SearchBrowseAboutContactDonate
Page Preview
Page 783
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર : આધ્યાત્મિક સંસ્કાજન્મ, યોગિધર્મ એટલે શું ? ( ૬૮૭ ) “રઘુરાવો ધ' અર્થાત આત્મવસ્તુને ધર્મ તે આત્મધર્મ–વસ્તુધર્મ. આત્માનું સ્વભાવમાં વર્તવું તે ધર્મ, સ્વરૂપમાં સ્થિતિ હોવી તે ધર્મ, આત્માને સ્વરૂપમાં ધારી રાખવો તે ધર્મ. આ આત્માને સ્વભાવથું જનરૂપ ગ તે જ ધર્મ. એટલે જે આત્મસ્વભાવમાં વર્તે છે, સ્વરૂપમાં સ્થિતિ કરે છે, આત્માને સ્વરૂપમાં ધારી રાખે છે, આત્માના સ્વભાવયું જનરૂપ યોગને સાધે છે, તે સાક્ષાત્ ધર્મમૂર્તિ “ગી” છે અને તેને ધર્મ પણ તે જ છે. આમ ભેગી ધર્મ એટલે આત્મસ્વરૂપના અનુસંધાનરૂપ વસ્તુધર્મ–આત્મધર્મ, પરંપરિકૃતિનો પરિત્યાગ કરી, આત્મપરિણતિને અનુસરવું તે જ ગિધર્મ. તાત્પર્ય કે-આત્મસ્વભાવ સાથે યુજનરૂપ ગ જેણે સાધ્યો છે, જે સ્વરૂપસ્થિત છે તે “યેગી” છે. અને આત્મસ્વભાવ સાથે યુજનરૂપ ગ તે જ તેઓને વાસ્તવિક ધર્મ છે. આવા આત્મવિભાવરૂપ ગિધર્મને અનુસરવા જે નિત્ય પ્રયત્નશીલ રહે છે, તે કલગી છે. આત્માને અનુગત એટલે કે સર્વત્ર આત્માને આગળ કરી તેને અનુસરતી જેની સમસ્ત ભાવધર્મ પ્રવૃત્તિ છે, તે કલગી છે. આ આત્મ-અનુગત ભાવ સમકિત ગુણથી માંડીને શૈલેશી અવસ્થા પર્યત હોય છે, કે જેથી સંવર-નિર્જરા થઈ ઉપાદાન કારણ પ્રગટે છે, કારણ કે અત્રે સાધ્ય આલંબનને દાવ હાથે લાગેલ છે. (જુઓ પૃ. ૪૯૬, ૫૨૧-૫૨૨). સમકિત ગુણથી હે શેલેશી લગે, આતમ અનુગત ભાવ” સંવર નિર્જરા હે ઉપાદાન હેતુતા, સાથાલંબન દાવ.” દેવચંદ્રજી. અને આમ સદા આત્મ-અનુગત ભાવ હોવાથી જ આ સમ્યગદષ્ટિ યોગીપુરુષ જેમ બને તેમ આત્મ-પદાર્થને વિરોધ ન આવે, વિરાધના ન થાય, એમ સર્વ વિધિનિષેધ આચરે છે, એટલે જેથી આમવસ્તુને વિરોધ ન આવે તે સર્વ “ધર્મ” કર્તવ્ય કરે છે, અને જેથી આત્મવરતુને વિરોધ આવે તે સર્વ અધર્મ કર્તવ્ય નથી કરતો. ટૂંકામાં તે “આરાધક” જીવ જ્ઞાન-દર્શન-ચારિત્ર સ્વભાવરૂપ ધર્મને આદરે છે, તે રાગદ્વેષાદિ વિભાવરૂપ અધર્મને પરિહરે છે; આમપરિણતિને ભજે છે ને પરપરિણતિને ત્યજે છે. અને આમ આત્મપદાર્થથી અવિધ એવો વિધિ-નિષેધ આચરી, તે “મહાજને પરિગ્રહેલ આત્મપદાર્થને ગ્રહણ “વિધિ કરે છે. (જુઓ કાવ્ય પૃ. ૩૯૭) એટલે જ આ ગિધર્મનો-મોક્ષમાર્ગનો અનુયાયી મુમુક્ષુ કુલગી, અજ્ઞાનરૂપ કર્મભાવને છેડી દઈ, નિજ વાસરૂપ-સ્વભાવસ્થિતિરૂપ મોક્ષભાવને ભજવા નિત્ય પ્રયત્નશીલ બને છે; અંધકાર સમા અજ્ઞાનનો જ્ઞાનપ્રકાશ વડે નાશ કરે છે, જે જે બંધના કારણે છે તે બંધનો પંથ જાણી, તે કારની છેદક એવી દશારૂપ મોક્ષમાર્ગને સેવે છે; રાગ દ્વેષ ને અજ્ઞાન એ કર્મની મુખ્ય ગ્રંથિ-ગાંઠ છે તેની જેના વડે નિવૃત્તિ થાય, એવા મોક્ષપંથને આરાધે છે અને સત્ ચૈિતન્યમય ને સર્વાભાસથી રહિત એ “કેવળ’ આમાં જેથી પામીએ, એ મોક્ષપંથની રીતિને અનુસરે છે. (જુઓ આત્મસિદ્ધિની ગાથા પૃ. ૨૭૧,૪૬૩) આ જે કહ્યો તે મોક્ષમાર્ગરૂપ ગીધર્મ માં-સનાતન વસ્તુધર્મમાં–શાશ્વત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy