SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ YW K IIIIII QII II = = = r Tiા છેવટે શ્રી ગિરનારજીની યાત્રા નાદુરસ્ત તબીયત છતાં પૂર્ણ ઉત્સાહથી તેમણે કરી આ યાત્રા પછી તરત ૧૯૪રમાં તેમને આ જીવનયાત્રા પૂર્ણ કરનારી હૃદયરોગની ગંભીર બીમારી લાગુ પડી. અને પછી તે, અનુક્રમે જલદર આદિ તીવ્ર વેદનામય ચિહ્નોથી તે વ્યાધિએ અસહ્ય અને અસાધ્યરૂપ ધારણ કર્યું. આ લગભગ ચાર વર્ષ જેટલી લાંબી અને અસહ્ય માંદગીમાં પણ લેશમાત્ર આર્તધ્યાનને ચીત્કાર નહિં કરતાં, સમતાભાવે વેદના સહન કરવારૂપ એક પ્રકારને પરીવહયે તેમણે કર્યો હતો, તેમની શાંતિ અપૂર્વ અને સમતા અસાધારણ હતી. રોગશા પર પણ તેમની ચિત્તવૃત્તિ ધર્મધ્યાનમાં જોડાયેલી રહેતી; નવસ્મરણ અને અન્ય ધર્મગ્રંથ પિતે રુચિથી વાંચતા અથવા તવરસિક મનસુખલાલભાઈ પાસે વંચાવતા. ભલભલાની પણ ધીરજની કસોટી કરે એવી આ ઉગ્ર અને દીર્ઘ વ્યાધિમાં પણ શ્રી મનસુખલાલભાઈએ સ્થિતપ્રજ્ઞની જેમ અનુદ્વિગ્નપણે એકનિષ્ઠ અનન્ય સેવાસુશ્રુષા કરી પિતાને કર્તવ્યધર્મ પૂરેપૂરો બજાવ્યું. પણ સર્વ ઉપાય છતાં ૧૯૪૬ ના જાન્યુઆરીની ૩ તા. વંથળીમાં શ્રી લીલાવતી બહેન આ ક્ષણભંગુર દેહનો ત્યાગ કરી ગયા. NEOOOOOOOOOOOOOO(成成 - મૃત્યુસમયે પણ તેમની સમાધિ અને ચિત્તશાંતિ કેવી અદ્દભુત હતી તેનું તાદ્રશ્ય શબ્દચિત્ર શ્રી મનસુખલાલભાઈના જ શબ્દોમાં આ રહ્યું–“બરાબર એક માસ પૂર્વે એમને પિતાના મૃત્યુની ખબર તે પડી ગઈ, પણ તેમ છતાં એની શાંતિ અને ધીરજમાં છેલ્લે સુધી જરા પણ ફરક પડેલે નહિં. ૨૦૦૨ના માગશરવદી અમાસને દિવસે બપોરના બે વાગ્યે બેઠા બેઠા મા સાથે વાત કરતા હતા કે આજે અમાસ છે, એટલે ભારે’ દિવસ તો ખરો. હું જવાબ આપું છું કે-એવી તો માંદગી પછી ૫૦ અમાસ ગઈ અને કાંઈ ન થયું તે વળી આજે શું થવાનું છે ? એને હસવું આવ્યું. પણ એ હાસ્ય છેલ્લું જ હતું. નવકાર સાંભળતાં સાંભળતાં એક મીનીટમાં હૃદય બેઠાં બેઠાં જ બંધ થઈ ગયું અને મૃત્યુ પામ્યાં. ” આવું ધન્ય સમાધિમરણ જેણે જીવનમાં ધર્મની સાચી એકનિષ્ઠ આરાધના કરી હોય એવા પુણ્યાત્માને પ્રાપ્ત થાય છે. પર્યાય ભલે Kriા નષ્ટ થાય, પણ અમૃત રૂપ ધર્મસંસ્કાર તે વફાદાર મિત્રની જેમ મૃતને પણું અનુસરે છે. દેહ ભલે જીર્ણ થાય, પણ ધર્મરંગ જીણું થતું નથી. ઘાટ-ઘડામણ ભલે જાય, તેમ પણ સુવર્ણ વણસતું નથી. = સાચા ' તે ધર્મના સાહેલડમ , બીજે "ગ પતંગ.., ૩ ગુણવેલા પરમ પણ નડે. આાહે દેવું તે શું થાય -મુજ સેનું તે બિસુએ નહિ ... સાહેટ ઘા ને ધડામણ જય...અરે ગુણ શ્રી યશવજયજી KIRTી = OLOSOSOLEOS OJOSOS OLOSEOZE OE OEOS OS OS OED Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy