SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ સામર્થ્યથાગ ( ૨૦ ) છે, શ્રેષ્ઠ છેકારણ કે મોક્ષની સાથે જે-જોડે તે ચોગ, એમ ગ શબ્દની વ્યાખ્યા છે. એ પ્રમાણે આ સામર્થ્યથેગ વગર વિલંબે, કાળક્ષેપ વિના, ઉત્તમ ચોગ મોક્ષરૂપ પ્રધાન ફલ સાથે યોજે છે, શીધ્રપણે મુક્તિનું કારણ થાય છે. એટલા માટે આ સામગ પરમ ગ છે, જેગશિરોમણિ છે, ગપર્વતનું શિખર છે. આના સમર્થન અર્થે જ કહે છે – सिद्ध्याख्यपदसंप्राप्तिहेतुभेदा न तत्त्वतः । शास्त्रादेवावगम्यन्ते, सर्वथैवेह योगिभिः ॥ ६ ॥ સિદ્ધિપદ પ્રાપ્તિ હેતુના, ભેદ તત્વથી આંહિ; માત્ર શાર્થી જ સર્વથા, ગમ્ય ગિને નહિ. ૬. અર્થ:–“સિદ્ધિ' નામના પદની સંપ્રાપ્તિના હેતુભેદો અહીં તત્વથી, ગીઓને શાસ્ત્ર દ્વારા જ, સર્વથા જ જાણવામાં આવતા નથી. વિવેચન ઉપર જે કહ્યું તેના સમર્થન માટે-પુષ્ટિ માટે અત્રે કહે છે કે મોક્ષપદની પ્રાપ્તિના જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વગેરે હેતુઓ છે, કારણવિશેષ છે, તેનું જ્ઞાન યોગીઓને. સાચા સંત સાધુપુરુષોને માત્ર શાસ્ત્રદ્વારા જ સર્વ પ્રકારે થઈ શકે નહિં. શાસ્ત્રની મર્યાદા હા, કેટલાક પ્રકારો શાસ્ત્રથી અવશ્ય જાણી શકાય, પણ બધાય નહિં. કારણ કે તે સમ્યગ્દર્શનાદિ હેતભેદના ભેદ અનંત છે,– કે જે વાણીને અગોચર છે, “તો વાવો નિર્તકે' જ્યાંથી વાણી પાછી વળે છે. માટે મુક્તિ પ્રાપ્તિ સંબંધમાં શાસ્ત્ર સર્વથા સમર્થ નથી, તેમ જ વ્યર્થ પણ નથી. મોક્ષના હેતુરૂપ સમ્યગદર્શનાદિના કેટલાક પ્રકારે જ શાસ્ત્રથી જાણી શકાય છે – બધાય નહિં. આમ શાસ્ત્રનું વ્યર્થપણું પણ નથી, તેમજ સર્વથા સમર્થપણું પણ નથી, અમુક મર્યાદા સુધી તેનું દિગદર્શન છે, તેથી આગળ તો અનુભવ મિત્ર આત્મસામરૂપ સામર્થ્યગથી વધવાનું છે, એ તાત્પર્ય છે. શાસ્ત્રમર્યાદા જ્યાં પૂરી થાય છે, ત્યાં સામગ શરૂ થાય છે. કારણ ત્તિ-નિવાહચપદ્રપ્રાણિતુમેવા–સિદ્ધિ નામના પદની સંપ્રાપ્તિના હેતુભેદ, મેક્ષ નામના પદની પ્રાપ્તિના કારણવિશેષ-સમ્યગદર્શનાદિ. શું ? તે કે- તરવતઃ-નથી તસ્વભાવથી, પરમાર્થથી. રાત્રિાવાવષ્યન્ત-શાસ્ત્રથકી જ જાણવામાં આવતા. અને એમ છતાં શાસ્ત્રનું વૈયÁ–વ્યર્થપણું– ફેગટપણું નથી, એટલા માટે કહ્યું–થવ૬ વોમિટ–સર્વથા જ અહીં યોગીઓને, એટલે સર્વે ય પ્રકારથી અહીં–લેકમાં સાધુઓને જાણવામાં આવતા નથી, કારણ કે તે સમ્યગ્ગદર્શનાદિ હેતભેદોના અનંત ભેદ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy