SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ દીપ્રાદષ્ટિ ભવવ્યાધિ ભિષવરોને બીજાધાનાદિપ્રદ બંધ (૪૧૩) यस्य येन प्रकारेण बीजाधानादिसंभवः । सानुबन्धो भवत्येते तथा तस्य जगुस्ततः ॥ १३५ ॥ સાનુબંધ બીજ આદિને, સંભવ જેને જેમ; તેને એએએ અહીં, બેધ કર્યો છે તેમ. ૧૩૫ અર્થ –જેને જે પ્રકારે સાનુબંધ બજાધાન આદિને સંભવ થાય, તેના પ્રત્યે તેવા પ્રકારે તેઓએ તેટલા માટે કહ્યું છે. વિવેચન “ભવરગના વૈદ્ય જિનેશ્વરૂ, ભાવીષધ તુજ ભક્તિ, દેવચંદ્રને શ્રી અરિહંતને, છે આધાર એ વ્યક્તિ, ”શ્રી દેવચંદ્રજી અને આમ ઉપરમાં કહ્યું તેમ આ મહાત્મા સર્વ ભવવ્યાધિના ભિષ છે–સંસારરોગના વૈદ્યરાજે છે, એટલા માટે જ જે પ્રાણીને જે પ્રકારે સાનુબંધ બીજાધાન આદિનો સંભવ થાય, તેવા પ્રકારે તેઓએ, કુશલ બીજધાનાદિ માલીની પેઠે, તેના પ્રત્યે ઉપદેશકાર્ય કર્યું. તે આ પ્રકારે – વનપતિથાય તેવો બોધ શાસ્ત્રના નિયમ પ્રમાણે કઈ છોડને ઊગવા માટે અમુક જાતનું ખાતર જોઈએ છે. કોઈ બીજા છોડને માટે બીજી જાતનું ખાતર ખપે છે. આમ જૂદા જૂદા છેડને માટે જુદી જુદી જાતનું ખાતર નાંખવું પડે છે. આ મુદ્દો લક્ષમાં રાખીને કુશલ માલી યોગ્ય ભૂમિમાં બીજાધાન થાય, બીજ રોપાય, ઊગી નીકળે, એવું ખાતર નાંખે છે. તેમ આ કુશલ ભષવરો પણ એગ્ય પાત્રવિશેષરૂપ શિષ્યની ચિત્તભૂમિમાં સમ્યગૂ બોધ-બીજનું આધાન થાય, પણ થાય, તેવું ભદ્રેગ ઉપજે એવું ઉપદેશરૂપ ખાતર નાંખે છે. માળી જેમ બીજાધાન થયા પછી પણ, બીજ રોપાયા પછી પણ, તેમાંથી અંકુરફણગો ફૂટે તેમ જલસિંચન કરે છે; તેમ આ નિપુણ વૈદ્યરાજે પણ તે તે શિષ્યને તે બધબીજ ઊગી નીકળી તેમાંથી અંકુર ફૂટે એવું સદુપદેશજલ સિંચે છે. પછી માળી જેમ તે કુમળા છોડને રક્ષવા માટે તેની આસપાસ વૃત્તિ-વાડ કરે છે, જ્યારે બાંધે છે, અને તેને પાણી પાયા કરે છે, તેમ આ નિષ્ણાત વૈદ્યરે શિષ્યના ઊગતા બોધરૂપ વૃત્તિ-વર-જે પ્રાણીને, ચેન પ્રવા -નિત્યદેશના આદિ લક્ષણવાળા જે પ્રકારે, થકાયાનાદિસંતક-બીજાધાન આદિને સંભવ -તથા પ્રકારે ભવેગ આદિ ભાવે કરીને, સાવધો અવતસાનબંધ થાય તેવા પ્રકારે ઉત્તર ગુણવૃદ્ધિ વડે કરીને, તે-આ સર્વજ્ઞોએ તથા-તેવા પ્રકારે તા-તેને. તેના પ્રત્યે, પશુ-કહ્યું છે, ગાયું છે, તતઃ-તેટલા માટે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy