SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ એકાગ્રપણું પામે ત્યારે જ તે તન્મય ભાવને પામે. તાત્પર્ય કે ચિત્ત નિર્મલ થાય તો સ્થિર થાય ને સ્થિર થાય તો તન્મય થાય, અને ત્યારે જ સમાપત્તિ થાય. બહિરાત્મભાવ ત્યજી દઈ, અંતરાત્મભાવ પામી, રિથર ભાવથી “આત્મા તે પરમાત્મા” એવું ભાવન કરે તે અવિકાર એવા નિર્મલ ચિત્ત દર્પણમાં પરમાત્માનું અર્પણ થાય, પ્રતિબિંબ પડે, સમાપતિ થાય. આમ ચિત્તવૃત્તિનિરોધ-> સમાપત્તિ-> અધ્યાત્મપ્રસાદ–> ઋતંભરા પ્રજ્ઞા-> તત્વસંસ્કાર–> અસંપ્રજ્ઞાત સમાધિ-> કેવલ્ય,ગપ્રક્રિયાને આ ક્રમ છે.* “બહિરામ તજ અંતર આતમ, રૂપ થઈ થિરભાવ, પરમાતમનું હે આતમ ભાવવું, આતમ અર પણ દાવ, સુમતિ ચરણકજ આતમ અરપણું, દર પણ જિમ અવિકાર. –શ્રી આનંદઘનજી. (૩) સમિતિ ગુપ્તિ સાધારણ ધર્મવ્યાપાર તે ગ મન, વચન, કાયાને માટે જૈનશાસ્ત્રમાં “ગ” એવી સંજ્ઞા પ્રયોજાય છે, તે પણ સૂચક અને તે જ અર્થની વાચક છે. તેમજ “ઉપયોગ” એ જેને પરિભાષાનો વિશિષ્ટ શબ્દ છે. દર્શને પગ અને જ્ઞાનોપયોગ એમ બે પ્રકારે વિભક્ત થયેલે આ ઉપગ જીવનું સ્વલક્ષણ છે. “પોનો ઢક્ષા કવચ (ત. સૂ) આ ગ-ઉપયોગને પરપર ઘનિષ્ઠ સંબંધ છે. આત્મા શુદ્ધ જ્ઞાન-દર્શનસ્વરૂપ ઉપગમાં સ્થિર થાય તો તેના અનાદિ યોગ સ્થિર હોય અને મનાદિ લેગ સ્થિર હોય તો ઉપગની ચંચલતાનું કારણ અસ્થિર યેગ દૂર થવાથી ઉપગ પણ સ્થિર થાય. ઉપયોગસ્વરૂપ આત્મા આ દેહની સાથે ક્ષીરનીરવત એકક્ષેત્રાવગાહ સ્થિતિ કરી રહ્યો છે, છતાં તે દેહથી આ આત્મા માનથી તલવારની જેમ ભિન્ન છે, તેને કેમ પ્રાપ્ત કરે ? તે કે ઉપગ ન ચૂકાય એ રીતે મન-વચન-કાયાના સમ્યફ નથી. આ મન-વચન-કાયાને એવો સમ્યફ ગ કરે, એવું કર્મકોશલ દાખવવું, કે જેથી તે આત્માને સ્વરૂપસાધનમાં બાધક ન થતાં સાધક થઈ પડે “વો જર્મg #ૌરા' (ગીતા). અને તેને માટેની વિધિ આ છે કે મન-વચન-કાયાના યોગની એવી સંક્ષિપ્તતા કરવી કે જેથી કરીને દેહપર્યત આત્માની સ્વરૂપને વિષે મુખ્યપણે સ્થિરતા વત્તે; અને આ આત્મસ્થિરતા એવી હોય કે ગમે તેવા ઘેર પરીષહ કે ઉપસર્ગના ભયથી તેનો અંત આવે નહિં. આમ મનવચન-કાયાના વેગને સંક્ષિપ્ત કરવા, ટુંકાવવા, તેને જ જૈન પરિભાષામાં મને ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુર્તિ એવા યથાર્થ નામ આપ્યા છે. મન-વચન-કાયાના યોગનું * “ क्षीणवृत्तेरभिजातस्येव मणेहीतृग्रहणग्राह्येषु तत्स्थतदअनतासमापत्तिः । x x x ता एव सबीज: समाधिः । निर्विचारवशारोऽध्यात्मप्रसादः । ऋतम्भरा तत्र प्रज्ञा ।" ઈ. પાતંજલ યો. સૂ. ૨, ૪-૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy