SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ (૫પર ) યોગદષ્ટિસમુચ્ચય હોય છે. મોહાંધકાર હરનારી મીમાંસાદીપિકાના૪ તત્વપ્રકાશવડે સદાય હિતેાદય કરીને તેને સદાય આત્મકલ્યાણની–ધમની વૃદ્ધિ થયા જ કરે છે. તેને વસ્તુસ્વભાવરૂપ આત્મધર્મ અધિકાધિક અંશે ઉમીલન પામતે જાય છે, પ્રગટતો જાય છે. આમ તેની આત્મદશા ઉત્તરોત્તર ચઢતી કળાને પામતી જાય છે, તે ઉત્તરોત્તર ઉત્તમ આત્મગુણની શ્રેણી પર આરૂઢ થતો જાય છે. જેમ બીજનો ચંદ્રમાં ઉત્તરોત્તર ચઢતી કળાને પામી પ્રાંતે પૂર્ણતાને પામે છે, તેમ આ સમ્યગૃહણિ મહાત્મા યાગીને હિતરૂપ ચંદ્ર ઉત્તરોત્તર ચઢતી કળાને પામી પૂર્ણ સ્વરૂપ પણાને પામે છે. “ભગ તત્વને રે એ ભય નવિ ટળે, જૂઠા જાણે રે ભેગા તે એ દ્રષ્ટિ રે ભવસાયર તરે, લહે મુનિ સુયશ સંયોગ. ધન ધન શાસન શ્રી જિનવરતણુ!”—શ્રી . દ. સઝા, ૬-૯ કાંતા દષ્ટિ: કેપ્ટક ૧૨ દર્શન-તારા સમાન અન્યમુદ્ર ચિત્તદોષ ત્યાગ ગાંગ-ધારણું મીમાંસા-ગુણપ્રાપ્તિ – કાંતા દૃષ્ટિનો સાર – છઠ્ઠી કાંતા દષ્ટિમાં, આગલી દષ્ટિમાં જે નિત્યદર્શન, પ્રત્યાહાર, અશાંતિ, સૂકમબેધ વગેરે કહ્યું, તે તે હોય જ છે, અને તે બીજાઓને પ્રીતિ ઉપજાવે એવું હોય છે. તે ઉપરાંત અત્રે ધારણ નામનું છઠું ગાંગ પ્રાપ્ત થાય છે. એ પરમ ધારણાને લીધે અત્રે અન્યમુદ્ નામને ચિત્તદેષ હેતે નથી, અથત ચિત્ત ધર્મ શિવાય કોઈ અન્ય સ્થળે આનંદ પામતું નથી. અને હિદય કરનારી એવી નિત્ય મીમાંસા-વિચારણા અત્ર હોય છે. આ દષ્ટિમાં ધર્મના મહાને લીધે સમ્યક આચારવિશુદ્ધિ હોય છે. અને તેથી કરીને આ દષ્ટિવાળે યેગી પુરુષ પ્રાણીઓને પ્રિય થઈ પડે છે, અને તે ધર્મમાં એકાગ્ર મનવાળો હોય છે. એનું મન સદાય કૃતધર્મમાં લીન રહે છે, અને કાયા જ બીજા કામમાં હોય છે, જેમ પતિવ્રતા સ્ત્રીનું ચિત્ત ઘરનાં બીજા બધાં કામ કરતાં પણ + “મીમાંસાહીપિકા સાચાં મોઢવાવિનાશિની ! તવાદ્યોન સેન સ્થાન કરાવ્યસમાજ શ્રી દ્વા, દ્વા. ૨૪-૧૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy