SearchBrowseAboutContactDonate
Page Preview
Page 698
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૦૨ ) તે મહામુનિ આંખના કણાની જેમ તે કષાયકણિકાને પણ સાંખી શકતા નથી, એટલે સર્વ આત્મપ્રદેશમાંથી પરમાણુ માત્ર કષાયકણને પણ કાઢી નાંખવા માટે તે સર્વાત્માથી પ્રવર્તે છે, અને નિષ્કષાયતારૂપ વીતરાગ ભાવને સાધે છે. પણ હવે અત્રે તો તે અતિ અતિ અ૮૫ કષાયભાવ પણ સર્વથા દૂર થઈ ગયા છે, વીતરાગતા પ્રાપ્ત થઈ ચૂકી છે, ઘાતિકને ક્ષય થઈ ચૂક્યો છે, એટલે અઘાતી એવા ભોપગ્રાહી કર્મને ક્ષય એક જ અત્ર હેતુ છે. અત્રે આ પરમ ભેગી જે દેહ ધારણ કરી રહ્યા છે, તે નામ-શેત્ર–ખાયુર્વેદનીય એ ચાર, આ ચરમ દેહમાં ભેગવવા ગ્ય પ્રારબ્ધ કર્મના ક્ષય અથે જ ધારણ કરી રહ્યા છે. એટલે તે દેહના નિર્વાહાથે જે ભિક્ષાટનાદિ ક્રિયા કરે છે, તે પણ તે ભપગ્રાહી કમના ક્ષય અથે જ કરે છે. આમ પૂર્વે સાંપરાયિક કર્મક્ષય એ ભિક્ષાટનાદિ ક્રિયાનું ફલ હતું, અને અત્રે ભોપગ્રાહી કર્મક્ષય એ ફલ છે. આમ કુલભેદથી દષ્ટિભેદ પ્રગટ છે. આ ઉપરથી તાત્પર્ય એ છે કે-જેને સર્વ કષાયનો ક્ષય થયે છે એવા વીતરાગ પરમ ભેગી જ્યાં લગી આ છેલ્લા દેહની આયુસ્થિતિ છે ત્યાં લગી પૂર્વ પ્રારબ્ધોદયથી વિચરે છે, અને એમ કરીને પોતાના શિષ કર્મને ત્રણાનુબંધ ચૂકવી આપી ‘દેહ છતાં જેની નિર્જરી નાંખે છે. આમ પૂર્વ પ્રોગથી વિચરતા જ્ઞાની પુરુષ, દેહ દશા, વત્ત છતાં દેહાતીત એવી પરમ અદ્દભુત કોત્સર્ગ દશા-જીવન્મુક્ત દેહાતીત દશાનો અનુભવ કરતા સતા, સદેહે મુક્ત વર્તે છે. આવા વિદેહદશા સંપન્ન કેવલિ ભગવાન પરમાર્થ મેઘની વૃષ્ટિ કરી ભવ્યજનેને બોધ કરતા ભૂતલ પર વિચરે છે, ને પરમ જનકલ્યાણ-લોકોપકાર કરે છે અને આવા જંગમ કઃપવૃક્ષ સમા શુદ્ધ આત્મસ્વરૂપ જિનરાજને ધન્ય આત્માઓ સેવે છે. જેમકે – “અજિતવીર્ય જિન વિચરતા રે....મન પુષ્કર અર્ધ વિદેહ રે...નિ. જંગમ સુરતરુ સારિખ રે.....મન સેવે ધન્ય ધન્ય તેહ રે.ભવિ. ”શ્રી દેવચંદ્રજી. દેહ છતાં જેની દશા, વ દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં, હે વંદન અગણિત ” –શ્રી આત્મસિદ્ધિ तन्नियोगान्महात्मेह कृतकृत्यो यथा भवेत् । तथायं धर्मसंन्यासविनियोगान्महामुनिः ॥ १८१ ।। કૃત્તિ-વોત્ત-તેના નિયમથી, રનના નિયમથી, મા-મહાત્મા અહીં લેકમાં, તો થા મ-જેમ કૃતકૃત્ય હોય છે, કોઈ રત્વવણિક્ કૃતકૃત્ય હોય છે; તથાથં-તેમ આ, અધિકૃત યોગી, ધર્મસંવાનિયોજ-ધર્મ સન્યાસના વિનિયોગથકી, મહામુનિ મહામુનિ, કૃતકૃત્ય હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy