SearchBrowseAboutContactDonate
Page Preview
Page 855
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૮ શ્રી કાન્તિલાલ બાલચંદ પારેખ પાલિતાણા યશોવિજય જૈન ગુરુકુળના ગૌરવશાળી રત્ન ગણાતા શ્રી કાન્તિભાઈ મૂળ ઝાલાવાડના પાટડીના વતની છે. રંગુનમાં એકસપોટ ઇમ્પોનું સારુ કામકાજ હતું. ખર્માની રાજકીય પરિસ્થિતિ પલટાતાં રંગુન ખાતેના વ્યવસાય સમેટી લીધેા. જૈન ગુરુકુળ પાલિતાણામાં તેમણે મેટ્રીક સુધીના અભ્યાસ પૂરા કરી તેઓ વધુ અભ્યાસાર્થે મુંબઈની મશહૂર સીડનહામ કોલેજમાં જોડાયા. કૉલેજમાં તેમના આ વર્ષની કારકિદી ઘણી જ તેજસ્વી હતી. પ્રતિવષે ઊંચા ન'અરે પાસ થઈ ખી. કેમનેા અભ્યાસ પૂર્ણ કરી સી. એ. થવાની તીવ્ર ઉત્કંઠાને લઈને મુંબઈની જાણીતી પેઢી મેસસ' છે।ગલમલ એન્ડ કુ.માં જોડાયા જ્યાં તેમણે પેઢીના પૂર્ણ વિશ્વાસ સ'પાદન કર્યો અને ઇચ્છિત ક્ષેત્રે ઘણું જ જ્ઞાનસ'પાદન કર્યુ. ૧૯૫૯ માં તેમના સહાધ્યાયી શ્રી માહનલાલ જૈનના સહકાર સાથે ભાગીદારીમાં મેસસ જન પારેખ એન્ડ કુ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ પેઢીની શરૂઆત કરી. પિસ્તાલીસ વર્ષોંની વચ્ચે તેમણે પ્રાપ્ત કરેલી સિદ્ધિ ખરેખર પ્રશ'સાપાત્ર છે. હાલમાં ઘણી વ્યાપારી પેઢીઓના ઇન્કમટેકસ અને સેલ્સટેક્સના સલાહકાર તરીકે સારી એવી સેવા આપી રહ્યા છે, ઘણી શક્ષણિક સ ́સ્થા સાથે સ'કળાયેલા છે. ધનુરાગ અને સેવાભાવનાથી એમનુ જીવન સુરભિત છે, જૈન સમાજ તે માટે ગૌરવ લઈ શકે છે. તેમની વિનમ્રતા એમના પ્રત્યે ભારે માટુ બહુમાન ઉપજાવે તેવી છે. Jain Education International વિશ્વની અસ્મિતા શ્રી બાબુલાલ વચ્છરાજ મહેતા સાવરકુંડલા પાસે વંડાના વતની શ્રી ખાખુભાઈ શ્રી યશેાવિજયજી જૈન ગુરુકુળ પાલીતાણામાં એસ. એસ. સી. સુધી અભ્યાસ કરી, મુ`બઈની પાદાર કૉલેજમાંથી બી. કેામ, થયા. એમના જન્મ તા. ૨૭-૨-૧૯૩૦, તેઓશ્રી સમાજના અગ્રણી કાર્ય કર છે અને ખાસ કરીને મલાડની વિવિધ 'સ્થા સાથે સ'કળાયેલા છે. શ્રી મલાડ શ્વેતામ્બર મૂતિપૂજક જૈન સંઘના મ ́ત્રી તરીકે, શ્રી મલાડ જૈન યુવક મ`ડળના પ્રમુખ તરીકે અને એ જ સ'સ્થા દ્વારા સ'ચાલિત મેડિકલ રીલીફ્ સેન્ટરની સ'ભાળેલી જવાબદારી એ સામાજિક ક્ષેત્રે એમનું મહત્ત્વપૂર્ણ પ્રદાન છે. મલાડ જીમખાના લિ. ના મત્રી તરીકે તેઓ હાલ સેવા આપે છે. વ્યવસાયે આયાતનિકાસ અને ઈન્ડેન્ટિંગનું કામકાજ છે અને એમની વ્યાવસાયિક સૂઝને કારણે આલ ઇન્ડિયા પ્લાસ્ટિક એ ગલ્સ મેન્યુફેક્ચરસ એસેાસીએશને સલાહકાર તરીકે એમની નિમણૂક કરી છે. આવા સેવાભાવી અને અંતરસૂઝ ધરાવતા તેમ જ ઉદારદિલ મહાનુભાવ ભાઈ શ્રી મનુભાઈ સેવાના દ્વીપ જળહળતા રાખે ને જીવન ધન્ય ધન્ય બનાવે એજ અભ્યર્થના. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy