SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન ( ૭પ ) આખા વિશ્વમાં રેલાઈ રહે છે. તથાપિ ચંદ્ર જેમ ગગનમાં જ રહી ભૂમિને પ્રકાશે છે, કાંઈ ભૂમિરૂપ થઈ જતો નથી, તેમ ચિદાકાશમાં સ્થિતિ કરતે આ બોધ-ચંદ્ર પણ શેયરૂપ વિશ્વને પ્રકાશે છે, પણ વિશ્વરૂપ બની જતો નથી. કારણ કે “શુદ્ધ દ્રવ્યનું સ્વરભવનપરિણમન થયું તે સ્વભાવનું શું બાકી રહ્યું? કાંઈ જ નહિં, તે જ પૂર્ણ સ્વભાવ થયા. અને અન્ય દ્રવ્યરૂપ તે જે થઈ જાય, તે તે શું એનો સ્વભાવ છે ? નહિં જ. કારણ કે અન્ય દ્રવ્યરૂપ થવું તે તો સ્વભાવ નહિં, પરભાવ જ છે. દષ્ટાંત-ચાંદની ભૂમિને હવરાવે છે, પણ ભૂમિ કાંઈ તેની થઈ જતી નથી. તેમ જ્ઞાન પણ શેયને સદા જાણે છે, પણ શેય વિશ્વ જ્ઞાનનું–આત્માનું કદી બની જતું નથી– આમ જ્ઞાની મહાત્માઓએ કહ્યું છે. ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ કત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કઈ કાળે તેમ થતો નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એ આ આત્મા તે કયારે પણ વિશ્વરૂપ થતું નથી, સદાસર્વદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ બ્રાંતિ છે.” –સમર્થ તત્વદષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજી(અંક-૭૬૦) આમ આ “પર” દૃષ્ટિને ચંદ્રની ઉપમા બરાબર ઘટે છે. કારણ કે ચંદ્રની જેમ સ્વરૂપમાં સ્થિત રહી અત્રે વિશ્વપ્રકાશકતા હોય છે, વિશ્વવ્યાપકતા હોતી નથી, આપ સ્વભાવમાં જ પરિપૂર્ણ પ્રવૃત્તિ હોય છે, પરભાવને પ્રવેશ પણ થતો નથી; શુદ્ધ “અદ્વૈત” અવસ્થા હોય છે. અને આમ હોવાથી આ પરા દષ્ટિને બંધ સદા સદ્ધયાનરૂપ જ–હોય છે. અત્રે નિરંતરપણે પરમ આત્મસમાધિ જ વર્તે છે. આ યોગીશ્વરની સહજાન્મસ્વરૂપે અખંડ સ્થિતિ હોય છે, કારણ કે નિર્વિકલપ પરભાવનું જે દ્વૈત હતું તે સર્વથા દૂર થયું છે, એટલે પરમ શુદ્ધ ધ્યાનસુખ અદ્વૈતભાવે કેવલ એક આત્મસ્વરૂપમાં જ સહજ નિઃપ્રયાસ રમણતા વર્તે છે. “શુદ્ધ નિ:પ્રયાસ નિજ ભાવ ભેગી યદા, આત્મક્ષેત્રે નહિં અન્ય રક્ષણ તદા; એક અસહાય નિઃસંગ નિદ્રતા, શક્તિ ઉત્સર્ગની હોય સહુ વ્યક્તતા...ધર્મ”—શ્રી દેવચંદ્રજી નિવિકલ૫–આ પરમ બોધ નિર્વિકલ્પ જ હોય છે. આમાં કયારેય પણ કોઈ પણ વિક૯૫ ઊઠવાનો અસંભવ છે. આમ અત્રે નિર્વિક૬૫ આત્મસમાધિ હોય છે. ધ્યાતા, * "शुद्ध द्रव्यस्वरसभवनाकि स्वभावस्य शेषमन्यद्रव्यं भवति यदि वा तस्य किं स्यात्स्वभावः । ज्योत्स्नारूपं स्नपयति भुवं नैव तस्यास्ति भूमिજ્ઞને વં ઢતિ ના શેરમાણિત નૈવ ”—શ્રી અમૃતચંદ્રાચાર્યજીન સમયસારકલશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy