SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चमः अध्यायः। ३०१ ૭ સાતમે તત્કર્મસેવી નામે નપુંસક છે. તે મૈથુન સેવીને વેદના ઉગ્રપણાથી જિદ્વાવડે ચાટવા વગેરે નિંદ્ય કર્મ કરી પિતાને સુખ માને છે. ૭ ૮ આઠમે પાક્ષિકાપાક્ષિક નામે નપુંસક છે. તેને શુકલપક્ષમાં અતિશય મોહને ઉદય થાય છે અને કૃષ્ણપક્ષમાં મેહ અલ્પ થાય છે તેથી પાક્ષિકા પાક્ષિક નપુંસક કહેવાય છે. ૮ ૯ નવમે સૌધિક નપુંસક છે, તે પોતાના લિંગને શુભ ગંધવાલું જાણી સુંધ્યા કરે છે. હું ૧૦ દશમે આસકત નામે નપુંસક છે. તે વીર્યપાત થયા પછી પણ સ્ત્રીનું આલિંગન કરી તેની કાખ તથા ગુહ્યથલ પ્રમુખ અંગમાં પ્રવેશ કરી રહે છે. ૧૦ આ પંડક વગેરે દશ પ્રકારના નપુંસકની એલખ તે પુરૂષથી અથવા તેમના મિત્રો વગેરેના કહેવાથી જાણવામાં આવે છે. અહિં કોઈ શંકા કરે કે, પ્રથમ પુરૂષમાં નપુસકે કહ્યા અને અહિં પણ કહ્યા ત્યારે તેમાં અને આ કહ્યા, તેમાં પરસ્પર શે વિશેષ છે ? તેના ઉત્તરમાં કહે છે કે, “પ્રથમ જે નપુંસકે કહ્યા, તે પુરૂષાકૃતિ નપુંસક હતા અને જે અહિં કહેવામાં આવ્યા, તે નપુંસકાકૃતિ જાણવા એટલે જે પુરૂષાકૃતિ નપુંસક હતા, તેને પુરૂષમાં ગણેલા છે, અને સ્ત્રી આકૃતિ નપુંસક હતા, તેને સ્ત્રીમાં ગણ્યા છે. અહિં નપુંસક આકૃતિવાલા હતા, તેને નપુંસકમાં ગણ્યા છે. તેને મને નગરદાહના જેવો ઉત્કટ કામ અને અધ્યવસાયને આશ્રીને તેમના ચિત્ત મલિન હોય છે, તેથી તેઓ દિક્ષાને અગ્ય ગણેલા છે. તેને માટે નિશીથ ચૂર્ણિમાં નીચે પ્રમાણે કહેલું છે— " श्याणि नपुंसया दस ते पुरिसेसु चेव बुत्ता नपुंसदारे जइ जे पुरिसेसु बुत्ता ते चैव हंपि किं को जेदो ? जन्न इत हिं पुरिसागई इह गहणं सेसयाणनवोचि । एवं स्त्रीष्वपि वाच्यम् ॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy