SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ઈચછાયોગ ૩. સમ્યગદષ્ટિ-જ્ઞાનીપણું–શાસ્ત્રજ્ઞાન હેય, સર્વ આગમ જાણતો હેય, છતાં કદાચને અજ્ઞાની પણ હોય; એટલા માટે ઈચ્છાગી “જ્ઞાની” હેવો સમ્યગ્દષ્ટિ- જોઈએ એવું ખાસ વિશેષણું મૂક્યું. ઈચ્છાયોગી સમ્યગદષ્ટિ પુરુષ હોય, જ્ઞાનીપણું સમ્યગુદર્શનને પ્રાપ્ત થયેલ આત્મજ્ઞાની હોય સમ્યગદર્શન વિનાનું બધુંય જ્ઞાન અજ્ઞાનરૂપ જ છે. કારણકે શાસ્ત્રસમુદ્રનો પાર પામીને વિદ્વાન્ - વિબુધ થયેલ હોય, પણું અનુષ્ઠાન કરવા યોગ્ય એવું આરાધ્ય ઈષ્ટ તત્વ ન જાણ્યું હોય, તો તે અજ્ઞાની જ કહેવાય. વિબુધેએ ( એ) મંદર પર્વતવડે સાગરમંથન કરી સાર. ભૂત રત્નોની ને તેમાં પણ સારભૂત અમૃતની પ્રાપ્તિ કરી, એમ પુરાણેક્તિ છે. તે રૂપકને અત્રે અધ્યાત્મ પરિભાષામાં ઘટાવીએ, તો વિબુધ (વિદ્ધજજનો ) અધ્યાત્મશાસ્રરૂપ મંદરાચલવડે શાસ્ત્રસમુદ્રનું મંથન કરી, તેમાંથી સારભૂત તત્વ-રત્ન ખોળી કાઢી, પરમ અમૃતરૂ૫ આત્મતત્વને ન પામે, તે તે તેમનું વિબુધપણું અબુધ પણરૂપ જ છે, અજ્ઞાન પણારૂપ જ છે. પાંચમા અંગમાં–શ્રી ભગવતીસૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે “નવ પૂર્વ સુધી ભર્યો હોય, પણ જે જીવને ન જાણ્યો તો તે અજ્ઞાની છે.” “જે હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જ નહીં, સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહા વિશેષ, જીવ કરવા નિર્મળ, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. નહીં ગ્રંથમાંહિ જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિં કવિ-ચાતુરી, નહિં મંત્રતંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિં ભાષા ઠરી, નહિં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળા, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે.” જબ જા નિજ રૂપકે, તબ જા સબ લોક નહિં જાન્યો નિજ રૂપકે, સબ જાન્યો સો ફેક ”-શ્રીમદ્ રાજચંદ્રજી એટલા માટે ઈરછાયેગી “જ્ઞાની” પુરુષમાં આત્મજ્ઞાન અવશ્ય હાય, ઈરછાયોગી પુરુષ સમ્યગ્દષ્ટિ, સમ્યગ્દર્શની, આત્મજ્ઞાની હોય. ૪. પ્રમાદજન્ય વિકલતા–આમ આ ઈછાયોગી સમષ્ટિ આત્મજ્ઞને દર્શન મેહ તો દૂર થયો છે, પણ ચારિત્રમેહની હજુ સંભાવના છે, એટલે પ્રમાદથી હજુ તેને તેની સંપૂર્ણ અવિકલ આત્મસ્થિતિ હતી નથી, અખંડ વિકલતા આત્માનુચરણરૂપ ચારિત્ર હોતું નથી. કારણકે પ્રમાદન સદ્દભાવ હોવાથી આત્મસ્વરૂપથી પ્રમત્ત-યુત થઈ જવાય છે, વિકથા વગેરે પ્રમાદના પ્રસં. - " अध्यात्मशास्त्रहेमाद्रिमथितादागमोदधेः । મૂયાંતિ કુત્તાનિ પ્રાથને વધેર્ન લિમ્ ” -શ્રી યશોવિજયજીત અધ્યાત્મસાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy