SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વની અસ્મિતા. જી હીરાચંદ સ્થાપી, અનેક બીજી સંસ્થાઓને છૂટે હાથે દાનથી પલ્લવિત કરી. પિતાના વતનમાં પણ હાઈસ્કૂલ કરી આપી. દિગંબર સમાજની અનેક સંસ્થાઓને જીવતદાન આપ્યું. પત્રિકાઓને, પંડિતોને, સહાયભૂત થઈ સર્વત્ર ધર્મ પ્રભાવનાનાં કાર્યો કરવામાં પાછું વાળીને જોયું નથી. અનેક ઠેકાણે જીર્ણોદ્ધાર કરાવ્યા અને નવનિર્માણ પણ કરાવ્યાં. તેમનાં પત્ની ભંવરી દેવીએ સર્વ કાર્યોમાં સાથ અને સહકાર આપીને તેમની મહત્ત્વાકાંક્ષાઓને પૂર્ણ કરી છે. ધર્મ અને સમાજની ઉન્નતિનાં અનેક કાર્યો કરીને આ નરરને મહદૃ ઉપકાર કર્યો છે. શેઠ હીરાચંદ ગુમાનજીના ચાર પુત્રોમાં માણેકચંદ શેઠ અત્યંત કુશાગ્ર બુદ્ધિવાળા, ઉદાર મનવાળા અને અનેખા આયોજનકાર હતા. તેથી તેમણે છાત્રાલયે, ધર્મશાળાઓ, ઔષધાલય, શ્રાવિકાશ્રમ, ઑલરશિપ ફડો આદિની વ્યવસ્થા કરી ઘણુનાં જીવન ઉજવળ કર્યા છે. ગ્રંથમાલા સ્થાપી ઘણું ધાર્મિક પુસ્તકેનું પ્રકાશન કરાવ્યું. અનાથને મદદ કરી ભણવ્યા. શેઠ હીરાચંદ ગુમાનજી જૈન બોર્ડિંગ સ્કૂલ હસ્તક બીજ ઘણાં નાનાં મોટાં ટ્રસ્ટ ચાલે છે. તે ઉપરાંત માણેકચંદ હીરાચંદ જ્યુબિલી બાગ ટ્રસ્ટ, હીરાચંદ ગુમાનજી ધર્મશાળા, અમદાવાદ બેકિંગ, શ્રીમતી રતનબેન શ્રાવિકાશ્રમ અને માણેકચંદ પાનાચંદ છાત્રાલય – રતલામ વ. સંસ્થાઓની સ્થાપના શેઠની પ્રેરણાથી જ થયેલી. તીર્થોની રક્ષા કરવા અને આર્ષ માર્ગનું રક્ષણ કરવા માટે પણ તેમણે ઘણી મહેનત અન્ય ત્યાગી અને વિદ્વાને દ્વારા કરી છે. જેન ઈતિહાસમાં તેમનું નામ અમર રહેશે. સ્વર્ગવાસ ૧૬-૭-૧૯૧૪માં થયેલ છે. દાનવીર શાંતિપ્રસાદ શાહુજી ઉત્તર પ્રદેશના નાનકડા ગામમાં જન્મેલા શાહુજી દિલ્હી કલકત્તાના વાસી બન્યા અને દેશના અનેક ઉદ્યોગપતિઓમાં ગણુનામાં આવ્યા. કરોડો કમાયા અને તે મુજબ તેમણે અપૂર્વ દાન કર્યા. અનેક સંસ્થાઓ સ્થાપી. મહાવીર નિર્વાણ મહોત્સવના તેઓ પાયાના સૂત્રધાર હતા. પ્રાચીન પુરાતત્તવોની જાળવણી માટે તેમણે અથાક પ્રયત્ન કર્યા. ભારતીય જ્ઞાનપીઠ દ્વારા સાહિત્યસર્જનનું અનેખું કામ કરાવ્યું. દેશની ઉત્તમ સાહિત્યકૃતિને દર વર્ષે એક લાખને પુરસ્કાર આપવાની એજના તેમની દીર્ધદષ્ટિ, સાહિત્ય પ્રેમ અને ઉદારતાની શાખ પૂરે છે. તેમની પત્ની રમાબેનને દરેક કાર્યમાં સાથ અને સહકાર હતો તેથી તેમનાં દરેક કામો દીપી નીકળ્યાં. તીર્થભક્ત શેઠ ભાગચંદજી સેની અજમેરના રાવસાહેબ મૂળચંદજી નેમચંદજી તથા ટિકળચંદને જમાને અનોખો હતો. તેમના વંશજ શેઠ ભાગચંદજી સોનીમાં સર્વ ગુણે તેમના પૂર્વજોના જોવા મળે છે. તેઓ સ્વાધ્યાયશીલ વ્યક્તિ છે તેટલા જ શિક્ષણપ્રેમી છે. સંસ્થાઓના સંવર્ધનમાં તેઓ એક્કા છે. મહાસભાના સભાપતિ અને સંરક્ષક રહી તેના વડે સમાજનું સંગઠન ઘણું વર્ષો સુધી કર્યું છે. સેનેજીકી નસીયા નામે ઓળખાતું લાલમંદિર અને સુર્વણની અયોધ્યા અને સાગવી મહેલામાં આવેલું અનુપમ સમવસરણુ આજે પણ દર્શનીય છે. દિગંબર ધર્મ અને ધર્માત્માઓના રક્ષણ માટે તેઓ સદીસર્વદા સાગ અને તૈયાર હોય છે. કર્મઠ કાર્યકર્તા યુવાસમાં શેઠ ચંદુલાલજી ૧૯૫૭માં કસ્તુરચંદ શેઠનાં પત્ની મોતનબેનની કુખે ચંદુભાઈને છત્રાલ ગામે જન્મ થયેલું. અમદાવાદમાં અભ્યાસ કર્યો. નાનપણમાં પિોલીસની ગોળી છાતીમાં વાગેલી પણ બચી ગયેલા. ભણતર અને લગ્ન વ. મહામુશ્કેલીએ થયેલ. માત્ર ચાર અંગ્રેજી ભણી પિતાનું મૃત્યુ થતાં મુંબઈ જઈ એનાચાંદીની દુકાને રહ્યા. નાને પગાર છતાં બચત કરી ૧૯૮૦માં સમેદશિખરજીની યાત્રા પિતાની માતાને કરાવી. ૨૦૦૪માં ચાંદીમાં મંદી આવતાં આઠેક લાખનું નુકસાન થયેલું છતાં શાખ સાચવેલી. નૃસિંહપુરા સમાજ માટે કેળવણી મંડળની સ્થાપનાથી સામાજિક સેવાની શરૂઆત કરી. જૈન બોર્ડિગને લાખ ભેગા કરી આપ્યા. પિતાના પુત્રનેમચંદને પરદેશ ભણવા મોકલ્યા. અનેક સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે કામ કર્યું. તીર્થક્ષેત્ર કમિટિને દઢ પાયે મૂકનાર તેઓ જ છે. દીર્ધદષ્ટિ, સચેટ વકતૃત્વ અને હિંમતભરી રજૂઆત માટે તે સર્વત્ર પ્રસિદ્ધ છે. બુલિયન એસોસિએશનના પ્રમુખ પણ થયેલા. શિક્ષણક્ષેત્રે ઘણું દાન કર્યા છે. મોહનપુરમાં પ્રતિષ્ઠા પાર પાડી. નવકારમંત્રના ભારે શ્રદ્ધાળુ છે. હવે નિવૃત્ત. જીવન ગાળે છે. શેઠ ચાંદમલજી સાગવી લાલગઢમાં મૂળચંદ પાંડયાને ઘેર જન્મ થયેલ. (૩-૧-૧૯૧૨). કલકત્તામાં ૧૯૩૦માં મેટ્રિક થયા અને વેપાર ધંધામાં પડ્યા. પુદયથી ખૂબ ધન કમાયા. ગાહારી નગરપાલિકાના પ્રમુખ થયા. સરકારે રાયસાહેબની ઉપાધિ બક્ષી, સ્વાતંત્ર્યની લડાઈમાં કાંગ્રેસને ઘણી આર્થિક સહાય કરી. મૂંગા બહેરાની સ્કૂલ પિતાના દાનથી dain Education Intermational Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy