SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ તાતજિ સંત વેગીઓની યથાશક્તિ સેવા, (૧૯) यथाशक्त्युपचारश्च योगवृद्धिफलप्रदः । योगिनां नियमादेव तदनुग्रहधीयुतः ॥ ४३ ॥ યોગવૃદ્ધિ ફલ આપત, યથાશક્તિ ઉપચાર; યોગીઓને નિયમથી, તસ અનુગ્રહ મતિ ધાર, ૪૩ અર્થ – અને યથાશક્તિ ઉપચાર -કે જે યોગીઓને નિયમથી જ ગવૃદ્ધિરૂપ ફલ આપનારો, અને તેની અનુગ્રહ બુદ્ધિથી યુક્ત એવો હોય છે. વિવેચન “વિનય અધિક ગુણનો કરે...મન દેખે નિજ ગુણહાણ રે..મન”– સત્ર ઉપરમાં જે શુદ્ધ ગવાળા યોગીજનો, યેગમાર્ગમાં આગળ વધેલા યોગીપુરુષો કહ્યા, તે પ્રત્યે અંતરંગ બહુમાન હોય એટલું જ નહિં પણ તે બહુમાનને સાર્થક બનાવે, આચરણમાં મૂકી વ્યવહારૂ (Practical ) બનાવે, એ પોતાનાથી સંતેની યથા- બની શકે તેટલે ઉપચાર–સેવાભાવ પણ તેમના પ્રત્યે હોય. એટલે આ શકિત સેવા મુમુક્ષુ પુરુષ તે સાચા પુરુષ પ્રત્યે પોતાનાથી બની શકે તેટલી સેવા વિનયપૂર્વક બજાવે છે; તેઓને યથાવિધિ પરમ આદરથી નિર્દોષ આહારપાન-ઔષધ આદિનું દાન કરે છે; સશાસ્ત્ર વગેરે ધર્મઉપકરણે તે સત્પાત્રોને આપે છે; રેગ આદિ આપત્તિ આવી પડ્યે સાચી ભક્તિથી તેમની સેવા-સુશ્રષા, વૈયાવચ્ચ કરે છે, તે મહાત્મા સંતજનો નિકુલપણે ધર્મારાધન કરી શકે, એવી બધી જોગવાઈ કરી આપવા તે સદા તત્પર રહે છે. કારણ કે તે જાણે છે કે આ સાચા ભાવસાધુઓ તો પિતાના દેહ પ્રત્યે પણ નિ:સ્પૃહ છે–મમતારહિત છે, આ અવધતો તો સર્વ પરભાવને ફગાવી દઈ ઉદાસીન થઈને બેઠા છે, નિજાનંદમાં નિમગ્ન રહેલા આ નિગ્રંથ સંન્યાસીઓ સંયમના હેતુથી જ દેહ ધારણ કરી રહ્યા છે, બીજા કેઈ પણ કારણે બીજી કોઈ પણ ઈછા આ યોગીપુરુ રાખતા ત્તિ-વઘારિ– યથાશક્તિ, શક્તિના ઔચિત્યથી -શક્તિના ઉચિતપણું પ્રમાણે. શું? તે કે-૩પન્ના-ઉપચાર, રાસ-આકાર આદિના સંપાદનવડે કરીને યક્ત યોગીઓ પ્રત્યે એમ પ્રામ છે–ચાલુ સંબંધ છે. તેનું જ વિશેષણ આપે છે-જોગવૃદ્ધિાર-ગવૃદ્ધિરૂપ ફલ આપનારો – તેના સમ્યક્ પરિણામવડે કરીને; યોનિનાં નિયમોદ્દેવ-ગીઓને નિયમથી જ. અન્યથા-અન્ય પ્રકારે તેને વિઘાતહેતુ હેય નહિં. (આ શુદ્ધ યોગીઓ પ્રત્યેની સેવા, યોગીજનને વેગવૃદ્ધિ ફલ નિયમથી જ આપે છે,ગવિઘાત હેતુ હેય નહિં.) તનુશ્રીયુત -તેની અનુગ્રહ બુદ્ધિથી યુકત એ. ઉપચાર સંપા. દકના અનુગ્રહની-ઉપકારની બુદ્ધિથી યુક્ત એ. (જે ઉપચાર–સેવા કરે છે તે એમ માને કે હું આ હારા પિતાને આમ પર ઉપકાર કરી રહ્યો છું, આ સદગુરુપ્રસાદ છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy