SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪ ) ગદરિસમુશ્ચિય ખંડન-ઘાત કરી અત્યંત અપપણું કરી દેવામાં આવે છે. આમ વિશુદ્ધિના પ્રકૃષ્ટપણાથી આ સ્થિતિઘાત-રસઘાત એ બન્ને આગલા ગુણસ્થાનકોની અપેક્ષાએ અપૂર્વ હોય છે. (૩) તેમજ અત્રે અત્યંત વિશુદ્ધિના સામર્થ્યથી ગુણશ્રેણીની વિરચના એવી અપર્વ કરે છે, કે કર્મને દળી આ ઝપાટાબંધ ટપોટપ ઉડાવી દેવા માટે ગોઠવાઈ ગયા હોય છે. (૪) તથા બંધાતી શુભ પ્રવૃતિઓમાં અશુભ દળીઆનું પ્રતિક્ષણે અસંખ્યય ગુણવૃદ્ધિથી લઈ જવું-સંક્રમણ કરવું, તે ગુણસંક્રમ પણ અહીં અપૂર્વ હોય છે. (૫) અને કર્મોની સ્થિતિ પૂર્વે અશુદ્ધપણાને લીધે ઘણી લાંબી બાંધતો હતો, તે અહીં અપૂર્વકરણમાં અત્યંત વિશુદ્ધ પણાને લીધે ઘણું ટૂંકી બાંધે છે. આમ આ પાંચ વાનાં અત્રે અપૂર્વ હોય છે, એટલા માટે “અપૂર્વકરણ” નામ સાર્થક છે. આ અપૂર્વકરણરૂપ અપૂર્વ આત્મસામર્થ્ય પામીને જે રોગી પુરુષ ક્ષપકશ્રેણી પર આરૂઢ થાય છે, તેને આ તાત્વિક ધર્મસંન્યાસયોગ હોય છે, કારણ કે તે ક્ષયપ શમરૂપ ધર્મોનું ક્ષપણે કરતા કરતા આગળ વધે છે; કર્મપ્રકૃતિઓને ક્ષપક સર્વથા ખપાવતો ખપાવતે, ખતમ કરતો કરતો, ઊડાવતો ઊડાવતે, ગુણસ્થાનકની શ્રેણી પર ચઢતો જાય છે. અને આમ કર્મશત્રુને ક્ષય કરતો કરતે, આ પરમ સમર્થ વીર પુરુષ ૮-૯-૧૦-૧૨ ગુણસ્થાનને વટાવી જઈ તેરમા સગી કેવલિ ગુણસ્થાને પહોંચી “નિજ કેવલજ્ઞાન નિધાન” પ્રગટાવે છે. – ગસંન્યાસ ગ – અને બીજે જે “યોગસંન્યાસ' નામને સામગ છે, તે આ પછી હોય છે. તે આ પ્રકારે – યકરણની અચિંત્ય વીર્યપણાએ કરીને, અસાધારણ આત્મસામર્થ્યથી કેવલી ભગવાન સમઘાત કરે છે, તે પહેલાં આ યકરણ કરે છે. આ જ્યકરણ એટલે શું? આજીને કરવામાં આવતે ગવ્યાપાર તે આ કરણ આ=મર્યાદા – કેવલીએ દીઠેલ આ યકરણ મર્યાદા પ્રમાણે જન= જવું તે, શુભ યેગનું વ્યાપારણ–પ્રવર્તન કરણ=પરિણામવિશેષ, સામર્થ્યવિશેષ કેવલી ભગવાને દીઠેલી મર્યાદા પ્રમાણે, ઉદીરણાઆવલિમાં પિશાહી કર્મને પ્રક્ષેપ કરે તે આ યકરણ છે. એટલે કે આ છેલ્લા ભાવમાં ભેગવવાના જે બાકી રહેલા વેદનીય વગેરે ચાર કર્મ છે, તેમાં જે વેદનીય વગેરેની સ્થિતિ આયુષ્ય કરતાં વધારે હોય, તે તેને સમ-સરખી કરવા માટે કેવલી ભગવાન ઉદીરણ કરે છે, આ જ્યકરણ કરે છે, કે જેથી કરીને સમુદઘાતવડે તે તે કર્મોને જલ્દી ખપાવી દઈ સરખી સ્થિતિમાં લાવી મૂકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy