SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૮) ગદહિસમુચ્ચય છાણાને અગ્નિ તણખલાના આગ્ન કરતાં કંઈક વધારે પ્રકાશવંત, વધારે સ્થિતિવાળે, વધારે સ્પષ્ટ હોય છે, તેમ આ દહિના બોધ પણ પ્રથમ કરતાં કંઈક વધારે વિશદ-ચેક હોય છે. પણ તે લગભગ મિત્રા દષ્ટિ જે જ છે, માત્ર માત્રાને જ ફેર છે. એટલે જેમ છાણના અગ્નિકણુને પ્રકાશ ઈષ્ટ પદાર્થનું બરાબર દર્શન કરાવી શકતો નથી, તેમ આ દષ્ટિને બોધ તત્વથી–પરમાર્થથી ઈષ્ટ રહેવા આમતવાદિનું દર્શન કરાવી શકતો નથી, ઝાંખે ખ્યાલ માત્ર આપે છે; કારણ કે છાણાને અગ્નિ લાંબે વખત ટકતા નથી, થોડીવારમાં બઝાઈ જાય છે, તેમ એ દષ્ટિને છે પણ તેનો સમય બરાબર પ્રયોગ કરી શકાય એટલે વખત સ્થિતિ કરતાં નથી–ઝાઝીવાર ટક્ત નથી. છાણના અગ્નિનો પ્રકાશ મંદ-ઝાંખો હોય છે, તેમ આ દઈને બોધપ્રકાશ પણ અ૫–મંદ વયવાળા હોય છે. છાણાને અગ્નિ જોતજોતામાં ઓલવાઈ જાય છે, તેની દઢ સ્થિતિ રહેવા પામતી નથી, તેમ અત્રે પણ અપ વિર્ય-રિથતિવાળા બંધનો દઢ સ્મૃતિ સંસ્કાર રહેતો નથી, એટલે જીવનમાં આચરણરૂપ પ્રાગ વેળાએ પટુ-નિપુણ એવી અમૃતિ હોતી નથી. અને આમ છાણાના અગ્નિને પ્રકાશ સાવ પાંગળ હોવાથી, તેના વડે કરીને કંઈ ખરૂં પદાર્થ દર્શનરૂપ કાર્ય બનવું સંભવતું નથી, તેમ આ દષ્ટિ માં બેધનું વિકલપણું -હીનપણું હોવાથી, અત્રે ભાવથી વંદનાદિ કાર્ય બનતા નથી, દ્રવ્ય વંદનાદિ હોય છે. તેમ જ આ બીજી ગઠષ્ટિ છે, એટલે આગળ કહેલા નિયમ પ્રમાણે, તેમાં (૧) યોગનું બીજુ અંગ નિયમ, (૨) તથા બીજા દેશના ત્યાગરૂપ અનુક્રેશ, (૩) અને બીજા જિજ્ઞાસા નામના ગુણની પ્રાપ્તિ થાય છે. ૧. વેગનું બીજું અંગઃ નિયમ “શોચ સતિષ ને ત૫ ભલું...મન સજઝાય ઈશ્વર ધ્યાન રે...મન નિયમ પંચ ઇહાં સંપજે....મન”—યોગ ૬૦ સક્ઝાય-૨-૧ યમ નામનું ચોગનું પ્રથમ અંગ પ્રાપ્ત થયા પછી, ક્રમ પ્રમાણે, તેનું બીજું અંગ નિયમ અહીં સાં પડે છે. અહિંસા વગેરે જે યમ છે, તે યાજજીવ-જીવે ત્યાં લગી ધારણ કરવાના હોય છે, અને જે નિયમ છે કે પરિમત-મર્યાદિત કાલ પર્યંતના, અમુક મુકરર નિયત વખત માટેના હોય છે. “નિમ: મિતાઢો ચાવવું ચમો ચિતે' (રત્નકરંડ શ્રાવકાચાર). જેમકે સ્વાધ્યાય, તપ વગેરે અમુક ચોકકસ અવધારિત સમય માટે હોય છે, યાજજીવ હોતા નથી, માટે તે નિયમ કહેવાય છે. તે નિયમ મુખ્ય એવા પાંચ છેઃ (૧) શોચ, (૨) સંતોષ, (૩) તપ, (૪) સ્વાધ્યાય, (૫) ઈશ્વર પ્રણિધાન અને તેના વળી તરતમતાના કારણે, કક્ષાદે કરીને, ઈચ્છા વગેરે ચાર પ્રકાર છે-ઈચ્છાનિયમ, પ્રવૃત્તિનિયમ, રિથિિનયમ, સિદ્ધિનિયમ ૧. શૌચ–-એટલે શુચિપણું, શુદ્ધિ, પવિત્ર પણું મનનો મેલ સાફ કરવ–ધે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy