SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન અર્થ:–તૃણનો અગ્નિકણ, ગોમય-છાણનો અગ્નિકણ, કાકનો અગ્નિકણ, દીપકની પ્રભારત્નની પ્રભા, તારાની પ્રભા, સૂર્યની પ્રભા અને ચંદ્રની પ્રજાની ઉપમા જ્યાં (અનુ. કમે) ઘટે છે - એવી સદ્દષ્ટિવંતની દષ્ટિ આઠ પ્રકારની છે. જેમકે મિત્રામાં તૃણ અગ્નિકણ જેવી, તારામાં છાણના અગ્નિકણ જેવી, ઈત્યાદિ. વિવેચન હવે અહીં આ શાસ્ત્રના મૂળ વિષય પર આવે છે. આનો મૂળ વિષય ગઠષ્ટિનું કથન છે. તે “ગદષ્ટિ” આઠ પ્રકારની કહી, તેની બરાબર સમજણ પડવા માટે અહીં ઉદાહરણરૂપે ઉપમા આપેલ છે. અને તે ઉપમા ગ્રંથકાર મહર્ષિએ એટલી બધી ખૂબીથીકુશળતાથી છ છે, કે તે ઉપમા ઉપરથી જ તે તે દષ્ટિને ઘણેખરો અર્થ રહેજે સમજી જવાય, બરાબર ખ્યાલમાં આવી જાય. આ આઠ દષ્ટિઓને અનુક્રમે (૧) તૃણ અગ્નિકની, (૨) છાણના અગ્નિ કણની, (૩) કાઝ-લાકડાના અગ્નિકણની, (૪) દીપકની પ્રજાની, (૫) રત્નપ્રભાની, (૬) તારાપ્રભાની, (૭) સૂર્યપ્રજાની, (૮) અને ચંદ્રપ્રભાની, – એમ ઉપમા આપી છે. ગદષ્ટિને તૃણથી માંડીને ચંદ્રપ્રભા સુધી ઉત્તરોત્તર પ્રકાશની તરતમતા છે, તેમ ઉપમા મિત્રા દષ્ટિથી માંડીને પરી દષ્ટિ સુધી ઉત્તરોત્તર બેધરૂપ પ્રકાશની તરતમતા છે. એટલે આ ઉપમાં સાંગોપાંગ સંપૂર્ણ છે. - મહા સમર્થ તત્વદષ્ટ શ્રીમદ રાજચંદ્રજીએ આ યોગદષ્ટિને થર્મોમીટરની (Thermo-meter)-ઉષ્ણતામાપક યંત્રની ઉપમા આપી છે, તે પણ યથાયોગ્યપણે અત્યંત બંધબેસતી છે. જેમ થર્મોમીટરથી શરીરની ઉષ્ણુતાનું-ગરમીનું માપ આત્મદશાનું થઈ શકે છે, તેમ આ ચોગદષ્ટિ ઉપરથી આમાની આધ્યાત્મિક માપક પ્રગતિનું, આત્મદશાનું, આત્માના ગુણસ્થાનનું માપ નીકળી થર્મોમીટર શકે છે. હું પિતે કયી દષ્ટિમાં વર્તુ ? મહારામાં તે તે દષ્ટિના કહ્યા છે તેવા લક્ષણ છે કે નહિં? ન હોય તે તે પ્રાપ્ત કરવા હારે કેમ પ્રવવું? ઈત્યાદિ પ્રકારે અંતર્મુખ નિરીક્ષણ કરી, આત્મગુણવૃદ્ધિની પ્રેરણા પામવા માટે આ “યોગદષ્ટિ આત્માથી મુમુક્ષુને પરમ ઉપયોગી છે, પરમ ઉપકારી છે. આમ તેનું સ્વરૂપ સમજવા માટે સ્થૂલ દષ્ટાંત કહેલ છે, તેને ભાવાર્થ આ પ્રમાણે છે – ૧, મિત્રા દૃષ્ટિ જિહાં મિત્રા તિહાં બંધ જ, તૃણ અગનિસ લહીયે રે.”–શ્રી . દ સજઝાય. મિત્રા દષ્ટિમાં બે તૃણના અગ્નિકણ સર હોય છે. જેમ તૃણ અગ્નિકણને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy