SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ , પણું હાય છે, અથવા જ્ઞાનના અણું રૂપ-અપરિણમનરૂપ ઉન્મત્ત પ્રલાપ થાય છે. અંત મેહ ક્યો નથી, ‘સકલ જગત્ તે એઠવતું અથવા સ્વપ્ન સમાન ” જાણ્યું નથી, અને એવી અમેહરૂપ જ્ઞાનદશા ઉપજી નથી, છતાં ઉન્મત્તની જેમ ‘વાચાજ્ઞાન ' દાખવે છે કે ‘હુમ તા જ્ઞાની હૈ, બધેલા જ નહિ તે મુક્ત કૈસે હવે ?' તેમજ કૃત્રિમતા, દાંભિકતાદિ ક્રોષ પણ ઉપજે છે. ઇત્યાદિ પ્રકારે અનેક દોષની ઉપપત્તિ એકલા નિરાલંબન અધ્યાત્મચિંતનમાં સંભવે છે. પણ ભગવદ્ભક્તિના આલંબનથી તેવા કાઇ પણ દેોષની સંભાવના નથી હતી, અને આત્મા સ્વાભાવિક એવી અધ્યાત્મ ગુણશ્રેણીએ આરોહણ કરતા જાય છે. << સ્વરૂપ આકાંક્ષી મહાત્માએ એ એમ જિન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપ પ્રાપ્તિના હેતુ જાણ્યા છે. ક્ષીણમેહ ગુણુસ્થાનક પ ત તે સ્વરૂપ ચિંતના જીવને પ્રખળ અવલંબન છે. X X × વળી માત્ર એકલું અધ્યાત્મસ્વરૂપ ચિ ંતવન જીવને વ્યામે હુ ઉપજાવે છે; ઘણા જીવાને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા સ્વેચ્છાચારિપણ ઉત્પન્ન કરે છે; અથવા ઉન્મત્ત પ્રલાપ દશા ઉત્પન્ન કરે છે. ભગવાનના સ્વરૂપના ધ્યાનાવલંબનથી ભક્તિ. પ્રધાન ષ્ટિ થાય છે, અને અધ્યાત્મ દ્રષ્ટિ ગૌણ થાય છે. જેથી શુષ્કતા, સ્વેચ્છાચારિપણું અને ઉન્મત્તપ્રલાપતા થતાં નથી. આત્મદશામળ થવાથી સ્વાભાવિક અધ્યાત્મપ્રધાનતા થાય છે. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણાને ભજે છે, એટલે શુષ્કતાદિ દ્વેષા ઉત્પન્ન થતા નથી. અને ભક્તિમાર્ગ પ્રત્યે પણ જીગુપ્સિત થતા નથી. સ્વાભાવિક આત્મદશા સ્ત્રરૂપલીનતા પામતી જાય છે. જ્યાં અર્હતાદિના સ્વરૂપ-ધ્યાનાવલંબન વગર વૃત્તિ આત્માકારતા ભજે છે. ’ શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬૯૨. " મહર્ષિ કુંદકુંદાચાય જીએ પ્રવચનસારમાં કહ્યું છે કે ‘જે ભગવાન મહંતનુ સ્વરૂપ, દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે, તે પેાતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેના નિશ્ચયે કરીને મેાહ નાશ પામે. ' એટલે આમ ભક્તિમય અધ્યાત્મ અથવા અધ્યાત્મમય ભક્તિના માર્ગે ચઢતાં ઉક્ત દોષરૂપ પતનસ્થાના (Pit-falls ) નથી હાતા. ભક્તિપ્રધાન પણે વતાં જીવ અનુક્રમે ઉચ્ચ ઉચ્ચઅધ્યાત્મ ગુરુસ્થાને સ્પર્શીતા જાય છે, વ્યક્ત ગુણીના ગુણગ્રામથી ‘સહજ’ અધ્યાત્મ દશા પ્રગટે છે, અને છેવટે પૂર્ણ આત્મગુણવિકાસને પામે છે. આમ · પુષ્ટ નિમિત્ત 'રૂપ પ્રભુનું આલેખન-ધ્યાન આત્માને સ્વરૂપારોહણ કરવાના સુગમ ને શ્રેષ્ઠ ઉપાય છે, રાજમાર્ગ છે. વાટ દીવાની ઉપાસના કરતાં પાતે દીવા અને છે, તેમ આત્મા પરમાત્માની ઉપાસના કરતાં સ્વયં પરમાત્મા થાય છે. ઉપાસ્યની ઉપાસનાથી ઉપાસક પેાતે ઉપાસ્ય બને છે. “ નમે મુજ ! ના મુજ !' એવી મહા ગીતા આનદઘનજીએ ગાયેલી પરમ ધન્ય દશા પ્રાપ્ત થાય છે. અથવા આત્મા પોતે આત્મમંથન કરી પરમાત્મા બને છે, જેમ ઝાડ પેાતાને મથીને તે અગ્નિ * ܕ Jain Education International 'भिन्नात्मानमुपास्यात्मा परो भवति तादृशः । સિટીવ થોપાસ્ય મિન્ના મતિ તાદશી ॥ ’’—શ્રી પૂજ્યપાદ સ્વામી, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy