________________
દીપાદષ્ટિ સમ્યગણિતું સંસારક્રિયામાં નાસપણું-ઉદાસીનપણું
(૨૭૫) અધિક શું કહેવું? હાડ, માંસ અને તેની મિજાને એક જ એ જ રંગનું રંગન છે. એક રેમ પણ એનો જ જાણે વિચાર કરે છે.
ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે, જેથી વ્યવહારના બધાં કાર્ય ઘણું કરીને અવ્યવસ્થાથી કરીએ છીએ.”
“અમને તે એવી જ જાળ વિષે ઉદાસીનપણું વર્તે છે. અમારે વિષે વર્તતે પરમ વૈરાગ્ય વ્યવહારને વિષે કયારેય મને મળવા દેતો નથી.
“જે કે અમારું ચિત્ત નેત્ર જેવું છે. નેત્રને વિષે બીજા અવયવની પેઠે એક રજકણ પણ સહન થઈ શકે નહીં. બીજા અવયવરૂપ અન્ય ચિત્ત છે. અમને વતે છે એવું ચિત્ત તે નેત્રરૂપ છે. x x x આવી સ્થિતિ છતાં ઉપાધિ જોગ તો બળવાનપણે આરાધિયે છે. એ વેદવું વિકટ ઓછું લાગતું નથી, કારણ કે આંખની પાસે જમીનની રેતી ઉપડાવવાનું કાર્ય થવારૂપ થાય છે, તે જેમ દુઃખે, અત્યંત દુઃખે થવું વિકટ છે, તેમ ચિત્તને ઉપાધિ તે પરિણામરૂપ થવા બરાબર છે. સુગમ પણાએ સ્થિત ચિત્ત હોવાથી વેદનાને સમ્યફપ્રકારે વેદે છે, અખંડ સમાધિપણે વેદે છે.” ઈત્યાદિ. (વિશેષ માટે જુઓ ) શ્રીમદ્ રાજચંદ્ર
આ ઉપરથી સમજી શકાશે કે સમ્યગદષ્ટિ જીવ પ્રાયે પાપ આચરે જ નહિં, અને કદાચને પૂર્વ કર્મની પ્રેરણાથી–પ્રારબ્ધ ઉદયથી તે કિંચિત્માત્ર પણ કવચિત આચરે, તે
તે નિર્વસ પરિણામથી તો તેમ કરે જ નહિં, તેથી કરીને તેને બંધ સમ્યગ્દષ્ટિને પણ અલ્પ હોય છે. તે પાપકર્મ આચરતાં પણ તેને તપાવેલા લોઢા પર અલપ બંધ પગ મૂકવાની જેમ એકદમ આંચકો લાગે છે, અરેરાટી ઉપજે છે, ને
હૃદયના ઊંડાણમાંથી ચિત્તના સાચા ભાવથી અત્યંત અત્યંત ખેદ થાય છે. કારણ કે જેણે સમકિત અમૃત રસને લેશ પણ સ્વાદ ચાખે, તેને બાકસબુકસ જેવા બીજા રસ કેમ ગમે?
“તુજ સમક્તિ રસ સ્વાદને જાણ, પાપ કુભકત હે બહુ દિન સેવિયું છે; સેવે જે કરમને જેગે તેહિ, વાંછે તે સમકિત અમૃત ધુરે લખ્યું છે. જા રે જેણે તુજ ગુણ લેશ, બીજા રે રસ તેહને મન નવિ ગમેજી. ચાખે રે જેણે અમી લવ લેશ, બાકસબુકસ તસ ન રુચે કિમેજી. ”-શ્રી યશોવિજયજી
આ એવા પ્રકારની કેમ હોય છે? તે માટે કહે છે –
x “ सम्मदिछी जीवो जइवि हु पावं समायरे किंचि ।
ગતિ દોર ઘંઘ ર નિરંધર્ષ કુળદુ –શ્રી પ્રતિક્રમણસૂત્રવંદિત્તા સૂત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org