SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ સારસ શ્વય ( ૧૧ ) 2412442244-( Summary ) આમ અત્રે ઇચ્છાગ, શાસ્ત્રોગ, ને સામર્થ્યોગ એ ત્રણ યોગનું સ્વરૂપ કહ્યું. એને સારસમુચ્ચય સમજવા માટે સ્થલ રૂપક-ઘટના કરીએ: કઈ ભયંકર અટવીમાં કઈ મુસાફર ભૂલે પડી ગયું હોય, ને ચારે કેરથી મુંઝાઈ ગયો હોય, તેને તેમાંથી છૂટવાનો કોઈ રસ્તો બતાવે એવી તેની કેવી તીવ્ર ઇચ્છા હોય? કઈ રોગી મહારોગના પંજામાં સપડાયો હોય, તે કોઈ કુશળ વૈદ્ય મળી જાય ને આરોગ્ય પ્રાપ્તિ થાય, એમ કેવું ઈચછે? ઉજજડ મભૂમિમાં ભર ઉન્ડાળામાં કોઈ તરસ્યા થયે હાય, તે પાણી માટે કેટલું ઝંખે? તેમ આ સંસારરૂપ ભયંકર અટવીમાં ભૂલે પડેલે જીવરૂપ મુસાફર પ્રથમ તો તેમાંથી છૂટવાની તીવ્ર ઈચ્છા રાખે છે, મોક્ષ મેળવવા ઈચ્છે છે, મોક્ષરૂપ ઈષ્ટ સ્થાને જવા ચાહે છે. એટલે પછી હૂંઢતા તૂઢતો તે તેને માર્ગ જાણકાર સદ્દગુરુને પૂછે છે. ઈચ્છાગી તેની પાસેથી તે માર્ગની માહિતી મેળવી–સાંભળી, અમુક દિશામાં આ માર્ગ છે, એમ તે જાણીને સહે છે. આમ તે કૃતાર્થ ને જ્ઞાની બને છે. પછી તે શ્રદ્ધાપૂર્વક તે ઉદિષ્ટ માર્ગે ચાલવા પ્રયાસ કરે છે. પણ માર્ગની કઠિનતાથી તથા પિતાનો અનુભવ હજુ કાચું હોવાથી તેને કવચિત્ પ્રમાદ થઈ આવે છે. એટલે મુસાફરી કવચિત્ અટકી જાય છે કે ધીરી પડે છે, કવચિત વેગવંતી બને છે. આમ આ ઇચ્છાયોગી આગળ વધતું જાય છે. આ મુસાફરી દરમ્યાન શાસ્ત્રરૂપ ભેમીઓ (Guide) સદા તેની સાથે છે, એટલે તેની આજ્ઞા પ્રમાણે ચાલતાં તેને શાસ્ત્રનું સંપૂર્ણ અવિકલ જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને તેની સહાયથી માર્ગ દેખતો દેખતો તે શ્રદ્ધાપૂર્વક આગળ ધપે છે. શાઆયેગી પિતાની શક્તિ પ્રમાણે, પિતાના પગમાં જોર હોય તેટલા વેગથી, તે અપ્રમાદી પણ આગળ પ્રગતિ કરતો જાય છે. આમ આગળ ને આગળ પ્રયાણ કરતે તે ભયાનક અટવી વટાવી જઈને, સુંદર રાજમાર્ગ પર–ધોરી રસ્તા પર આવી જાય છે. એટલે આગળનો મોક્ષસ્થાન ભણનો રસ્તો ચેકબેચકો દેખાય છે. ત્યાં શાસ્ત્રરૂપ ભમીઓ તેને કહી દે છે કે-હે મહાનુભાવ શાઅોગી! જુઓ, આ માર્ગ સીધો સડસડાટ મોક્ષસ્થાન પ્રત્યે જાય છે. તે તરફ સીધા ચાલ્યા જાઓ! તેમાં આ આ સામાન્ય સૂચના આપું છું, તે પ્રમાણે તમે ચાલ્યા જજે. વધારે વિગતની તમે જેમ જેમ આગળ જશે, તેમ તેમ તમને તમારી મેળે ખબર પડતી જશે. એટલે હવે મહારે તમને આગળ વળાવવા આવવાની જરૂર નથી. તમે પોતે સમર્થ છે. માટે રાવતે ઘરથા ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy