SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨૪) ગદષ્ટિસમુચ્ચય વિશ્રાંત થયેલું પશુનું જ્ઞાન તરફથી સદાય છે. પણ જે તત–તે છે, તે તત્ અહીં સ્વરૂપથી છે, એવું સ્વાદુવાદીનું જ્ઞાન તે અત્યંત ઉમગ્ન ઉપર તરી આવતા ઘન સ્વભાવભરથી પૂર્ણ થઈ સમુન્જન પામે છે, ઉલસી આવી ઉપર તરતું રહે છે....* આવું અબઝ-ગમાર પશુપણા જેવું મિથ્યાત્વકારણ અસંવેદ્યપદ જેમ જેમ જીતાય છે, તેમ તેમ તે મિથ્યાત્વને આધીન-તે મિથ્યાત્વથી જ ઉદ્દભવતા એવા વિષમ કુતર્કરૂપ ગ્રહો પોતાની મેળે જ નિવતી જાય છે, દૂર થાય છે, કારણ મિથ્યાત્વજયે કે નિમિત્તનો અભાવ થાય એટલે નૈમિત્તિકનો અભાવ થાય જ એવો નિયમ કુતર્કગ્રહ- છે. કુતર્કોનું જન્મસ્થાન મિથ્યાત્વ છે. એટલે જેવું મિથ્યાત્વ દૂર થાય, નિવૃત્તિ કે તેની સાથોસાથ જ કુતર્ક પણ ચાલ્યો જાય છે, કારણ કે મૂળ કારણ નિમૅલ થતાં ઉત્તર કારણ નિર્મલ નિરાધાર થાય છે. મુખ્ય આધારથંભ તૂટી પડતાં જેમ મકાન જમીનદોસ્ત થાય છે, તેમ મિથ્યાત્વને આધાર તૂટી પડતાં કુતર્કની ઈમારત એકદમ ટી પડે છે. કુતર્કના હવાઈ કિલા (Castles in the air) ઝપાટાબંધ ઊડી જાય છે. જેમ રાજા છતાઈ જતાં આખી સેના છતાઈ જાય છે, તેમ મિથ્યાત્વનો જય થતાં તેના પરિવારરૂપ કુતર્ક–સેના પણ જીતાઈ જાય છે. અને આમ આ કુતર્ક નષ્ટ થાય છે તે આપોઆપ જ, પિતાની મેળે જ; એમાં પછી બીજાના ઉપદેશની પણ જરૂર રહેતી નથી. કુતર્ક એટલે કુત્સિત તર્ક, અસત-ખોટા તકે. જે સ્વરૂપથી પિતે જ દુષ્ટ છે, બેટા છે, અસત છે, મિથ્યા છે તે કતક. આ કુતર્કનો ગ્રહ એટલે કુટિલ આવેશરૂપ પકડ, અભિનિવેશ “વિષમ' કહ્યો તે યથાર્થ છે. કારણ કે તે ખરેખર વસમો છે, જીવને હેરાન હેરાન કરી મૂકે છે; વળી તે કુતર્કનું કોઈ જાતનું ઠેકાણું નથી, ઢંગધડો નથી, આમ પણ કૂદે ને તેમ પણ કૂદે, વાણીઆની પાઘડી જેમ ગમે તેમ ફેરવાય ! ખોટાનું સાચું ને સાચાનું ખોટું કરવું એ એનું કામ છે. ઈત્યાદિ પ્રકારે કુતર્કનું વિષમ પણું પ્રગટ છે. આવા કુતર્કને વિષમ “હ” ની ઉપમા અનેક પ્રકારે ઘટે છે –(૧) ગ્રહ એટલે સૂર્ય, ચંદ્ર, રાહુ આદિ ગ્રહ. તેમાં દુષ્ટ ગ્રહ-અનિષ્ટ ગ્રહ જેમ મનુષ્યને પીડાકારી - વસમો થઈ પડે છે, નડે છે, તેમ કુતરૂપ દુષ્ટ ગ્રહ મનુષ્યને હેરાન વિષમ “ગ્રહ” હેરાન કરી નાંખી વસમે પીડાકારી થઈ પડે છે, કનડે છે. અથવા જે કુતર્ક રાહુ જેવો પાપગ્રહ જેમ ચંદ્રને ગ્રસી તેને ઉત્તાપકારી થાય છે, તેમ આ કુતર્કરૂપી વિષમ પાપગ્રહ આત્મારૂપ ચંદ્રને ગ્રસી લઈ તેને અત્યંત + “વાહ્ય વિતત્તના નિમિત્ત द्विश्रांतं पररूप एव परितो ज्ञानं पशोः सीदति । यत्तत्तत्तदिह स्वरूपत इति स्याद्वादिनस्तत्पुन-- ટૂંકોમનઘનશ્વમાવતઃ પૂર્ણ સમુરમ જ્ઞતિ ”—સમયસારકલશ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy