SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯૪ ) યોગદષ્ટિસમુચ્ચય લીધે, આઠ પ્રકારની સામાન્યથી કહી છે, અને તે પણ અત્યંત લ ભેદની અપેક્ષાએ કહેલ છે. દાખલા તરીકે– આંખ આડે પડદે જેમ જેમ દૂર થતો જાય, તેમ તેમ વધારે ને વધારે ચેકનું દેખાતું જાય છે, છેવટે સંપૂર્ણ પડદે ટળી જતાં પૂરેપૂરું દેખાય છે. આમ પડદે દૂર થવાની અપેક્ષાએ એક જ દષ્ટિના-દર્શનના જૂદા જૂદા ભેદ પડે છે. આવરણ અપાય તે જ પ્રકારે કર્મપ્રકૃતિઓના ઉપશમ, ક્ષયપશમ, ક્ષય આદિ પ્રમાણે જેમ જેમ કર્મનું આવરણ ખસતું જાય છે, પડદે દૂર થતું જાય છે, તેમ તેમ વધારે ને વધારે સ્પષ્ટ નિર્મલ દર્શન થતું જાય છે, ને છેવટે સંપૂર્ણ આવરણપડદે ટળી જતાં સંપૂર્ણ દર્શન થાય છે. આમ આવરણ ટળવાના ભેદથી, આ દષ્ટિના આઠ સ્થૂલ ભેદ સામાન્યથી પડ્યા છે. પણ સૂક્ષમભેદની અપેક્ષાએ જે બારીકીથી જોઈએ, તે તેના વિશેષ ભેદ ઘણા ઘણા છે, અનંત છે, કે જેને કહેતાં પાર ન આવે. કારણ કે મિત્રાથી માંડી પરાષ્ટિ સુધી, કર્મના ક્ષપશમ આદિ પ્રમાણે, દશનના પ્રકાર અનંત છે. ષસ્થાનઅનંત ભેદ પતિત–ષગુણવૃદ્ધિને નિયમ અહીં લાગુ પડે છે. જેમકે-(૧) અનંત ભાગવૃદ્ધિ, (૨) અસંખ્યાતભાગવૃદ્ધિ, (૩) સંખ્યાતભાગવૃદ્ધિ, (૪) સંખ્યાતગુણવૃદ્ધિ, (૫) અસંખ્યાતગુણવૃદ્ધિ, (૬) અનંતગુણવૃદ્ધિ. આમ મિત્રાના કનિષમાં કનિષ્ઠ પ્રકારમાં ઓછામાં ઓછું (Minimum ) એક અંશ (Unit) દર્શન માનીએ, તે પછી તેમાં આ નિયમ પ્રમાણે વૃદ્ધિના અનંત સંવેગો (Permutations & Combinations) થતાં, અનંત ભેદ થાય. આમ યોગના સ્થાન પણ અસંખ્ય છે. “અપવીય ક્ષપશમ અછે, અવિભાગ વગેરણારૂપ રે; ષડગુણ એમ અસંખ્યથી, થાયે વેગસ્થાન સ્વરૂપ રે.... મન મોહ્યું અમારું પ્રભુગુણે. સુહુમ નિગેદી જીવથી, જાવ સન્ની વર પજજ રે; યેગના ઠાણ અસંખ્ય છે, તરતમ મોહે પરાયત્તરે. મન”—શ્રી દેવચંદ્રજી આકૃતિ – ૪ આવરણ અપાય, દષ્ટિ આવરણ અપાય. અને અહીં દષ્ટિ સમુચ્ચયમાં– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy