SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૪ર ) ગદરિસમુચ્ચય કારણ હોય, તે ગૃદ્ધિહેતુપણાથી રાગાદિ ભાવોના કારણુપણાને લઈને વિષય કદન્નના અને કર્મ સંચયરૂપ મહા અજીર્ણના નિમિતપણાને લઈને કદન્ન જાણવા મનોરથ છે.' (ઉ. ભ. પ્ર. કથા) એવી તે કદન્નરૂપ ભિક્ષા ભક્ષણ કરવા ઈચ્છતો આ જીવ નાના પ્રકારના વિષય સંબંધી મનોરથ કરે છે – થાવત્ તે ચક્રવતી પણાના મનોરથ પણ કરે છે. અને આ ચક્રવત્તી પણ “ભગવાન સત સાધુઓને શુદ્ધ રંક જેવો પ્રતિભાસે છે, તો પછી શેષ અવસ્થાઓનું તો પૂછવું જ શું?” અને આવા કદન્ન જેવા આ ધન-વિષય-કલત્રાદિથી પૂરાઈ રહ્યા છતાં આ જીવને અભિલાષાનો વિચ્છેદ થતો નથી, એટલું જ નહિં પણ તેની તૃષા વિશેષ ગાઢપણે અભિવૃદ્ધિ પામે છે. કારણ કે જેમ ગાઢ શ્રીમમાં દવદાહથી તાપ પામેલ શરીરવાળા, પિપાસાથી–તરસથી અભિભૂત ચેતનાવાળા, મૂછીથી ઢળી પડેલા એવા કઈ પથિકને ત્યાં જ સ્વપ્નદર્શનમાં, પ્રબલ કલમાલાથી આકુલ એવા ઘણા ઘણા મહા જળાશય સમૂહે પીતાં પણ જરાય તૃષાની ન્યૂનતા ઉપજાવતા નથી; તેમ આ જીવને પણ આ વિષયાદિ વર્તે છે. તે આ પ્રકારે -અનાદિ સંસારમાં પરાવર્તન કરી રહેલા આ જીવે પૂર્વ દેવોને વિષે અનંતીવાર નિરુપચરિત એવા શબ્દાદિ ભેગો પ્રાપ્ત કરેલા છે, અનંત અમૂલ્ય રત્નરાશિઓ મેળવેલા છે, રતિના વિશ્વમોને ખંડિત કરે એવા વિલાસિની. વંદે સાથે વિલાસ કરેલા છે, ત્રિભુવનાતિશાયિની નાના પ્રકારની કીડાઓથી કીડન કરેલું છે. તથાપિ જાણે મહાબુભક્ષાથી-ભૂખથી કૃશ ઉદરવાળો હોય એમ આ જીવ શેષ દિનના ભુક્ત વૃત્તાંતને કાંઈ પણ જાણતા નથી!કેવલ તેના અભિલાષથી શોષાય છે!!! તેથી તૃપ્તિ ન તેને થાય, પણ બુભક્ષા વધતી જાય !” –શ્રી ઉ. ભ. પ્ર. કથા ( ડો. ભગવાનદાસ કૃત અનુવાદ) આવી કદન્નરૂપ આ વિષય મૃગતૃષ્ણાની પાછળ દોડવાથી આ જીવને આ બધી અનર્થ પરંપરા સાંપડે છે, અને તેને ભવસાગરનું ઉલંઘન થતું નથી, કારણ કે માયાજાલરૂપ તે માયાજલમાં તેને ગાઢ અભિનિવેશ-મિથ્યા આગ્રહ છે, એટલે તે તેને ઉલંધી જવાની હામ ભીડતો નથી, અને જ્યાં છે ત્યારે ત્યાં એટલે કે વિષય-કાદવમાં ડુક્કરની જેમ પડ્યો રહે છે !! स तत्रैव भवोद्विग्नो यथा तिष्ठत्यसंशयम् । मोक्षमार्गेऽपि हि तथा भोगजम्बालमोहितः ॥ १६८ ।। કૂત્તિ – –તે, માયામાં જેને જલને દઢ આવેશ છે તે, સરૈવ-ત્યાં જ, પથમાં, માર્ગમાં, મોનિઃ -ભવોદ્વિગ્ન હેઈ, યથા-જેમ, એ ઉદાહરણના ઉપન્યાસ અર્થે છે, તિgત્યવંશમ્ નિઃસંશય સ્થિતિ જ કરે છે, જલબુદ્ધિના સમાવેશથી, મોક્ષમાજ હિ-જ્ઞાનાદિ લક્ષણવાળા મોક્ષમાર્ગમાં પણ, તથા-તેમ અસંશય સ્થિતિ કરે છે, મોજશાસ્ત્રમોહતા-ભોગજંબાલથી-ગનિબંધત દેહાદિ પ્રપંચથી મોહિત એ તે એમ અર્થ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy