SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ દીપ્રાદષ્ટિ : વિવિધ અનુષ્ઠાન અને તેનું ફલા ( ૩૮૯) દેષ ન ઉપજે. દેષ દૂર તે થાય છે, પણ તે દૂર થવાની પરંપરા ચાલુ રહેતી નથી. એક દેષ દૂર થાય, ત્યાં બીજા ઉભા જ છે. “આંધળે વણે ને પાડો ચાવે” એના જેવી પરિસ્થિતિ થાય છે! કારણ કે તેમાં ગુલાઘવ-ચિંતાદિ નિયમથી લેતા નથી; અર્થાત ગુણ-દોષના ગુરુલઘુભાવના પ્રમાણુનું ભાન અત્ર હેતું નથી. એટલે આર્યજને એને બાહ્ય–અપ્રધાન માને છે, કારણ કે તે અંદરખાનેથી મેલું છે, મલિન છે; અને દુષ્ટ રાજાના પુરને સુંદર કિલ્લાના યત્ન જેવું તે છે. કિલ્લાથી બહારના આક્રમણ સામે રક્ષણ મળે છે, પણ અંદરખાનેથી રાજા જ પોતે પ્રજાને લુંટીને પીડે છે ! ત્યાંની પ્રજાની આબાદી કેમ થાય ? તેમ આ સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનમાં બાહા દેષને અભાવ છતાં, અંદરખાનેથી આ કુરાજા જેવા તત્વજ્ઞાનરહિત પુરુષના અજ્ઞાન દોષને લીધે ગુણવૃદ્ધિ થતી નથી. (૩) ત્રીજાથી દોષવિરામ થાય છે, દોષ દૂર થાય છે, અને નિયમથી તે સાનુબંધ હોય છે, અર્થાત દોષ દૂર થવાની પરંપરા ચાલ્યા કરે છે, એક પછી એક દોષ દૂર થવાનું અનુસંધાન ચાલુ રહે છે. આ દેષવિગમને ઘરની આદ્ય ભૂમિકાના આરંભ સાથે સરખાવવામાં આવ્યો છે. ઘરને પાયે મજબૂત હોય, તો તેના ઉપર માળના માળ ઉપરાઉપરિ ચણી શકાય છે, તેમ આ અનુષ્ઠાનમાં ઉત્તરોત્તર દોષ દૂર થવાને અનુબંધ થયા જ કરે છે. આવું આ અનુષ્ઠાન ગુલાઘવ ચિંતાથી યુક્ત હોઈ, ગુણદોષના પ્રમાણુના બરાબર ભાનવાળું હોઈ, તેવું અનુબંધવાળું ઉદાર ફલ આપે છે. એથી કરીને અત્રે સર્વેય પ્રવૃત્તિ સદેવ મહાદયવાળી હોય છે. આવું આ અનુબંધશુદ્ધ અનુષ્ઠાન કુલગીઓને હોવાથી તેઓને સાનુબંધ ફલ પ્રાપ્તિ હોય છે. असंमोहसमुत्थानि त्वेकान्तपरिशुद्धितः। निर्वाणफलदान्याशु भवातीतार्थयायिनाम् ।। १२६ ॥ એકાંતે પરિશુદ્ધિથી, અસંમેહરૂપ કર્મ ભવાતીત અગામિન, શીધ્ર એ શિવશર્મ. ૧ર૬. જૂર:–અહંનોકુથાનિ–અસંમોહથી ઉદ્ભવેલા, યક્ત અસંહરૂપ નિબંધન-કારણવાળા, તે જ કર્મો તુ-તે, વળી, વાતશુદ્ધિત:- એકાંત પરિશુદ્ધિરૂપ કારણથી -પરિપાક વશે કરીને; શું ? તો કે- નિઝરાભ્યાસુ-શીધ્ર નિર્માણ ફલ દેનારા છે. કેને તે માટે કહ્યું-અવાતીતાર્થ વિનામૂ-સંસારાતીત અર્થ પ્રત્યે ગમન કરનારાઓને, એટલે સમ્યફ પરતત્ત્વવેદીઓને-પર તત્ત્વ જાણનારાઓને, એમ અર્થ છે. x “तृतीयाद्दोषविगमः सानुबंधो नियोगतः । गृहाद्यभूमिकापाततुल्यः कैश्चिदुदाहृतः॥ एतध्युदग्रफलदं गुरुलाघवचिंतया। अतः प्रवृत्तिः सर्वैव सदैव हि महोदया"॥ – આધાર માટે જુઓ ) ગબિન્દુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy