SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ (પપ૦ ) ગદષ્ટિસમુચ્ચય આ મહાતત્વજ્ઞાની પુરુષ બીજી બધી પંચાત છોડી દઈ, શુદ્ધ આત્મધ્યાનમાં લીન થાય છે, અને ધ્યાવે છે કે-હું દેહાદિથી ભિન્ન એ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મતત્વ આત્મા છું. “ આ મહારા સ્વરૂપથી મૃત થઈ હું ઇદ્રિયદ્વારોથી મીમાંસા વિષયમાં પતિત-પડી ગયા હતા. તે વિષયને પામીને “હું” એમ મને મેં પૂર્વે તત્વથી ઓળખે નહિં! જે અગ્રાહ્યને ગ્રહતું નથી ને ગ્રહેલને મૂકતું નથી, જે સર્વથા સર્વ જાણે છે, એવું સ્વસંવેદ્ય તે “સત્ 'હું છું. તત્વથી બોધાત્મા–બોધસ્વરૂપ એવા મને સમ્યક્રપણે પેખતાં, રાગાદિ અત્રેજ ક્ષીણ થાય છે, તેથી કઈ મહા શત્રુ નથી, કે કોઈ હારા પ્રિય મિત્ર નથી. મને નહિં દેખતે એ આ લોક નથી મહારો શત્રુ કે નથી મારે મિત્ર.” આમ બહિરાત્માને ત્યજી અંતરાત્મામાં વ્યવસ્થિત થયેલ જ્ઞાની પુરુષ ભાવે છે કે- જે પરમાત્મા છે તે હું છું, ને જે હું છું તે પરમ છું. તેથી હુંજ મહારાથી ઉપાસ્ય છું, અન્ય કોઈ નહિં એમ સ્થિતિ છે. વિષયમાંથી મને પ્રયુત કરાવી, મહારાથીજી મહારામાં સ્થિત એવા પરમાનંદમય બેધાત્માને હું પ્રપન્ન થયેલ છું, પ્રાપ્ત થયેલો છું.” ઈત્યાદિ પ્રકારે આત્મભાવનાના પરિભાવનથી તે દશનમેહનો ક્ષય કરે છે. અને તેથી કરીને દેહથી ભિન્ન એવા કેવલ શુદ્ધ ચૈતન્યનું આત્માનુભવમય જ્ઞાન જ્યાં વસે છે, એવો પરમ સૂક્ષ્મબોધ તેને ઉપજે છે. એટલે પછી તેને તે શુદ્ધ સ્વરૂપનું એવું ધ્યાન પ્રવર્તે છે કે તે ચારિત્રમોહને પ્રક્ષણ-અત્યંત ક્ષણ કરવા ભણું પ્રવર્તે છે. જેમકે – ચારિત્ર મહ પરાજય સર્વ ભાવથી તે ઓદાસીન્ય વૃત્તિ-ઉદાસીન ભાવ કરે છે, અને તેનો દેહ માત્ર સંયમના હેતુએ જ હોય છે, બીજા કોઈ કારણે તેને બીજું કાંઈ કહપતું નથી, અને દેહમાં પણ તેને કિંચિત્ મૂછ હોતી નથી. મન, વચન, કાયાના સર્વત્ર ઔદા- યોગને તે જેમ બને તેમ સંક્ષિપ્ત કરે છે, અને તે ત્રણે સંક્ષિપ્ત ગની સીન્યર ગુપ્તિ- આત્મામાં સ્થિરતા કરે છે તે પણ મુખ્યપણે તે દેહની સ્થિતિ પર્યતસમિતિ ચાવજજીવ વર્તે છે. તે આત્મસ્થિરતા એટલી બધી દઢ હોય છે કે ઘેર પરીષહ કે ઉપસર્ગના ભયથી પણ તેને અંત આવી શકતો નથી. *" मत्तश्युत्वेन्द्रियद्वारैः पतितो विषयेष्वहम् । तान्प्रपद्याहमिति मां पुरा वेद न तत्त्वतः॥ यदनाां न गृह्णाति गृहीतं नापि मञ्चति । जानाति सर्वथा सर्व तत्स्वसंवेद्यमस्म्यहम॥ क्षीयन्तेऽत्रैव रागाद्यास्तत्त्वतो मां प्रपश्यतः । बोधात्मानं ततः कश्चिन्न मे शत्रुन च प्रिय.॥ मामपश्यन्नयं लोको न मे शत्रुन च प्रियः। मां प्रपश्यन्नयं लोको न मे शत्रुर्न च प्रियः ॥ यः परात्मा स एवाहं योऽहं स परमस्ततः । अहमेव मयोपास्यो नान्यः कश्चिदिति स्थितिः॥ प्रच्याव्य विषयेभ्योऽहं मां मयैव मयि स्थितम् । बोधात्मानं प्रपन्नोऽस्मि परमानन्दनिवृतम् ॥" – શ્રી સમાધિશતક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy