SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ દીપ્રાદઃ પાલિથી પિતાના હાથે આત્માને ફાંસે ! (૩૧૩) અત્રે ભેગસાધનને ઇચ્છા પરિક્ષય નથી એમ કહ્યું, તે ઉપરથી ભેગ ક્રિયાને પરિક્ષય પણ નથી થતું એમ ઉપલક્ષણથી સમજવાનું છે, કારણ કે ભેગક્રિયા પણ ભેગઈચ્છા વિના ઉપજતી નથી, એટલે ભગઈચ્છાનો પરિક્ષય-નાશ ન હોય તે ભેગક્રિયાને પણ પરિક્ષય નથી થતો. ઇચછા-વાસના ટળે નહિં ત્યાં સુધી ભેગપ્રવૃત્તિ પણ ટળે નહિં. જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂવ”—-શ્રીમદ્ રાજચંદ્રજી. અને કારણ એમ છે તેથી – आत्मानं पाशयन्त्येते सदासच्चेष्टया भृशम् । पापधूल्या जडाः कार्यमविचार्यैव तत्त्वतः॥ ८२॥ ઉચટ્ટાથી જડ એ સદા, નાંખે જવને પાશ; પાપ ધૂળથી-તાવથી, વિના કાર્ય વિમાસ. ૮૨. અર્થ –આ જડ છે, તત્ત્વથી કાર્ય વિચાર્યા વિના જ, અત્યંત પણે અસત ચેષ્ટાથી આત્માને પામધૂલિવડે સદા પાશ નાંખે છે. વિવેચન ઉપરમાં કહ્યું તેમ સ્થિતિ હોવાથી, આ ભવાભિનંદી જીવ ક્ષણિક વિષયરૂપ કુસુખમાંખોટા માની લીધેલા કરિપત સુખમાં આસક્ત હેઈ, તે વિષયની પ્રાપ્તિ અર્થે હિંસા કરે છે, અસત્ય બોલે છે, ચોરી કરે છે, કુશીલ સેવે છે, પરિગ્રહ વધારે પિતાના હાથે છે, આરંભ આદિ કરે છે, અને તે તે પાપસ્થાનકેના સેવનથી તે ફાંસી! જ્ઞાનાવરણાદિ પાપકર્મ રૂપ ધૂલિ-રજ આત્મામાં નાંખી પિતાના આત્માને મલિન કરે છે ! તે પાપધૂલિથી આત્માને પાશ નાંખે છે, પિોતે પિતાને બાંધે છે, તે પિતાને વેરી થઈ આત્મઘાતી બને છે! અને આમ જે પિતાના હાથે ગળે ફાંસો નાંખે છે, આત્મામાં ધૂળ નાંખે છે, તે મૂર્ખ, જડ, મંદબુદ્ધિ કહેવા યોગ્ય છે. કારણ કે કઈ માણસ પોતાના હાથે માથામાં ધૂળ નાંખતો હોય, તે આપણે તેને મૂર્ખ દિવાને માનીએ છીએ, ગાંડાની ઈસ્પીતાને લાયક ગાંડે પાગલ ત્તિ –સમારં-આત્માને, જીવને, રાતિ–પાશ બાંધે છે, જકડી લે છે, ગંઠી લે છે, ઘરે-આ અધિકૃત–પ્રસ્તુત પ્રાણીઓ, સરા સદા–સવ કાલ અ gવા-અસત્ ચેષ્ટાથી, પ્રાણાતિપાતઆરંભરૂપ એવી હેતુભૂત અસત્ ચેષ્ટા વડે કરીને, મૃરામ-અત્યંત. કોનાવડે પાશ બાંધે છે તે માટે કહ્યું કે-વાઘધૂલ્યા -પા પધૂલિવડ, જ્ઞાનાવરણ આદિ લક્ષણરૂપ પાપધૂલિવડે, નવા જડે, મંદ, વાર્થમવિવાર્થ-કાર્ય વિચાર્યા વિના જ તરતઃ- થી, પરમાર્થથી. ક્ષણિક સુખમાં સક્તપણથી તેઓ આત્માને પાશ નાંખે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy