SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૧૪) વિગદરિસાય આ છઠ્ઠી કાંતા દષ્ટિમાં (૧) આ જે હમણાં જ કહ્યું તે નિત્ય દર્શનાદિ બધુંય હોય છે, અને તે બીજાઓને પ્રીતિ ઉપજાવે છે–નહિં કે દ્વેષ. (૨) પરમ ધારણ હોય છે. ધારણા એટલે ચિત્તને દેશબંધ. (૩) અને આ ધારણાને લીધે અત્રે અન્યમા હતી નથી, અર્થાત અન્યત્ર હર્ષ હોતો નથી, કારણકે ત્યારે તે તે પ્રતિભાસને અગ હોય છે. (૪) તથા નિત્ય-સર્વકાળ સદવિચારાત્મક મીમાંસા-તત્ત્વવિચારણા હોય છે, કે જે સમ્યગૂજ્ઞાનના ફળપણુએ કરીને હિદયવંતી હોય છે. આ દષ્ટિને “કાંતા” નામ આપ્યું છે, તે યથાર્થ છે. કારણકે આ દષ્ટિમાં કાંતા એટલે પતિવ્રતા સ્ત્રી જે પરમાર્થભાવ હોય છે. જેમ પતિવ્રતા સ્ત્રો ઘરના બીજાં બધાં કામ કરતાં પણ પતિનું જ ચિંતન કરે છે, તેમ આ દષ્ટિવાળો સમ્યગૃષ્ટિ પુરુષ ભલે બીજું સંસાર સંબંધી કામ કરતો હોય, તે પણ તેનું ચિત્ત સદાય કૃતધર્મમાં જ લીન રહે છે. અથવા કાંતા એટલે પ્રિયા-હાલી લાગે છે. આ પ્રષ્ટિમાં સ્થિતિ કરતો પુરુષ કાંત-કમનીય-પરમ ૨૫ ભાસે છે, એટલે અન્ય જીવોને બહુ પ્રિય-હાલા લાગે એવા જનપ્રિય હોય છે, એટલે આ દષ્ટિને પણ “કાંતા” નામ ઘટે છે. અથવા આ દષ્ટિ ગિજનેને બહુ પ્રિય છે, એટલે પણ તે કાંતા છે. આમ ખરેખર “કાંતા” એવી આ છઠ્ઠી દ્રષ્ટિમાં પાંચમી દષ્ટિનો જે નિત્ય દર્શનાદિ ગુણગણ કહો, તે તે હોય જ છે, પણ તે વિશેષ નિર્મળ પશે. એટલે નિત્ય દર્શન, સૂક્ષમ બોધ, પ્રત્યાહાર, ધ્રાંતિત્યાગ આદિ અત્રે અવશ્ય અનુવર્તે છે જ, અને તેની ઓર બળવત્તરતા વર્તે છે. અત્રે જે દર્શન થાય છે તે સ્થિર દષ્ટિની પેઠે નિત્ય–અપ્રતિપાતી હોય છે, પણ વધારે નિર્મલ અને બળવાન હોય છે તેને તારાની ઉપમા ઘટે છે, કારણ કે તારાનો પ્રકાશ રત્નની જેમ સ્થિર હોય છે, પણ તેના કરતાં વધારે બળવાન તિહાં તારા તેજસ્વી હોય છે તારાનો પ્રકાશ આકાશમાં નિત્ય ચમકે છે, સદા પ્રકાશ' સ્થિર હોય છે, તેમ આ દષ્ટિવાળા સમ્યગુરષ્ટિ પુરુષને સમગ્ર દશન મય બોધ-પ્રકાશ ચિદાકાશમાં નિત્ય ઝળહળે છે, સદા સ્થિર પ્રકૃતિથી સ્થિત જ વર્તે છે. અત્રે દર્શન અર્થાત્ આત્માનુભવજન્ય સત્ શ્રદ્ધાવત બોધ એટલે બધો સ્પષ્ટ હોય છે કે તે તારાની પેઠે ચિદાકાશને નિરંતર ઉદ્યોતમય કરી મૂકે છે. વળી તારા જેમ આકાશમાં નિરાલંબન છતાં નિત્ય પ્રકાશી રહે છે, તેમ આ દ્રષ્ટિનો બાધ પણ નિરાલંબન છતાં સદા ચિદાકાશને પ્રકાશમાન કરે છે. અને જ્ઞાનીનું આ નિરાલંબનપણું પણ પ્રથમ તો પરમ જ્ઞાની એવા પ્રભુનું–પરમાત્માનું અવલંબન લેવાથી પ્રગટે છે, કારણ કે આ દુતર ભવસમુદ્ર પણ તે શુદ્ધ સહજન્મસ્વરૂપ પ્રભુના પ્રબલ અવલંબનથી પદ સમાન બની જાય છે, અને તે પ્રભુના જ અવલંબનબલથી આત્મા નિરાવલંબન પણું પામી નિજ ગુણરૂપ શુદ્ધ નંદનવનમાં રમે છે. એટલે જ આવા આ સમ્યગદર્શન પુરુષને બોધ અત્યંત સૂક્ષ્મ હોય છે. દ્રવ્યાનુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy