SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ( ર૮૪) યોગદષ્ટિસમુચય ગદષ્ટિ પુરુષને, પૂર્વકમથી કદાચ ત્યાગ ન કરી શકાય તે પણ, સ્ત્રીઆદિ અપાયહેતુ પ્રત્યે અંતરાત્માથી સદાય અપ્રવૃત્તિબુદિ જ હોય. તે તે પદાર્થ પ્રત્યે તે કદી પણ આત્મભાવે પ્રવર્તે નહિં જ. કારણ કે સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય, તે તે પુરુષે જ્ઞાનીનાં વચન સાંભળ્યા નથી, અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ તેણે કર્યા નથી, એમ તીર્થકર કહે છે. જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જોઈ જે રાગ ઉત્પન્ન થતો હોય તે જ્ઞાની પુરુષને જોયા નથી, એમ તમે જાણે. જ્ઞાની પુરુષનાં વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં. ખરેખર પૃથ્વીને વિકાર ધનાદિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહીં. જ્ઞાની પુરુષ શિવાય તેને આત્મા બીજે કયાંય ક્ષણવાર સ્થાયી થવાને વિષે ઈ છે નહીં, ” (વિશેષ માટે જુઓ) શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૭૧. અત્રે સ્ત્રીનું મુખ્યપણું કહ્યું, તેનું કારણ એ છે કે ભલભલા મોટા વિચારશીલ જીને પણ સ્ત્રી એ મોટામાં મોટા પ્રતિબંધનું કારણ થઈ પડે છે. દુર્ભય કામચાંડાલ પંડિતેને પણ પડે છે. “સ્ત્રી વગેરે મોટા ફાંસાથી ખૂબ જકડાયેલા સંસારી મુસાફરો “ભવ’ નામના મોટા અંધારા કૂવામાં પડે છે.” માટે મુખ્ય એવો આ સ્ત્રી–પ્રતિબંધ ટળતાં, બીજા પ્રતિબંધ પણ સહેજે તૂટવાને અવકાશ મળે છે. આ સઘળા સંસારની, રમણ નાયકરૂપ એ ત્યાગી ત્યાગું બધું, કેવળ શોક સ્વરૂપ. એક વિષયને જીતતાં, છતિએ સો સંસાર; નૃપતિ જીતતાં જતિએ, દળ પુર ને અધિકાર” –શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી મેક્ષમાળા. - જીવને આ જગતમાં જે મોટામાં મોટું અપાયનું-આત્મહાનિનું કોઈ પણ કારણ હોય, કલ્યાણનું મોટામાં મોટું પ્રતિબંધક કઈ પણ કારણ હોય, તો તે સ્ત્રી જ છે. એટલા માટે જ જ્ઞાની પુરુષોએ આ સ્ત્રીની નિંદા કરવામાં કાંઈ બાકી રાખી નથી. નારી નિંદા જેમ કે-“વાણીમાં જે અમૃત અને હૃદયમાં હાલાહલ વિષ ધારે છે એવી આ નિસર્ગ–કુટિલ સ્ત્રી કે નિર્માણ કરી છે તે અમે જાણતા નથી ! x “ निर्दयः कामचंडालः पंडितानपि पीडयेत्। દ્િ ભાષ્યામરાસ્ત્રાર્થોધોધ મત – શ્રી અધ્યાત્મસાર, “ अङ्गनादिमहापाशैरतिगाढं नियंत्रिताः। पतत्यंधमहाकूप भवाख्ये भविनोऽध्वगाः॥" –શ્રી શુભચંદ્રાચાર્યજી પ્રણીત શ્રી જ્ઞાનાર્ણવ. * " धारयन्त्यमृतं वाचि हृदि हालाहलं विषम् । निसर्गकुटिला नार्यो न विद्मः केन निर्मिताः ॥ वज्रज्वलनलेखेव भोगिदंष्ट्रेव केवलम् । वनितेयं मनुष्याणां संतापभयदायिनी ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy