________________
સ્થિરાદ િધમને મર્મ-ધર્મનું વાસ્તવિક સ્વરૂપ
(૪૯૩) આત્માને પ્રત્યાહત કરી–પાછો ખેંચી લઈ, તે સ્વભાવરૂપ ધર્મમાં સ્થિતિ કરવા પ્રયત્ન કરે છે, ને તેમાં બાધા-હાનિ આવવા દેતા નથી. પરમ ધર્મમૂર્તિ શ્રીમદ રાજચંદ્રજીએ પિતાને તાદશ્ય આત્માનુભવ આલેખે છે કે –
“એક આત્મપરિણતિ શિવાયના બીજા જે વિષયે તેને વિષે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે. x x x અચલિત આત્મરૂપે રહેવાની સ્થિતિમાં જ ચિતેચ્છા રહે છે. x x એક આત્મપરિણામ શિવાય સર્વ બીજાં પરિણામને વિષે ઉદાસીનપણું વર્તે છે.”
–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક કલ્ય. ધર્મ એટલે વસ્તુને સ્વભાવ–‘વરઘુરાવો ઘણો’ વસ્તુનો સ્વભાવ તે ધર્મ. આત્મવસ્તુને સ્વભાવ તે આત્મધર્મ. જ્ઞાન-દર્શન–ચારિત્ર અથવા કેલ્કીર્ણ એક શુદ્ધ
જ્ઞાયક ભાવ એ આત્માને સ્વભાવ છે, માટે તેમાં વર્તવું તે જ ધર્મ એટલે? વાસ્તવિક ખરેખરો ધર્મ છે. અથવા શ્રી પ્રવચનસારમાં કહ્યું છે તેમ
“ચારિત્ર એ જ ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે, અને જે સામ્ય છે તે મોહ-ક્ષોભ વિનાનો આત્માને પરિણામ છે.” આમાં “રવરૂપમાં કચરણ તે ચારિત્ર છે, અર્થાત સ્વસમયપ્રવૃત્તિ તે ચારિત્ર છે. તે જ વરતુસ્વભાવપણાથી ધર્મ છે. અથૉતુ શુદ્ધ ચૈતન્ય પ્રકાશન તે ધર્મ છે. અને તે જ યથાવસ્થિત આત્મગુણપણાથી સામ્ય છે. અને સામ્ય તે દર્શનમોહનીય ને ચારિત્રમોહનીયના ઉદયથી ઉપજતા સમસ્ત મહ-ક્ષેભના અભાવથી અત્યંત નિવિકાર એવો જીવને પરિણામ છે.” આમ ચારિત્ર, ધર્મ ને સામ્ય એ ત્રણે એકાWવાચક છે.
આમ આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન, ને આત્માનું ચારિત્ર–એ રત્નત્રયીરૂપ શુદ્ધ આત્મધર્મમાં જેમ બાધા ન પહોંચે, તેમ વર્તવાને સમ્યગદષ્ટિ જીવ સતત ઉપગ રાખે છે. તાત્પર્ય કે જેમ બને તેમ આત્મા શુદ્ધ ઉપગમાં સ્થિતિ કરે તેમ કરવા મથે છે. ધર્મનું વાસ્તવિક સ્વરૂપ એ જ છે. બાકી થવહારધર્મના પ્રકારો પણ જે ઉપરોક્ત નિશ્ચયરૂપ ભાવધર્મના સાધક થતા હોય તો જ ભલા છે, રૂડા છે,–ભાવ વિના તે એ બધાય ફેગટ છે. (જુઓ પૃ. ૨૪૪-૨૪૫) સકલ જગત “ધરમ ધરમ” કરતું ફરે છે, પણ તે ધર્મને મર્મ જાણતું નથી. તે તો કોઈ વિરલા જ જાણે છે. ધર્મને મર્મ તે ઉપર કહ્યો તે-આત્મસ્વભાવમાં વર્તવું તે છે. જે દેહાધ્યાસ છૂટે, દેહમાંથી આત્મબુદ્ધિ
x “स्वरूपे चरणं चारित्रं स्वसमयप्रवृत्तिरित्यर्थः । तदेव वस्तुस्वभावत्वाद्धर्मः । शद्ध चैतन्यप्रकाशनमित्यर्थः । तदेव च यथावस्थितात्मगुणत्वात्साम्यम् । साम्यं त दर्शनचारित्रमोहनीयोदयापादितसमस्तमोहक्षोभाभावादत्यन्तनिर्विकारो जीवस्य परिणामः ।"
શ્રી અમૃતચંદ્રાચાર્યજીત પ્રવચનસાર ટકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org