થાય છે. ભૂમિની ભવ્યતા આત્માનું કલ્યાણ થવામાં અનુકૂળ સામગ્રીની ઉપનતિમાં–જોગવાઈમાં અપેક્ષાકારણ જરૂર છે, પણ નિમિત્તકારણને આધીન એવું ઉપાદાનકારણ પ્રગટાવવામાં જે તેને ઉપયોગ કરાય, તે જ તે લેખે થાય છે, નહિં તે અલેખે છે. દાખલા તરીકેઆર્ય એવી આ ભવ્ય ભરતભૂમિમાં યોગિધર્મ પામવાની પૂરેપૂરી અનુકૂળતા છે, કારણ કે આ દિવ્ય ભૂમિમાં અનેક મહાન ગિવરેએ જન્મ લઈ આ અવનિને પાવન કરી છે. એટલે અત્રે યોગસાધન સામગ્રી પામવી સુલભ છે. પણ તે સાધનસામગ્રીનો જે યથેષ્ટ લાભ ઊઠાવવામાં આવે, ને આત્માનું તથારૂપ ગ્યપણું-ભવ્યપણું-સુપાત્રપણું પ્રગટ કરવામાં આવે, તે જ તે લેખે છે. બાકી ખાલી ભૂમિભવ્યતાથી કાંઈ વળે નહિં, મહાગીઓની ભૂમિ એવી ભવ્ય ભરત ભૂમિમાં જગ્યા માત્રથી કાંઈ ચોળી થઈ જવાય નહિં. એટલે ભૂમિભરૂપ શેત્ર ગીઓ છે, તે કાંઈ કુલગી કહેવાય નહિં. કુલગી થવા માટે તેવા મુમુક્ષતા યોગ્ય ગુણ પ્રગટાવવા જોઈએ. (જુઓ પૃ. ૩૧૬-૩૧૭) આ ગોત્રયેગી ને કુલગીનો તફાવત સ્થલરૂપે સમજવા માટે ગોત્ર અને કુલ શબ્દને તફાવત સમજવાની જરૂર છે. “કુલ” શબ્દ નિકટને વંશસંબંધ સૂચવે છે, ને “ગોત્ર” દૂરનો વંશસંબંધ સૂચવે છે. તેમ કુલગી યોગીકુલ સાથે નિકટનો વંશસંબંધ ધરાવે છે, અને ગોત્રયેગી દૂર દૂરને સગપણ સંબંધ ધરાવે છે. આ ઉપરથી આપણે એમ અનુમાન કરી શકીએ કે–જેને મોક્ષ નિકટમાં છે, સમીપમાં છે, તે આસન્નભવ્ય મુમુક્ષુ આત્માઓ “કુલગી' છે; અને જેને મોક્ષ હજુ ઘણે ઘણે દૂર છે, તે દૂરભવ્ય ભવાભિનંદી જી “ગેવગી ’ છે. એના વિશેષ લક્ષણને અધિકૃત કરી કહે છે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy