SearchBrowseAboutContactDonate
Page Preview
Page 697
Loading...
Download File
Download File
Page Text
________________ પા દ શિક્ષા દષ્ટિથી નિયાજન દષ્ટિ ભિન્ન, નિષ્કષાય “સાધુ ' ( ૬૦૧) દષ્ટિમાં અને જીવન-વ્યવહાર શાળાની શિક્ષિત અનુભવસિદ્ધ દષ્ટિમાં ઘણે જ ફરક હોય છે. તેમ અત્રે પણ આચારની બાબતમાં પ્રારંભિક સાધક યોગીની દષ્ટિ કરતાં, યેગારૂઢ સિદ્ધ યોગીની દષ્ટિ ભિન્ન-જુદા પ્રકારની હોય છે. અથવા તે સંગીત શાસ્ત્રથી અનભિજ્ઞ–અજાણ જેમ પહેલાં તે આલાપ લેતાં શીખે છે, સ્વરના પ્રકાર વગેરે સંબંધી જ્ઞાન મેળવે છે. આમ શીખતાં શીખતાં અનુક્રમે તે સંગીત કલામાં પ્રવીણ બને છે, અને તેમાં એને હાથ એ બેસી દષ્ટિ ભિન્ન જાય છે કે ગ્રામ-મૂછનાદિ પ્રકાર તેને સહજ સિદ્ધ થાય છે, ગમે ત્યમ એહજી” ત્યારે ગમે તે રાગ છેડી તન્મયતા સાધી તે ઉસ્તાદ જન-મનોરંજન કરી શકે છે. આમ પ્રથમની અશિક્ષિત આલાપકલા કરતાં તેની હવેની સુશિક્ષિત આલાપકલા સાવ જૂદી જ તરી આવે છે. તેમ અત્રે પણ આચાર પરત્વે પ્રથમની અભ્યાસદશામાં સાધક યેગીની જે દષ્ટિ હોય છે, તેના કરતાં ગીતાર્થ નિષ્પન્ન જ્ઞાનદશામાં દષ્ટિ ભિન્ન હોય છે.-આમ રત્ન, કે માતૃકાક્ષર, કે સંગીત આદિ છે તો તેના તે, પણ તેના પ્રત્યેની શિખાઉની દષ્ટિમાં ને શિક્ષિતની દષ્ટિમાં પ્રગટ ભેદ હોય છે, તેમ ભિક્ષાટનાદિ આચારક્રિયા છે તે તેની તે, પણ તેના પ્રત્યેની સાધક ભેગીની દ્રષ્ટિ કરતાં અત્રે સિદ્ધનિષ્પન્ન યોગીની દષ્ટિ ભિન્ન જ-જૂદા જ પ્રકારની-ઓર જ હોય છે. કારણકે પૂર્વે સાંપરાયિક-કષાય સંબંધી કર્મક્ષય એ આચાર ક્રિયાનું ફલ હતું, હવે ભપગ્રાહી કર્મક્ષય એ ફલ છે. પૂર્વે નિથિ મુનિની સમસ્ત પ્રવૃત્તિ કષાય સંબંધી કર્મક્ષય કરવા માટે હતી, જેમ બને તેમ સૂફમમાં સૂક્ષ્મ ફિલભેદ કષાયને પણ ક્ષય કરવા અર્થે હતી, તે સંયમીનો દેહ પણ માત્ર સંયમને માટે હતો, અને તે દેહ દ્વારા સંયમયાત્રાના નિર્વાહ અથે જ ભિક્ષાટનાદિ ક્રિયા આવશ્યક હતી, તથા એ બધુંય કષાય-ભાવ દૂર કરવા માટે જ-પૂર્ણ વિતરાગતા આણવા માટે જ હતું. કારણ કે સાચા “સાધુને કવચિત્ હોય તે અતિ અતિ સૂક્ષમ એ સંજવલન કષાય જ હોય, એથી અધિક કષાયઝ હાય જ નહિં, છતાં * શ્રીમાન હરિભસૂરિજી શ્રી પંચાશક સશાસ્ત્રમાં સ્પષ્ટપણે કહે છે કે- સાધુ” ને કાલદોષથી હેય તે કવચિત સંજવલન કષાયને ઉદય હેય, બાકી તે કપાય હેય જ નહિં, અને જે હોય તો તે સાધુ જ નથી, કારણ કે સર્વેય અતિચાર સંજવલનના ઉદયથી હોય છે, પણ અનંતાનુબંધી આદિ બાર કષાયના ઉદયથી તો સચોડે વ્રતભંગ થતો હોવાથી મૂલછેદ્ય પ્રાયશ્ચિત્ત લાગે છે afમાજ વિ તદ જેવું કંઢળ જણાયા , माइठाणं पायं असई पि हु कालदोसेण ॥ सन्चेविय अइयारा संजलणाणं तु उदयओ होति । મૂ i વાર નાથri ”—શ્રી પંચાશક, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy