SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨) ગદષ્ટિસમુચ્ચય न चैतदेवं यत्तस्मात्प्रातिभज्ञानसंगतः ।। सामर्थ्ययोगोऽवाच्योऽस्ति, सर्वज्ञत्वादिसाधनम् ॥८॥ ને આ એમ ન-તે થકી, સહિત પ્રતિભ જ્ઞાન સામથ્થગ અવાચ્ય છે, સર્વતાદિ નિદાન. ૮ અર્થ:–અને કારણ કે એ એમ નથી, તેટલા માટે પ્રાતિજ જ્ઞાનથી સંગત એવો સામગ અવા–ન કહી શકાય એવો છે, કે જે સર્વજ્ઞાણા વગેરેના સાધનરૂપ છે. વિવેચન કોઈ કહેશે કે “ભલા ! શાસ્ત્રથી જ સિદ્ધિપદની પ્રાપ્તિ ભલેને થઈ જતી હોય ! એમાં આપણને શી હરકત છે?” તેનો અહીં જવાબ આપ્યો છે કે–ભાઈ ! એમ નથી. જે શાસ્ત્રથી જ સિદ્ધિ મળી જતી હોત, તો અમને શી હરકત હોય? પ્રત્યક્ષ વિરોધ તે એના જેવું સહેલું બીજું શું? એના જેવું રૂડું શું? પણ એમ તો થતું દેખાતું નથી, પ્રત્યક્ષ પ્રમાણુનો તેમાં વિરોધ આવે છે. કારણ કે અગીપણાનું પરાક્ષ જ્ઞાન શાસ્ત્રથી થાય છે, પણ કોઈ તેથી કરીને સાક્ષાત અગીપણું– 1 yત્ત -તાં– અને આહમણાં જ જે ઉપર કહ્યું તે એમ નથી. કારણ કે શાસ્ત્રથી અયોગ કેલિપણાને બંધ થયે પણ. સિદ્ધિની અસિદ્ધિ છે. (સિદ્ધિ પ્રાપ્ત થતી નથી). અને આમ છે તેટલા માટે-નિમજ્ઞાનતંતઃ-પ્રાતિભશાનથી સંગત, માર્થાનુસારી પ્રકૃણ “ઊહ” નામના જ્ઞાનથી યુક્ત, શું? તો કે- સામર્થ્યવાન -સામર્થ્યપ્રધાન યોગ તે સામર્થ્ય વેગ. એટલે પ્રક્રમથી-ચાલ વિષયમાં ક્ષક્ષકશ્રોણગત ધર્મવ્યાપાર જ રહ્યો છે. આ અવાસ્થsfeત-અવાય છે, કહી શકાય એવો નથી, તેના યેગીને સંવેદનસિદ્ધ અર્થાત આત્માનુભવગમ્ય છે, સર્વસવાધનમ-સર્વાપણુ આદિનું સાધન છે,– અક્ષેપ કરીને (વગર વિલબે) આના થકી સર્વાપણાની સિદ્ધિ હોય છે તેટલા માટે. કોઈ શંકા કરે--આ પ્રાતિજ્ઞાન પણ શ્રુતજ્ઞાન જ છે, નહિં તે છઠ્ઠા જ્ઞાનનો પ્રસંગ આવી પડશે. અને આ કેવલ પણ નથી, કારણ કે એ સામર્થ્યોગના કાર્યરૂપ છે. અને આમ સિદ્ધિ નામના પદની સંપ્રાપ્તિના હેતુભેદો તવેથી શાસ્ત્રથકી જ જાણવામાં આવે છે. અત્રે સમાધાન કરવામાં આવે છે - - આ નથી શ્રત, નથી કેવલ, કે નથી જ્ઞાનાંતર (બીજું કોઈ જ્ઞાન)- રાત્રી, દિવસ ને અરુણાદયની જેમ. કારણુ કે અરુણોદય નથી રાત્રિ-દિવસથી જૂદે, તેમ જ નથી તે બેમાંથી એક પણ કહી શકાતે. એમ આ પ્રાતિભજ્ઞાન પણ નથી તે બેથી જૂદુ, તેમ જ નથી તે બેમાંથી એક પણ કહી શકાતું. કારણ કે તત્કાળે જ તેવા પ્રકારના ઉત્કૃષ્ટ ક્ષયપામવાળા ભાવને લીધે. શ્રતપણે તાવથી તેને અસંવ્યવહાર્યપણું છે (મૃતરૂપે તેનો વ્યવહાર કરી શકાય એમ નથી), તેથી એ મૃત નથી. અને પણાને લીધે, અશેષ દ્રવ્ય-પર્યાયના અવષયપણુએ કરીને (સર્વ દ્રવ્ય–પર્યાય નથી જણાતા) તે કેવલ પણ નથી, એટલા માટે. અને આ તારકજ્ઞાન-નિરીક્ષણ જ્ઞાન આદિ શબ્દથી વાચ્ય (ઓળખાતું) એવું પ્રતિભ જ્ઞાન બીજાઓને (અન્યદર્શનીઓને ) પણ ઈષ્ટ છે. એટલા માટે અદેષ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy