SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫૨ ) ઉત્તમ તત્ત્વને પામે છે, એટલે કે પાપ-સમાહની નિવૃત્તિ થકી ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. બીજી રીતે પ્રવૃત્તિ કરતાં તત્ત્વની ૧. અત્રે તત્ત્વપ્રાપ્તિના સૌથી પ્રથમ ઉપાય આગમ છે, કારણ કે આગમ એ તત્ત્વનું સાક્ષાત્ દન જેણે કર્યું છે એવા આત્માનુભવી સત્પુરુષનું વચન છે. તેવા પરમ પ્રજ્ઞાવંત તત્ત્વદ્રષ્ટાંતા વચનામૃતમાં બુદ્ધિને યેાજવાથી અર્થાત સત્પુરુષના વચનની બુદ્ધિપૂર્વ ક-સમજણપૂર્વક આરાધનાથી ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ જરૂર થાય. ૨. તત્ત્વપ્રાપ્તિના બીજો ઉપાય અનુમાન અર્થાત સન્યાયસ ́પન્ન યુક્તિવાદ છે. આ યુક્તિવાદમાં પ્રજ્ઞાના પ્રયાગ કરવાથી અથાત્ સન્મતિયુક્ત તર્ક કરવાથી તત્ત્વની વિશેષ પરીક્ષા થાય છે, વિશેષ ચકાસણી થાય છે, અને યુક્તિની કસોટીમાંથી પાર ઉતરતાં તત્ત્વની અત્યંત દઢતા થાય છે, સન્મતિતર્કનું યથાયેાગ્ય સમાધાન થતાં તત્ત્વવિનિશ્ચય થાય છે. પણ આ યુક્તિવાદ સન્યાયસ પન્ન હાવા જોઇએ. જેમ ન્યાયમૂર્ત્તિ નિષ્પક્ષપાતપણું-નિરાગ્રહપણું-મધ્યસ્થતાથી સત્ય ન્યાય તાલે, તેમ સન્મતિ પરીક્ષકે નિષ્પક્ષપાતપણે, નિરાગ્રહપણે, મધ્યસ્થતાથી તત્ત્વના તેાલ કરી, સુન્યાયસ ંપન્ન યુક્તિયુક્ત પક્ષના જ મુક્ત કંઠે સ્વીકાર કરવા જોઈએ,-જેમ આ યાગન્નિસમુચ્ચય શાસ્ત્રના કર્તા મહર્ષિ હિરભદ્રસૂરિજીએ કહી દેખાડયુ છે ને કરી દેખાડયુ છે તેમ; અથવા મેાક્ષમાળા નામક દર્શોનપ્રભાવક ગ્રંથમાં શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રદર્શિત કર્યુ છે તેમ. યોગદદિસમુચ્ચય શ્રુતાદિના ભેદે કરીને પ્રાપ્તિ થતી નથી. " पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु | युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः || —શ્રી હરિભદ્રાચાય જી. ܕܕ Jain Education International તેમજ આ યુક્તિવાદ આગમથી વિરુદ્ધ ન હાવા જોઇએ, પણ અવિરુદ્ધ હાવા જોઇએ, આગમને અનુકૂળ હોવા જોઇએ. કારણ આગમ એ સાક્ષાત્ તત્ત્વદ્રષ્ટા પુરુષનું વચન હેાઇ, તેનું સ્થાન યુક્તિ કરતાં ઘણું ઉંચું છે. એટલે આગમેાક્ત તત્ત્વનું સુયુક્તિથી પ્રતિષ્ઠાપન કરવામાં બાધ નથી, પણ ઉત્થાપન કરવામાં જરૂર બાધ છે. અને એટલા માટે જ અત્રે આગમનું સ્થાન પ્રથમ મૂક્યું છે. ૩. તથા તત્ત્વપ્રાપ્તિના ત્રીજો ઉપાય ચેાગાભ્યાસ રસ છે. સતશાસ્ત્રમાં જે ચાગઅનુષ્ઠાન વિહિત છે, તેના રસપૂર્વક અભ્યાસથી ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રમાં જે ચેગસાધન અર્થાત ધર્મબ્યાપાર વિધાન ખતાવ્યા છે, તેના પુન: પુન: આસેવનરૂપ અભ્યાસમાં રસ લઈ મતિ જોડવાથી આત્માની પરિણતિ વિશુદ્ધ થાય છે, અને પ્રજ્ઞા નિલ બને છે, તેથી તત્ત્વના ચમકારા તેમાં ભાસ્યમાન થાય છે. અત્રે ‘રસ ’ શબ્દથી ચેાગાભ્યાસમાં એકરસતારૂપ-તન્મયતારૂપ ભાવ સૂચન્મ્યા છે. આ ચેાગાભ્યાસનું સ્થાન અત્રે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy