SearchBrowseAboutContactDonate
Page Preview
Page 779
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર : કુલગી ને પ્રવૃત્તચકગી અધિકારી (૬૮૩) નથી, પણ તેનું કારણ બીજું જ છે. ગોત્રગીઓ જ્યારે યોગની અસિદ્ધિને લીધે અત્ર અધિકારી છે, ત્યારે નિષ્પન્ન યોગીઓ ગની સિદ્ધિને લીધે સિદ્ધગી પણ અનધિકારી છે. આ ગશાસ્ત્રનું પ્રયોજન તે યોગસિદ્ધિ માટે છે, અનધિકારી અને તે ગસિદ્ધિ તે આ નિષ્પન્ન-સિદ્ધ યોગીઓને હાંસલ થઈ ચૂકી છે, તે પછી તેઓને હવે આનું પ્રયોજન શું હોય ? જેણે ગસિદ્ધિ સાક્ષાત પ્રગટ પ્રયોગસિદ્ધ (Practice ) કરી બતાવી છે, જેણે સ્વભાવ-ગુંજન ચોગ સિદ્ધ કરી શુદ્ધ આત્મા પ્રગટ કર્યો છે, જેણે “સમયસાર” પ્રગસિદ્ધ કરી બતાવ્યો છે, એવા સિદ્ધયોગીને પછી આવા શબ્દરૂપ શાસ્ત્રનું (Theory ) શું પ્રયોજન હોય? યોગમાર્ગના પ્રવાસીને આ યોગશાસ્ત્ર માર્ગદર્શક ભેમીઓ ઉપયોગી થાય, પણ જેણે યોગમાર્ગનો પ્રવાસ પૂરો કર્યો છે, તેને હવે આ યોગશાસ્ત્રરૂપ ભૂમી આની ( Guide ) શી જરૂર? પ્રાસાદ પર ચઢવા માટે આલંબનની જરૂર પડે, પણ પ્રાસાદશિખરે ચઢ્યા પછી જેમ તેની જરૂર ન પડે તેમ યોગ પ્રાસાદ પર ચઢવા માટે હસ્તાવલંબનરૂપ આ ગશાસ્ત્રની સહાય લેવી પડે, પણ યોગ-પ્રાસાદના શિખરે ચઢી ગયા પછી તેની જરૂર કયાં રહી ? પર્વત પર ચઢવા માટે જેમ લાકડીના ટેકાની જરૂર પડે, પણુ પર્વતની ટોચે ચઢી ગયા પછી જેમ તેની કંઈ જરૂર ન રહે તેમ ચેગ-ગિરિ પર ચઢવા માટે આ ગણિરૂપ યષ્ટિના ટેકાની જરૂર પડે, પણ બધી ગભૂમિકાઓ વટાવી જઈ યોગગિરિના શૃંગે પહોંચ્યા પછી તેની જરૂર શેની હોય? કારણ કે ચઢેલાને ચઢવાનું શું? પામેલાને પામવાનું શું? સિદ્ધને સાધવાનું શું ? માટે નિષ્પન્ન-સિદ્ધ ચેગી પણ આ અપેક્ષાએ આ યોગશાસ્ત્ર-સાધનના અધિકારી છે. આમ ગેવગી અયોગી હોવાથી આ સશાસ્ત્રના અધિકારી છે, અને નિષ્પન્ન યેગી પરમ યોગી હોવાથી આના અધિકારી છે. માત્ર માધ્યમ બે પ્રકારના ગી કુલગી ને પ્રવૃત્તચક યોગી–આ યોગશાસ્ત્રના અધિકારી છે. કુલગી ને તાત્પર્ય કે–ગ્ય ગભૂમિકાથી દૂર એવા બાધક ભાવમાં વર્તતા પ્રવૃત્તચક જે” હોવાથી ગોત્ર ગી અત્ર અયોગ્ય છે, પરમ યેગ્ય એવી ચગભૂમિકાની પરાકાષ્ટારૂપ સિદ્ધ ભાવમાં વતા હોવાથી નિષ્પન્ન યોગી પણ અત્ર અયોગ્ય છે, અને યથાયોગ્ય એવી યોગભૂમિકારૂપ સાધક ભાવમાં વર્તતા કુલ યોગી અને પ્રવૃત્તચક્ર મેગી અવ્ર સુગ્ય છે-યથાગ્ય છે. અને એટલા માટેજ અડદિઠ્ઠી એ કહી સંક્ષેપે, યોગશાસ્ત્ર સંકેતેજી; કુલગી ને પ્રવૃત્તચક્ર જે, તેહ તણે હિત હેતેશ.”—બી છે. ૬. સજ્જા. ૮-૪ એઓનું વિશેષ લક્ષણ કહે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy