SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ દીમાદ: છદ્મસ્થ કક૫નારૂપ કુતર્કનું અસમંજસપણુ (૩૩૯) કુતર્કને આરો નથી ! માટે આવો કતર્ક સર્વથા અસમંજસ, અગ્ય, અનુચિત છે, ઢંગધડા વિનાને-ઠામઠેકાણા વિનાને છે, એમ તાત્પર્ય છે. અને એટલા માટે જ આત્માથી મુમુક્ષુ જોગીજને તેને સવ થા દરથી પરિત્યાગ કરવો એગ્ય છે. આ જ અર્થને વિશેષથી કહી દેખાડવા કહે છે – अतोऽग्निः क्लेदयत्यम्बुसन्निधौ दहतीति च। अम्ब्वग्निसन्निधौ तत्स्वाभाव्यादित्युदिते तयोः ।। ९३ ॥ એથી જલ સન્નિધાનમાં, અનલ ભીંજવે વાહ! સન્નિધાનમાં અનલના, જલ ઉપજાવે દાહ; એમ તેહ બ તણા, તથા સ્વભાવે થાય; એમ કે વાદિ થકી, જ્યારે કથન કરાય; ૯૩. અર્થ એટલા માટે પાણીની હાજરીમાં અગ્નિ ભીંજવે છે, ને અગ્નિની હાજરીમાં પાણી દઝાડે છે,-એમ તે બન્નેના તેવા સ્વભાવપણાને લીધે થાય છે, એવું કેઈથી જ્યારે કળવામાં આવે ત્યારે– વિવેચન ઉપરમાં કહેલી વાતને વિશેષથી કહી દેખાડે છે-પ્રસ્તુત વસ્તુસ્વભાવ અવગ્રહ—િ છવાસ્થને ગેચર નથી, છદ્મસ્થ તે સ્વભાવને યથાર્થ જાણી શકતો નથી. એટલા માટે જ અગ્નિ, પાણુની સંનિધિમાં-નિકટ હાજરીમાં, ભીંજવે છેઅથવા પાણી, અગ્નિની સંનિધિમાં-નિકટ હાજરીમાં દઝાડે છે, કારણ કે અગ્નિને ને પાણીને તે તે સ્વભાવ છે,-એમ કઈ વાદી જ્યારે દલીલ કરે છે. ત્યારે શું? તેનું અનુસંધાન નીચેના લોકમાં કહ્યું છે. અગ્નિનો અસલ સ્વભાવ ઉષ્ણ છે, અને તેથી દઝાય છે એમ આબાલવૃદ્ધ સર્વ કઈ જાણે છે, છતાં કુતર્ક કરનારે કહેશે કે-અગ્નિનો સ્વભાવ ભીંજવવાનું છે, કારણ કે અગ્નિ પાણીની હાજરીમાં ભીંજવે છે, ઉષ્ણ જલ ભીંજવે છે, એ પ્રત્યક્ષ દેખાય છે. શુત્તિઃ કારણ કે અધિકૃત–પ્રસ્તુત સ્વભાવ અર્વાગુદગોચર-છવાસ્થની દૃષ્ટિને ગોચર નથી, તો-એથી કરીને, એ કારણથી, નિઃ રતિ-અગ્નિ ભીંજવે છે; પ્રત્યક્ષ વિરોધના પરિહાર અર્થે કહ્યું કે-ફુન્નિધો-જલની સંનિધિમાં, નિકટ હાજરીમાં. રાતિ વાળ્યુઅથવા પાણી દઝાડે છે. પ્રતીતિ બાધા નથી એટલા માટે કહ્યું કે-અતિરસંનિધૌ-અગ્નિની સંનિધિમાં ( અગ્નિની નિકટ હાજરીમાં). આ એમ કેમ છે ? તે માટે કહ્યું- ત મારવાવ -તે બનેના તે સ્વભાવપણાને લીધે. અગ્નિને તે પાણીને તે સ્વભાવ છે તેથી કરીને, ફરિતે-પરવાદથી કહેવામાં આવ્યું,-એમ એમ જ્યારે કોઈ પર વાદી કહે છે ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy