________________
ગુરુ સદ્દગુરુમાં અવશ્ય હવા યોગ્ય એવા આત્મજ્ઞાન–વીતરાગતા આદિ લક્ષણથી રહિત હોય, છતાં પિતાના મત–સંપ્રદાયના આગ્રહથી અને પોતાના માની લીધેલા કુલધર્મના મમત્વજન્ય રાગથી તેને ગુરુ માનવા તે પ્રગટ દષ્ટિરાગ પણું છે; અથવા જેના પ્રત્યે પિતાને રાગ છે એવા અમુક પુરુષવિશેષ જ સાચા છે ને તેમાં જ સર્વસ્વ છે, બીજા બધા ખોટા છે ને તેમાં કાંઈ નથી તે પણ દૃષ્ટિરાગનો પ્રકાર છે. આ દષ્ટિરાગ છોડ ઘણે મુશ્કેલ છે. શ્રી હેમચંદ્રાચાર્યજીએ તો વીતરાગ પાસે પિકાર પાડ્યો છે કે-હે ભગવદ્ ! નેહરાગ છોડવો સહેલું છે, કામરાગ છોડ હેલો છે, પણ આ દુષ્ટ દૃષ્ટિ રાગ છોડ સંતને પણ દેહિલે છે, ત્યજ છે. પણ સમષ્ટિપણમાં તે રાગ હેતે નથી, એટલે તેમાં તે વસ્તુનું વસ્તુસ્વરૂપે દર્શન થાય છે. સદેવનું, સદ્દગુરુનું, સદ્ધમનું સમ્યક સ્વરૂપ સમજી તેનું તથારૂપ પ્રતીતિમય માન્યપણું હોય છે. તાત્પર્ય કે દષ્ટિરાગમાં “મત નું માન્યપણું છે, અને સમ્યગૃષ્ટિમાં “સ”નું માન્યપણું છે. દષ્ટિરાગી “ મારું તે સાચું માને છે, અને સમ્યગદષ્ટિ “સાચું તે મારું” માને છે. આમ એ બન્નેને પ્રગટ ભેદ છે. એટલે સુજ્ઞ તેમાં ક્રાંતિ પામે નહિં “દૃષ્ટિરાગનો પિષ તેહ સમકિત ગણું, સ્યાદવાદની રીત ન જાણું નિજ પણું.”—શ્રી દેવચંદ્રજી
માટે સમ્યગ દષ્ટિ ઇચ્છનારા મુમુક્ષુએ તે દષ્ટિરાગ ને દ્રષ્ટિઅંધપણારૂપ અંધશ્રદ્ધાને છોડી દઈ, દષ્ટિઅંધ એવા અજ્ઞાની અસદગુરુને ત્યજી સમ્યગદષ્ટિસંપન્ન જ્ઞાની વીતરાગ સદગુરુનું જ આલંબન ભજવું જોઈએ. કારણ કે ચર્મચક્ષુને અગોચર એવી બિના નયનકી બાત” “બિના નયન પાવે નહિં _દિવ્ય નયન વિના પામે નહિં, પણ સેવે સદૃગુરુ કે ચરન, સો પાવે સાક્ષાત.”-આગમ પણ ગુરુગમ વિના અગમ થઈ પડે છે. કારણ કે આગમ એ આત્માનુમવી જ્ઞાની પુરુષના વચન હેઈ, સાક્ષાત્ અનુભવજ્ઞાનીઆમાનુભવી એવા પારમાર્થિક સદગુરુ જ તેના મર્મને-હદયને-રહસ્યને પામે છે, અને તે જ એક તે બતાવવાને સમર્થ છે. એટલે પ્રજ્ઞારૂપ શલાકામાં પ્રવચનરૂપ દિવ્ય અંજન લઈ સદ્દગુરુ આંજે, “જ્ઞાન-અંજનશલાકા” કરે, તે જ જીવને આ દષ્ટિરોગ દૂર થાય. તો જ આ દિવ્ય નયન ઉન્મીલન પામે, તો જ આ દિવ્ય ચક્ષુ ઉઘડે અને સન્માર્ગની પ્રાપ્તિ થઈ મેરુ સમા મહામહિમાવાન્ પરમ ગુણનિધાન શુદ્ધ આત્માનું સાક્ષાત્ દર્શન થાય.
પ્રવચન અંજન જે સદગુરુ કરે, દેખે પરમ નિધાન;
હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન, ”—શ્રી આનંદધનજી, શાસ્ત્રમાં ગીતાર્થને જ ગુરુપણાનો અધિકાર કહ્યો છે એમાં ઘણું રહસ્ય છે અને તે એ જ વાતને પુષ્ટ કરે છે, કારણ કે ગીતાર્થ એટલે કેટલાક લોકો માત્ર સૂત્રપાઠી સમજે છે એમ નહિં, પણ જેણે શાસ્ત્રનો–સૂત્રનો અર્થ–પરમાર્થ ગીત કર્યો છે, અત્યંત હૃદયગત-પરિણત કર્યો છે, સંગીતની જેમ અવિસંવાદીપણે આત્મામાં તન્મય-એકતાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org