SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪૬ ) ગદરિસસુચ્ચય મથે છે, અને એમ કરતાં તેઓને આત્મા-ધર્મ આદિ પદાર્થના અતીનિદ્રયપણાની વિશેષ પ્રતીતિ થાય છે. તે આ પ્રકારે – ઇંદ્રિય” એટલે ઈંદ્ર સંબંધિની. ઈદ્ર એટલે આત્મા જેનો સ્વામી છે તે ઈદ્રિય, અથવા જે પોતપોતાના નિયત ક્ષેત્રમાં અહમિદ્રની જેમ સર્વ સત્તાધીશ થઈને વતે છે તે ઇન્દ્રિય. તેના ક્ષેત્રમાં બીજાનું કંઈ ચાલતું નથી ને બીજાના ક્ષેત્રમાં ઈંદ્રને ઈંદ્ર તેનું કંઈ ચાલતું નથી. પિતપોતાની ક્ષેત્રમર્યાદાની બહાર કઈ ઇન્દ્રિયની આત્મા સત્તા ચાલતી નથી. જેમકે–આંખ દેખવાનું જ કામ કરી શકે છે, કાન સાંભળવાનું જ કામ કરી શકે છે. આંખથી સંભળાતું નથી, કે કાનથી દેખાતું નથી. આમ પ્રત્યેક ઇન્દ્રિયની સત્તા નાના ઠાકરડાની પેઠે પોતાના નાનકડા સ્વક્ષેત્ર પૂરતી જ મર્યાદિત છે. આવી સર્વ ઇંદ્રિયની સત્તાથી જે પર છે, તે ઇન્દ્રિયને પણ જે ઇંદ્ર-અધિષ્ઠાતા સ્વામી છે, તે “આત્મા” નામથી ઓળખાતી વસ્તુ છે. અત્રે કોઈ એમ શંકા કરે કે-આમા જેવી કઈ વસ્તુ જ નથી, કારણ કે તે દષ્ટિમાં આવતું નથી–નજરે ચડતો નથી, તેનું કોઈપણ રૂપ જણાતું નથી, તેમજ તેને બીજે કોઈ પણ અનુભવ થતો નથી. માટે જીવનું સ્વરૂપ છે જ નહિં. અથવા નથી દષ્ટિમાં દેહ જ આત્મા છે, અથવા ઇદ્રિય-પ્રાણ એ આત્મા છે, આત્મા જૂદો આવત” માનવો એ મિથ્યા છે, કારણ કે તેનું જૂહું એંધાણ નથી. વળી જે તે આત્મા હોય તે તે કેમ જણાતું નથી? જે તે હોય તો ઘટ-પટ વગેરેની જેમ જણા જોઈએ, માટે આત્મા જેવા કેઈ પદાર્થ નથી. અને તે પછી મેક્ષને ઉપાય પણ મિથ્યા છે-ફેગટ છે. નથી દષ્ટિમાં આવતે, નથી જણાતું રૂપ, બીજે પણ અનુભવ નહિં, તેથી ન જીવવરૂપ. અથવા દેહ જ આતમા, અથવા ઈદ્રિય પ્રાણ; મિથ્યા જૂદો માન, નહિં જુદું એંધાણ. વળી જે આત્મા હેય તે, જણાય તે નહિં કેમ? જણાય છે તે હોય તે, ઘટ પટ આદિ જેમ. માટે છે નહિં આતમા, મિથ્યા મોક્ષ ઉપાય; એ અંતર શંકાતણે, સમ જાવ સાદુ પાય, ” શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ, આમ કોઈ દેહામવાદી કે જડવાદી દલીલ કરે તે કેટલી બધી પિકળ છે, એ ઉપર કહેલા ઇન્દ્રિયના સ્વરૂપ પરથી રહેજે સમજી શકાય છે. કારણ કે જે દ્રષ્ટિને પણ દ્રષ્ટા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy